March 25, 2025
KalTak 24 News
Gujaratસુરત

સુરતમાં 31stએ યુવાઓને હરિપ્રકાશ સ્વામીએ ભક્તિનું ઘેલું લગાડ્યું, કથામાં 1 લાખથી વધુ લોકો હનુમાનભક્તિમાં થયા લીન

on-31st-hariprakash-swami-inducted-young-people-into-devotion-in-the-story-more-than-1-lakh-people-got-immersed-in-hanuman-devotion-in-surat

Shree Hanuman Chalisa Yuva Katha,Surat: સુરતના સરથાણામાં સાળંગપુરના શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી વ્યાસપીઠ પરથી શ્રી હનુમાન ચાલીસા યુવા કથાનું ભક્તોને કહી રહ્યા છે. આ કથાનું લાખો ભક્તો શ્રવણ કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે એટલે કે, 31 ડિસેમ્બરે હનુમાનજન્મોત્સવ યોજાયો હતો. જેમાં હરિપ્રકાશ સ્વામીએ ત્યાં હાજર લાખો ભક્તોને ભક્તિનું ઘેલું લગાડ્યું હતું અને નવા વર્ષની પારંપરિક ભારતીય સંસ્કૃતિ સહિત ભક્તિમય વાતાવરણમાં કરવામાં આવી હતી. જેમાં અંદાજે 1 લાખથી વધુ ભક્તો હનુમાનજીની ભક્તિમાં તલ્લિન થઈને ઝૂમ્યા હતા. આમ પાશ્ચાત્ય સંસ્કૃતિને ભૂલીને યુવાઓ અને લોકોએ ભારતીય સંસ્કૃતિ અનરૂપ ભક્તિમય વાતાવરણમાં નવાં વર્ષને વધાવ્યું હતું.

on-31st-hariprakash-swami-inducted-young-people-into-devotion-in-the-story-more-than-1-lakh-people-got-immersed-in-hanuman-devotion-in-surat

 

શ્રીહનુમાન ચાલીસા યુવા કથામાં સૌપહેલાં સાળંગપુરના શાસ્ત્રી હરિપ્રકાશદાસજી તથા સંતોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ સૌ પહેલાં રાષ્ટ્રગીતનું ગાન કરાયું અને આ પછી હનુમાનજી દાદાની આરતી પછી કથા શરૂ થઈ હતી. આ કથાના મધ્યાંતરમાં હનુમાન જન્મોત્સવ શરૂ થયો હતો. જેમાં દાદાને 151 કિલોની કેક, 2000 કિલો ચોકલેટ-કેટબરી અને 108 કિલો પુષ્પવર્ષાથી દાદા પર કરવામાં આવી હતી.

on-31st-hariprakash-swami-inducted-young-people-into-devotion-in-the-story-more-than-1-lakh-people-got-immersed-in-hanuman-devotion-in-surat

આ દરમિયાન કથામાં હાજર ભક્તો ભારતીય સંસ્કૃતિને વળગી રહ્યા અને ભક્તિમય માહોલમાં હનુમાનજીની ભક્તિમાં લીન થઈ ગયા હતા. મોડી રાત સુધી ભક્તોએ દાદાની ભક્તિ કરી હતી અને ભક્તિ ગીતો સાથે ઝૂમ્યા હતા. ગત રાત્રે હકડેઠઠભીડ કથામાં જોવા મળી હતી.

 

જુઓ વિડિયો:

 

 

View this post on Instagram

 

A post shared by KalTak24 News (@kaltak24news)


on-31st-hariprakash-swami-inducted-young-people-into-devotion-in-the-story-more-than-1-lakh-people-got-immersed-in-hanuman-devotion-in-surat

હનુમાનજન્મોત્સવની વિશેષતા

  • 151 કિલોની કેક દાદાને ધરાવવામાં આવી.
  • સમગ્ર સભામંડપ 500 કિલો ફુલો અને ફુગ્ગાથી સજાવ્યો હતો.
  • 2000 કિલો ચોકલેટ-કેટબરી દાદાને ધરાવવામાં આવી હતી.
  • 108 કિલો પુષ્પવર્ષાથી દાદા, સંતો ભકતોને વધાવવામાં આવ્યા હતા.
  • દાદાને ભવ્ય ફલકૂટ ધરાવવામાં આવ્યો હતો.
  • અનેક પ્રકારના હનુમાનજી અને વાનર સેનાના દર્શન થયા હતા.
  • D.J. ના તાલે યુવાનો હનુમાન ભક્તિમાં થનગનાટ કર્યો હતો.

 

on-31st-hariprakash-swami-inducted-young-people-into-devotion-in-the-story-more-than-1-lakh-people-got-immersed-in-hanuman-devotion-in-surat

on-31st-hariprakash-swami-inducted-young-people-into-devotion-in-the-story-more-than-1-lakh-people-got-immersed-in-hanuman-devotion-in-surat

 

Advertisement

Advertisement

 

 

 

 

Related posts

અરવિંદ કેજરીવાલ આજથી ત્રણ દિવસ ગુજરાતમાં સભા ગજવશે-જાણો કાર્યક્રમ

KalTak24 News Team

CISFના 56મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત “ગ્રેટ ઈન્ડિયન કોસ્ટલ સાયક્લોથોન”ને સુરતથી ફ્લેગ ઓફ કરાવતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત

KalTak24 News Team

ગુજરાત હાઈકોર્ટે સુરત મનપાના કમિશનરની કરી ઝાટકણી,શું છે સમગ્ર મામલો?

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં