September 21, 2024
KalTak 24 News
Gujarat

સુરત/ લોકોને રોંગ સાઈડમાં વાહન ન ચલાવવા અપીલ માટે સોશિયલ મીડિયા ટીમ આવી મેદાને, વહેલી સવારે હાથમાં પોસ્ટર લઈને રોડ પર ઉભા રહ્યાં…

Social Media Team stood on Poster in Surat

Surat News: સુરતના વરાછા ચીકુવાડી બ્રિજ નીચેથી રોંગ સાઈડમાં જતાં વાહનચાલકોને અટકાવવા માટે સોશિયલ મીડિયાની ટીમે અનોખું આંદોલન શરૂ કર્યું છે. થોડા દિવસો અગાઉ રોંગ સાઈડને લઈને સર્જાયેલી માથાકૂટમાં એક સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ પર હુમલો થયો હતો. જેમાં પોલીસે આરોપીઓને ઝડપી લઈને કાર્યવાહી શરૂ કરી છે. ત્યારે સોશિયલ મીડિયાની ટીમે હાથમાં બેનર અને પોસ્ટર લઈને ઉભા રહી લોકોને રોંગ સાઈડમાં જતાં અટકાવવા માટે જાગૃતિ લાવવા પ્રયાસ કર્યો છે.

May be an image of 11 people and text

આ પણ વાંચો: સુરત/ પી.પી.સવાણી પરિવાર દ્વારા પિતાવિહોણી 75 દીકરીઓના 24 ડિસેમ્બરે યોજાશે સમૂહલગ્નનું ભવ્ય આયોજન, મુખ્યમંત્રી લેવડાવશે 25000 લોકોને અંગદાનના શપથ

સુરતમાં અનોખી મુહિમ શરૂ કરાઇ છે. લોકોને રોંગ સાઈડમાં વાહન ચલાવતા રોકવા માટે સોશિયલ મીડિયા ટીમ રસ્તા પર ઉતરી છે. થોડા સમય પહેલા પિયુષ ધાનાણી સોશિયલ મીડિયા એક્ટીવિસ્ટને માર મરાયો હતો. ત્યારે હાથમાં પોસ્ટર બેનર રાખી લોકોને રોંગ સાઈડમાં ન આવવા અપીલ કરવામાં આવી હતી.

Screenshot 2

રોંગ સાઈડમાં આવનાર વાહન ચાલકોને પરત મોકલી અપાયા હતાં. વહેલી સવારે લોકો રોંગ સાઈડમાં ના આવે તેના માટે ટીમ તૈયાર થઈ છે. દરરોજ કાપોદ્રા, વરાછા સહિતના વિસ્તારમાં આ ટીમ કામગીરી કરશે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, હુમલાઓ થાય ટીમો મેદાનમાં ઉતરે પરંતુ પોલીસ તંત્ર શું કરી રહ્યું છે. શું પોલીસ તંત્રની કામગીરી પણ પ્રજાએ કરવાની રહેશે કે કેમ તેવા સવાલો પણ લોકો ઉઠાવી રહ્યાં છે.

આ પણ વાંચો: મહેંદીના મધુર ગીતો સાથે પી.પી સવાણી ગ્રુપ આયોજિત ‘માવતર’ લગ્નોત્સવમાં 5000 થી વધુ લાડકડીઓના હાથોમાં મહેકી ઉઠી મહેંદી-પાલક પિતાએ પણ દીકરીના હાથોમાં મહેંદી મૂકી

 

 

Group 69

 

 

Related posts

ગાંધીનગરમાં અભ્યાસ કરતા 21 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત,આઇટી ફિલ્ડમાં કરતો હતો અભ્યાસ

KalTak24 News Team

નકલી, નકલી, નકલી…સુરતમાંથી બોગસ પાનકાર્ડ,આધારકાર્ડ,અને રેશનકાર્ડ આપતું નકલી જન સુવિધા કેન્દ્ર ઝડપાયુ- જાણો સમગ્ર મામલો

KalTak24 News Team

BREAKING NEWS : વિરમગામમાં હાર્દિક પટેલ વિરુદ્ધ લાગ્યા બેનરો,બેનરો માં શું લખવામાં આવ્યું છે ?

Sanskar Sojitra
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી