September 21, 2024
KalTak 24 News
Gujarat

BREAKING NEWS: સુરતમાં નેશનલ હાઈવે પર એકસાથે 10 વાહનોનો અકસ્માત, અનેક વાહન ચાલકો ઈજાગ્રસ્ત

surat news 10 vehicles accident
  • નેશનલ હાઈવે નંબર 48 પર ગત મોડી રાત્રે બની ઘટના
  • હાઈવે પર મુસાફર ભરવા માટે ઉભી રહેલી લક્ઝરી બસના કારણે અકસ્માત

Surat Accident: સુરત જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે અકસ્માતનું ‘ઘર’ બની ગયો હોય તેમ અવારનવાર અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે.હાઈવે પર પેસેન્જરો ભરવા માટે આડેધડ લક્ઝરીઓ ઊભા રાખવાના પરિણામે અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મૂકાઈ રહ્યા છે,આવી સ્થિતિ વચ્ચે નેશનલ હાઈવે નંબર 48 પર ગત મોડી રાત્રે મોટા અકસ્માતનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં કોસંબા તરફના માર્ગ પર સુરતના કીમ ચાર રસ્તા એક પછી એક એમ 10 જેટલા વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા દેકારો બોલી ગયો હતો અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

vlcsnap 2023 09 15 09h13m21s394

4 લક્ઝરી બસ, 4 કાર અને 2 ટ્રક વચ્ચે અકસ્માત
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર સુરત પંથકમાં પેસેન્જર્સ ભરવાની લ્હાઇમાં હાઇવે પર અડચણરૂપ, જોખમી રીતે લકઝરી બસો થોભાવી ચાલકો આડેધડ પેસેન્જર ભરતા હોવાની ભૂતકાળમાં અનેક વખત રાવ ઉઠી હતી. ત્યારે હાઇવે પર પેસેન્જર ભરવા ઉભી રહેલી લકઝરી બસોને કારણે જ આ અકસ્માત સર્જાયો હોવાનું મનાઇ રહ્યું છે. લકઝરી બસ એકાએક ઉભી રાખતા પાછળ ધડાકાભેર એક પાછળ એક અન્ય વાહનો ભટકાયા હતા.

અકસ્માત થયાની જાણ કોસંબા પોલીસને થતા કોસંબા પોલીસનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં એકને ગંભીર ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ઉપરાંત અનેક વાહનચાલકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જોકે અન્ય કોઈ મોટી જાનહાનિના સમાચાર ન મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. ઇજાગ્રસ્ત એકને હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

4 જેટલી લકઝરી બસ, 4 જેટલી કાર, 2 ટ્રક વચ્ચે એમ 10 વાહનનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં અનેક વાહન ચાલકોને ઇજાઓ પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે. અકસ્માતની આ ઘટનાને પગલે થોડા સમય માટે અફરાટીનો માહોલ જોવા મળ્યો હતો.

બીજી તરફ હાઇવે પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે નેશનલ હાઇવે પર પેસેન્જર ભરવા ગમે ત્યારે વાહનો થોભાવી દેવામાં આવે છે.જેને લઈને નેશનલ હાઇવે પર અકસ્માત સર્જાતા હોવાથી તેને અંકુશમાં રાખવા માટે નિયમ અને ચેકીંગ કરવામાં સહિતની કાર્યવાહીની લોકો દ્વારા માંગ ઉઠી છે.

 

 

Related posts

CM ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય: કેબિનેટ બેઠકમાં મંત્રીઓ-અધિકારીઓના મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ

KalTak24 News Team

ગુડ ન્યૂઝ / હવે અમદાવાદથી ગાંધીનગર સુધી દોડશે મેટ્રો,વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રોના બીજા ફેઝનો આ તારીખે કરાવશે શુભારંભ

KalTak24 News Team

ગોપાલ ઇટાલિયાના ઘરે દીકરીનો જન્મ, ટ્વિટર પર ભાવનાત્મક પોસ્ટ કરી શેર

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી