February 5, 2025
KalTak 24 News
Gujaratસુરત

આજે ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા શાકોત્સવમાં 50 હજારથી વધુ ભક્તો લેશે પ્રસાદ;500થી વધુ સ્વયંસેવકો સંભાળશે સમગ્ર વ્યવસ્થા

today-more-than-50-thousand-devotees-will-take-prasad-at-the-shakotsav-through-the-dharmakul-ashrit-satsang-samaj-surat-news
  • કેનાલ રોડ, લક્ષ્મીનારાયણ ફાર્મ ખાતે તૈયારી માટે 500 સ્વયંસેવકો કામે લાગ્યા

Surat News: કર્મભૂમિ સુરત શહેરના આંગણે ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજની આજ્ઞાથી ભાવી આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદ મહારાજની નિશ્રામાં લક્ષ્મી નારાયણ ફાર્મ શાયોના પ્લાઝા પાસે પુણા કેનાલ રોડ ખાતે આજે સાંજે ચાર કલાકે શાકોત્સવનું(shakotsav) ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હજારોની સંખ્યામાં ભક્તો ભોજન પ્રસાદનો લાભ લેશે. શાકોત્સવની પૂર્વ સંધ્યાએ ભક્તો દ્વારા તૈયારીઓ પૂર્ણ કરાઇ હતી. જેમાં 500થી વધુ સ્વયંસેવકો વ્યવસ્થા સંભાળી રહ્યા છે. શાકોત્સવમાં 9000 કિલો રીંગણા અને તેટલી જ માત્રામાં બીજા મસાલા ઉમેરાય છે.સાથે સાથે 9 હજાર કિલો બાજરીના લોટના રોટલા લગભગ 80 હજાર જેટલી સંખ્યામાં રોટલા તૈયાર થશે.

સાથે 3000 કિલો ખીચડી, 3000 કિલો ટામેટા, 500 કિલો કોબી, 200 કિલો વટાણા, 200 કિલો ફ્લાવર, અને 100 કિલો ગાજર લાવવામાં આવ્યા હતા. શાક રોટલા ખીચડી વગેરે બનાવવા માટે 10 જેટલા ચુલા તૈયાર કરાયા છે. જેમાં 1 હજાર મણ લાકડાનો ઉપયોગ થશે. 50થી 60 હજાર ભક્તો ભોજન પ્રસાદ લેશે તેવી ધારણા આયોજકોએ વ્યક્ત કરી હતી.

શાકોત્સવમાં આટલી સામગ્રી વપરાશે

  • ભક્તો : આશરે 50,000 થી વધુ
  • રોટલા: 80,000
  • રીંગણા: 9,000 (કિલો)
  • ખીચડી: 3,000 (કિલો)
  • લાકડાં : 20,000(કિલો)

 

આ પણ વાંચો:

 

 

Advertisement
Advertisement

 

 

 

 

Related posts

Diljit Dosanjh Concert: ‘હું ગુજરાત સરકારનો ફેન થઈ ગયો છું’ દિલજીતે જીત્યું ગુજરાતીઓનું દિલ !; ઓપન ચેલેન્જ આપતા કહ્યું- ‘આખા દેશમાં દારૂની દુકાનો બંધ કરાવી…’

KalTak24 News Team

સુરત/ વરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૮માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી…

KalTak24 News Team

હવે CMOને સીધી કરી શકાશે ફરિયાદ,ગુજરાતના CMO કાર્યાલયે WhatsApp નંબર જાહેર કર્યો

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં