Shri Kashtabhanjan Dada Photos:શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર ધનુર્માસ નિમિત્તે તા.31-12-2024ને મંગળવારના રોજ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને સેવંતી તથા હજારીગલના ફુલોનો દિવ્ય શણગાર કરાયો છે.આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી તથા 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.
ફુલોનો દિવ્ય શણગાર એવં ફળોનો અન્નકૂટ
આજે સેવંતી તથા હજારીગલના ફુલોનો દિવ્ય શણગાર કરાયો છે.દાદાને મોરની ડિઝાઈન અને જરદોશી વર્કવાળા સિલ્કના વાઘા ધરાવાયા છે.દાદાને દાડમ,સંતરા, મોસંબી,ચેરી,જામફળ,બોર,સફરજન વિગેરે ફળોનો અન્નકૂટ ધરાવાયો છે.
યજ્ઞનું પણ કરાયું વિશેષ આયોજન
પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર આયોજીત સાળંગપુરધામમાં પારિવારિક શાંતિ માટે મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરાયું છે યજ્ઞમાં પવિત્ર ભૂદેવો વડે પૂજન-અર્ચન-આરતી કરવામાં આવી રહ્યા છે. અનેક ભક્તોએ આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
Advertisement
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube