- અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કરી અહેવાલોને આપ્યો રદિયો,
- ‘હું કોંગ્રેસ પક્ષમાં છું અને પક્ષનો ચૂંટાયેલ ધારાસભ્ય છું’
- ‘મારી ભાજપમાં જોડાવાની વાતનો કોઈ આધાર નથી’
Ahmedabad News: કોંગ્રેસમાંથી એકપછી એક મોટા માથા અને ધારાસભ્ય હાથનો સાથ છોડીને કેસરિયો ખેસ ધારણ કરી રહ્યાં છે. આજે સવારથી પોરબંદરના ધારાસભ્ય અને ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા ભાજપમાં જોડાશે એવી અટકળો ચાલી રહી હતી, ત્યારે આ મામલે અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયા ટ્વીટર પર ખુલાસો કર્યો છે.અને કહ્યું છેકે, હું ક્યાંય જવાનો નથી, કોંગ્રેસમાં છું.
કોંગ્રેસના પોરબંદરના ધારસભ્યએ રાજીનામું આપી દીધું છે અને તેઓ આગામી ફેબ્રુઆરી મહિનામાં ભાજપમાં જોડાશે તેવી ચર્ચા જાગી હતી. અનેક મીડિયા માધ્યમોમાં પણ આ સમાચાર વાયુવેગે વહેતા થયા હતા. ભાજપમાં હાલ ભરતી મેળો ચાલી રહ્યો છે અને વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ પણ રાજીનામું આપી દીધું છે અને તેઓ 4 ફેબ્રુઆરીની આસપાસ ભાજપમાં જોડાવાના છે. ત્યારે અર્જૂન મોઢવાડિયા પણ પક્ષની કોઇ વાતથી નારાજ થઇને કોંગ્રેસને રામ-રામ કહી રહ્યાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.
મારા કોઈ પણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલો દ્વારા મારી ભાજપમાં જોડાઈ રહ્યાની વાતો થઈ રહી છે, જેનો કોઈ આધાર નથી.
હું કોંગ્રેસ માં છું અને પક્ષનો ચૂંટાયેલ ધારાસભ્ય છું.
— Arjun Modhwadia (@arjunmodhwadia) January 24, 2024
સોશિયલ મીડિયા સહિતના માધ્યમોમાં આ વાત વાયુવેગે ફેલાયા બાદ આજે કોંગ્રેસના પોરબંદરના ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયાએ ટ્વીટર(X) પર પોસ્ટ કરીને ખુલાસો કર્યો છે. ખુલાસો કરતા તેમણે જણાવ્યું છેકે, મારા કોઈ પણ ખુલાસા વિના વિવિધ મીડિયા ચેનલો દ્વારા મારી ભાજપમાં જોડાઈ રહ્યાની વાતો થઈ રહી છે, જેનો કોઈ આધાર નથી. હું કોંગ્રેસમાં છું અને પક્ષનો ચૂંટાયેલ ધારાસભ્ય છું.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube