February 4, 2025
KalTak 24 News
Gujaratગાંધીનગર

મહાકુંભ 2025 / મહાકુંભ લઈને ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, મેળામાં જવા GSRTCની બસ સેવા શરૂ કરાશે;શ્રદ્ધાળુઓને મળશે વિશેષ સુવિધા

Maha kumbh Mela 2025 : ગુજરાત રાજ્ય સરકારે મીડિયાને જાણકારી આપતા જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં પવિત્ર મહાકુંભમાં કરોડો લોકો આસ્થાની ડૂબકી મારવા પ્રયાગ રાજ જાય છે, ત્યારે ટુરિઝમ અને GSRTC બસ – Volvo રોજ આવવા જવાની વ્યવસ્થા ચાલુ કરવામાં આવશે.

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

ગુજરાત ટુરિઝમ અને ગુજરાત વાહન વ્યવહાર વિભાગે નિર્ણય કર્યો છે. દરરોજ વોલ્વો બસ શરૂ કરાશે. 27 મી જાન્યુઆરી વહેલી સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર ખાતેથી બસને લીલી ઝંડી આપશે. 144 વર્ષમાં માત્ર એકવાર આ પર્વ આવે છે. સરળતાથી યાત્રા અને ઓછી કિંમતે લોકો જઈ શકે તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે.

મહાકુંભમાં અમદાવાદથી પ્રયાગરાજ વચ્ચે દોડશે બસ

આ સમગ્ર બાબતે માહિતી આપતા માર્ગ વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ વધુ માહિતી આપતા જણાવ્યું કે મહાકંભમાં ભાગ લેવા દરરોજ નવી એસી વોલ્વો બસ દોડાવવામાં આવશે. મહાકુંભ માટે દોડતી બસમાં મુસાફરી કરનારા પ્રવાસીઓને ત્રણ રાત્રિ 4 દિવસનું પેકેજ આપવામાં આવશે. 27 જાન્યુઆરીએ CM ગાંધીનગરથી લીલીઝંડી આપશે. જેના બાદ વોલ્વો બસ દ્વારા પ્રયાગરાજ પંહોચવું સરળ બનશે. પ્રવાસીઓ ફ્કત રૂ.8100ના પેકેજમાં પ્રયાગરાજના મહાકુંભ મેળાનો લાભ લઈ શકશે. આ પેકેજમાં તેમણે શિવપુરીમાં રાત્રિ રોકાણ કરવાનું રહેશે.આ માટે પ્રવાસીઓએ પહેલા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવું પડશે.ખાસ કરીને શ્રદ્ધાળુઓએ સૂચનાઓ જોઈને જ ટિકિટ કરાવવી.‘પાર્કિંગથી કુંભ સ્થાન અને બાદમાં ચાલવાનું વધારે હોવાથી જે લોકો વધુ ચાલી ના શકતા હોય તેમણે ધ્યાન રાખવું. વોલ્વો બસમાં ટ્રાવેલિંગ સમય વધુ છે. પ્રયાગરાજ પંહોચ્યા બાદ પ્રવાસન વિભાગમાં રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ ઉપરાંત જેમ રહેવાની વ્યવસ્થા વધશે તેમ બસની સંખ્યામાં વધારો કરવામાં આવશે તેમ જણાવ્યું.

શિવપુરી ખાતે કરશે રાત્રી રોકાણ

અમદાવાદથી મહાકુંભ માટે વોલ્વો બસ ઉપડશે. બાય રોડ શરૂ થનારી આ મુસાફરી ખૂબ લાંબી હોવાથી બસ શિવપુરી ખાતે રાત્રી રોકાણ કરશે અને સવારે કુંભ તરફ જવા આગળ વધશે. હાલના તબક્કે હોટલોની ડોરમેટ્રી માં યાત્રાળુઓ માટે રહેવાની વ્યવસ્થા પેકેજ અંતર્ગત કરવામાં આવી છે. વિભાગ તરફથી પ્રયાગરાજ માં આવેલી વિવિધ સંસ્થાઓ સાથે વાટાઘાટ ચાલુ છે. આગળ જતા આવી સંસ્થાઓ માં પણ રહેવાની સગવડ ઉભી કરવા પ્રયાસો થઈ રહયા છે. 

પેકેજનું ઓનલાઈન બુકીંગ કરાવી શકાશે

GSRTCની વેબસાઈટ પરથી કુંભ યાત્રાનું પેકેજ ઓનલાઈન બુક કરાવી શકાશે. વેબસાઇટ પર તમામ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમ જેમ બુકીંગ મળતા જશે તેમ તેમ કુંભ માટે જનારી વોલ્વો બસની સંખ્યા પણ વધારવામાં આવશે.

 

પ્રયાગરાજ મહાકુંભમાં ભક્તોનો અવિરત પ્રવાહ યથાવત જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશ સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે મહાકુંભ દરમિયાન ગંગા સ્નાન કરવા આવતા શ્રદ્ધાળુઓની સંખ્યા 10 કરોડને પાર કરી ગઈ છે. યાત્રાળુઓની સંખ્યા સતત વધી રહી છે, દરરોજ લાખો લોકો સ્નાન કરવા અને આધ્યાત્મિક પુણ્ય મેળવવા માટે પ્રયાગરાજ પંહોચી રહ્યા છે.

 

 

 

Advertisement

Advertisement

 

 

 

 

Related posts

રાજકોટ/ ‘માણસ માત્ર ભૂલને પાત્ર…’, મતદાન બાદ પરસોત્તમ રૂપાલાએ ફરી ક્ષત્રિય સમાજની માગી માફી, જાણો શું કહ્યું ?

KalTak24 News Team

સુરત/ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ૭ રથયાત્રા, ૪ શોભાયાત્રા; 4,000 પોલીસ જવાનો ખડેપગે! જાણો રથયાત્રાનો રૂટ કયો હશે?

KalTak24 News Team

સુરતમાં 31stએ યુવાઓને હરિપ્રકાશ સ્વામીએ ભક્તિનું ઘેલું લગાડ્યું, કથામાં 1 લાખથી વધુ લોકો હનુમાનભક્તિમાં થયા લીન

Sanskar Sojitra
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં