September 20, 2024
KalTak 24 News
Gujarat

રાજકોટ/કાગવડ શ્રી ખોડલધામ મંદિર ખાતે આગામી 21 જાન્યુઆરીએ 7 વર્ષ પૂર્ણ થતાં કેન્સર હોસ્પિટલનું 7 દીકરીઓ કરશે ભૂમિ પૂજન,કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ

khodaldham 21 1

Rajkot News: લેઉવા પટેલના આસ્થાના કેન્દ્ર ખોડલધામ મંદીરના આગામી 21 જાન્યુઆરીએ સાત વર્ષ પૂર્ણ થવા જવા રહ્યા છે. જેમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા ત્રણ સંકલ્પ લેવામાં આવ્યા હતા. જેમાં આરોગ્ય,શિક્ષણ અને કૃષિ તેમાંનું એક આરોગ્ય સંકલ્પનું રાજકોટના અમરેલી પાસેના ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ભૂમિ પૂજન 21 જાન્યુઆરી રોજ થશે.

5aa35d26 0d8b 4c73 a0f5 cf6c3afb5189 1705554208615

આગામી 21 જાન્યુઆરીએ વહેલી સવારમાં ખોડલધામ ચેરમેન નરેશ પટેલની ઉપસ્થિતમાં 7 દીકરીઓના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુલી જોડાશે તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મનસુખ માંડવીયા, રાજકીય મહાનુભાઓ પાટીદાર સમાજના આગેવાનો સહિતના બે લાખ પણ વધુ લોકોની મહાસભા યોજાશે.

15075a82 4732 42a2 a0b2 499b89f8c8d4 1705554116847

ભૂમિ પૂજનનું લાઈવ ટેલિકાસ્ટ કાગવડ ખોડલધામ મંદિરે LED સ્ક્રિન ઉપર બતાવવામાં આવશે. ભૂમિ પૂજન બાદ ખોડલધામ મંદિર ખાતે સવારે 9થી 11 વાગ્યા સુધી મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. અંદાજીત 2 લાખથી વધુ લેઉવા પટેલ સમાજ સહિત દેશ વિદેશથી ભક્તો ઉમટી પડશે.

42c7973b cad9 49dc bc3f b8fcb9559432 1705554285464

ખોડલધામના ચેરમેન નરેશ પટેલે એક મહિના સુધી દેશ વિદેશમાં આમંત્રણ આપવા માટે પ્રવાસ કર્યો હતો. જેને લીધે હાલ ખોડલધામ મંદિર ખાતે સ્ટેજ,ડોમ મંડપ સહિત કાર્યક્રમની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 21 જાન્યુઆરીએ પાર્કિંગથી લઈને મંદિર અને કાર્યક્રમ સ્થળ સુધી 3થી 4 હજાર જેટલા સ્વયંસેવકો ખડેપગે રહેશે.

13c5572b 9265 4b65 8475 7f8215d14a12 1705554116848

હોસ્પિટલનું ભૂમિ પૂજન સાત દીકરીઓના હસ્તે કરાશે
હોસ્પિટલનું ભૂમિ પૂજન સાત દીકરીઓના વરદ હસ્તે કરવામાં આવશે. અમરેલી ખાતે થનાર કેન્સર હોસ્પિટલના ભૂમિ પૂજનનું લાઈવ પ્રસારણ શ્રી ખોડલધામ મંદિર – કાગવડ સવારે 7 કલાકથી નિહાળી શકાશે. ભૂમિ પૂજન વિધિ સંપન્ન થયા બાદ શ્રી ખોડલધામ મંદિર-કાગવડ મુકામે લોક ડાયરો, અને સ્ટેજ કાર્યક્રમ યોજાશે. જેમાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. ભૂમિપુજન સમારોહના સાક્ષી બનવા માટે જાહેર આમંત્રણ પાઠવાયું છે.

dfcadde5 1b5e 4c17 ad18 2ff8b736956d 1705554208616

21 જાન્યુઆરી ખોડલધામ ટ્રસ્ટ માટે ઐતિહાસિક દિવસ
21 જાન્યુઆરીનો દિવસ સમગ્ર લેઉવા પટેલ સમાજ માટે ગૌરવશાળી અને ઐતિહાસિક દિવસ રહ્યો છે. શ્રી ખોડલધામ ટ્રસ્ટ – કાગવડે તમામ કીર્તિમાન આ દિવસે જ પ્રસ્થાપિત કર્યા છે. 21 જાન્યુઆરી 2017ના દિવસે વિશ્વપ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિરમાં માતા ખોડલ સાથે 21 દેવી-દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

 

 

Group 69

 

 

Related posts

ગાંધીનગર / વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં મહાત્મા મંદિર ખાતે ‘RE-INVEST-2024’ સમિટ ઍન્ડ એક્ષ્પોનો શાનદાર પ્રારંભ;કહ્યું કે 21મી સદીના ઇતિહાસમાં ભારતનો સૌરક્રાંતિનો અધ્યાય સુવર્ણ અક્ષરે લખાશે

KalTak24 News Team

Buying Land on the Moon/ સુરતમાં મામાએ જુડવા ભાણી માટે ચંદ્ર પર ખરીદી જમીન-જાણો કોને અને કેટલી લીધી ચંદ્ર પર જમીન?

Sanskar Sojitra

પિતાની મજબૂરી પોલીસ બની આધાર: સુરતમાં માતા વિહોણી 6 વર્ષની દીકરીના પિતાએ આપઘાત કરી લેતા મહિલા પીએસઆઈએ માસૂમને આપ્યો પ્રેમ

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી