February 9, 2025
KalTak 24 News
GujaratReligionબોટાદ

બોટાદ/‌ પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંનજન દેવ હનુમાનજી દાદાને ફુલોનો દિવ્ય શણગાર એવં ફળોનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો

on-the-occasion-of-dhanurmas-shri-kashtabhanjan-dev-hanumanji-dada-was-presented-with-divine-decorations-of-flowers-and-a-feast-of-fruits-botad-news

Shri Kashtabhanjan Dada Photos:શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર ધનુર્માસ નિમિત્તે તા.31-12-2024ને મંગળવારના રોજ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને સેવંતી તથા હજારીગલના ફુલોનો દિવ્ય શણગાર કરાયો છે.આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી તથા 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.

ફુલોનો દિવ્ય શણગાર એવં ફળોનો અન્નકૂટ

આજે સેવંતી તથા હજારીગલના ફુલોનો દિવ્ય શણગાર કરાયો છે.દાદાને મોરની ડિઝાઈન અને જરદોશી વર્કવાળા સિલ્કના વાઘા ધરાવાયા છે.દાદાને દાડમ,સંતરા, મોસંબી,ચેરી,જામફળ,બોર,સફરજન વિગેરે ફળોનો અન્નકૂટ ધરાવાયો છે.

યજ્ઞનું પણ કરાયું વિશેષ આયોજન

પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર આયોજીત સાળંગપુરધામમાં પારિવારિક શાંતિ માટે મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરાયું છે યજ્ઞમાં પવિત્ર ભૂદેવો વડે પૂજન-અર્ચન-આરતી કરવામાં આવી રહ્યા છે. અનેક ભક્તોએ આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

 

Advertisement

Advertisement

 

 

 

 

Related posts

ગુજરાત પોલીસના સ્નિફર ડોગ્સની પ્રશંસનીય કામગીરી,છેલ્લા છ મહિનામાં સ્નિફર ડોગ્સની ટીમે સફળતાપૂર્વક આઠ ગુનાઓ ઉકેલવામાં મહત્વપૂર્ણ ભજવી ભૂમિકા

Mittal Patel

મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી નર્મદા નદી તોફાની બની, સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી 135.65,ડેમના 10 દરવાજા 1.40 મીટર સુધી ખોલાયા,જુઓ VIDEO

KalTak24 News Team

અમદાવાદ/ ભાજપનું પ્રાથમિક સદસ્યતા અભિયાનનો પ્રારંભ, સી.આર.પાટીલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સદસ્ય પ્રાથમિક સદસ્ય બનાવ્યા

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં