September 20, 2024
KalTak 24 News
Gujarat

સુરત/ દશેરાના દિવસે સુરત ડાયમંડ બુર્સની 983 ઓફિસમાં કુંભ ઘડાની થશે સ્થાપના,5 હજારથી વધુ લોકો સહભાગી થશે

Kumbha installation in Diamond Burse in Surat

Kumbha installation in Diamond Burse in Surat: સુરતમાં સહકારી ક્ષેત્રના વિશ્વના સૌથી મોટા પ્રોજેક્ટ અને વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ તરીકે ખ્યાતીપ્રાપ્ત ખજોદ ખાતે નિર્માણ કરાયેલા ડાયમંડ બુર્સ(Surat Diamond Bourse)ના ઉદ્ધાટનનું કાઉનડાઉન શરુ થઇ ગયું છે. આગામી 17 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિધિવત રીતે ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન કરવામાં આવનાર છે, ત્યારે વિજયા દશમીના દિવસે ડાયમંડ બુર્સમાં ઓફિસ ધરાવતા કુલ 983 નાના મોટા ઉદ્યોગકારો તેમના પરિવાર સાથે પોતાની ઓફિસમાં શાસ્ત્રોક્ત વિધિવિધાનથી કુંભ ઘડાનું સ્થાપન કરશે.

આ અંગે ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઈ પટેલ,એસડીબી કો.ઓ.સોસાયટીના પ્રમુખ નાગજીભાઈ સાકરિયા, સુરત ડાયમંડ બુર્સના મીડિયા કમિટીના સભ્ય દિનેશભાઈ નાવડિયાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, 24 ઓક્ટોબર એટલે કે વિજયા દશમીના પર્વ નિમિત્તે સુરત ડાયમંડ બુર્સમાં સુરતના હીરા ઉદ્યોગકારો જે ઓફિસ ધરાવે છે તેવા 983 જેટલા નાના-મોટા ઉદ્યોગકારો તેમના પરિવાર સાથે ઓફિસમાં શાસ્ત્રોક વિધિ અનુસાર વિધિ વિધાનથી કુંભ ઘડાનું સ્થાપન કરશે.

Untitled 14 11

સુરતના હીરા ઉદ્યોગકારોએ જે સપનું જોયું હતું, તે આખરે સત પ્રતિશત સાકર થવા જઈ રહ્યું છે. વિજયા દશમીના પર્વે સુરત ડાયમંડ બુર્સમાં ઓફિસ ધરાવતા કુલ 983 નાના-મોટા ઉદ્યોગકારો તેમના પરિવાર સાથે પોતાની ઓફિસમાં શાસ્ત્રોક્ત વિધિવિધાનથી કુંભ ઘડાનું સ્થાપન કરશે. આ વિરલ ઘટનામાં સુરત ડાયમંડ બુર્સના તમામ કમિટી સભ્યો સમેત પાંચ હજારથી વધુ લોકો જોડાશે.

Untitled 14 11

આ ઉપરાંત 21 નવેમ્બરના રોજ સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભભાઈ પટેલ દ્વારા પોતાની ઓફિસ જે મુંબઈમાં હાલ કાર્યરત છે. તે ઓફિસને મુંબઈમાં બંધ કરીને સુરત ડાયમંડ બુર્સમાં શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત 17 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિધિવત રીતે સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરવામાં આવશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા ઉદ્ઘાટન સમારોહમાં દુનિયાના દિગજ ઉદ્યોગપતિઓને પણ આમંત્રિત કરવાની તૈયારી સુરત ડાયમંડ બુર્સ દ્વારા કરી દેવામાં આવી છે.PM મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા ભવ્યાતિભવ્ય ઉદ્ધાટન સમારોહની વિગતો આગામી સમયમાં જણાવવામાં આવશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related posts

ધો.12ની પરીક્ષા દરમિયાન આણંદના કરમસદ પરીક્ષા કેન્દ્રમાં માસ કોપી કેસની ઘટના,કેન્દ્રના 50 કર્મીઓ સસ્પેન્ડ,ગાંધીનગરથી તપાસના આદેશ

KalTak24 News Team

BREAKING: સુરતમાં દુષ્કર્મ આચરી દોઢ વર્ષની બાળકીની હત્યાનો કેસ, નરાધમને કોર્ટે ફાંસીની સજા સંભળાવી-11 જ દિવસમાં પોલીસે ચાર્જશીટ રજૂ કરી દેતા ફેંસલો

KalTak24 News Team

સુરત/ જીવતા જીવ રક્તદાન,મૃત્યુ બાદ અંગદાન ને સાર્થક કરતું સૂત્ર આજે ખરું બન્યું; જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન થકી પટેલ સમાજના સખીયા પરિવાર દ્વારા 41 વર્ષીય પુરુષના અંગોનું કરાયું અંગદાન…

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી