February 5, 2025
KalTak 24 News
Gujaratસુરત

સુરત: પી.પી. સવાણી પરિવારના આંગણેથી પિતા વિનાની દીકરીઓની લાગણીસભર વિદાય; મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મોરારીબાપુ સહિત અનેક રાજકીય સામાજીક મહેમાનો રહ્યા ઉપસ્થિત

pp-savani-family-organized-a-mass-marriage-of-111-fatherless-daughters-in-the-presence-of-chief-minister-bhupendra-patel-morari-bapu-surat-news
  • મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને મોરારીબાપુ સહિતના મહાનુભાવોના આશીર્વાદ સાથે દીકરીઓને પિતાનો સાથ અને પતિનો હાથ મળ્યો
  • ૨૦૧૧ થી અવિરત પ્રજ્વલિત થયેલો આ લગ્નોત્સવનો સેવાયજ્ઞ નિઃસ્વાર્થ સેવાનું ઉત્તમ ઉદાહરણ :મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
  • સવાણી પરિવારે લગ્નોત્સવની આગવી સંસ્કૃતિ સાથે ગુજરાતી મહાજનોની સખાવતી પરંપરાને ઉજાગર કરી છે : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ
  • આ લગ્ન અને એ પછી દીકરીની જવાબદારી એ એક સાધુ કાર્ય છે – પૂજ્ય મોરારીબાપુ 
  • પર્યાવરણ સંરક્ષણના સામાજિક સંદેશ સાથે ૫૦,૦૦૦ તુલસીના છોડનું વિતરણ
  • ‘પર્યાવરણ અને અંગદાન જાગૃતિ’ના પ્લેકાર્ડ સાથે લોકોને પ્રેરિત કરાયા
  • રાજકીય મહાનુભાવો, અધિકારીઓ અને સમાજ અગ્રણીઓના હસ્તે પ્રથમ દિવસે ૫૫ દીકરીઓનું કન્યાદાન કરાયું

Today Mass Wedding in Surat :પીપી સવાણી ગ્રુપ દ્વારા આજે ‘પિયરીયું’ નામે યોજાયેલા ભવ્ય લગ્નોત્સવમાં દીકરીઓએ આજે મહાનુભાવોની હાજરીમાં પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી આ દીકરીઓ આજે પાલક પિતા તરીકે મહેશ સવાણી અને સમગ્ર પી.પી.સવાણી પરિવારની દીકરી બનીને વિદાય લીધી હતી. લગભગ ૫૨૭૫ દીકરીઓના પિતા બની તમામ જવાબદારી નિભાવતા મહેશ સવાણીના સાથની સાથે આ દીકરીઓને પતિનો હાથ અને સાસરીની છાયા મળી છે. આ અવસરને વધાવવા અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા અને એમણે દીકરીઓનું કન્યાદાન પણ કર્યું હતું.

પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે શનિવારની સાંજે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, રાજ્ય સાકરના મંત્રીશ્રી મુળુભાઈ બેરા, હર્ષભાઈ સંઘવી, પ્રફુલ્લભાઇ પાનસેરિયા, નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, જનકભાઈ તળાવીયા, મેયર દક્ષેશ માવાણી જેવા રાજકીય મહાનુભાવોની સાથે સંતો પૂજ્ય મોરારીબાપુ, પૂજ્ય સત સ્વામી, પૂજ્ય ઇન્દ્રભારતી બાપુ, પૂજ્ય નૌતમ સ્વામી, પૂજ્ય શેરનાથ બાપુ, પૂજ્ય સંતોષનાથ બાપુ, પૂજ્ય ગીરી બાપુ, પૂજ્ય પીપી સ્વામી જેવા સંતની સાથે આઇમા પૂજ્ય દેવળમા પૂજ્ય દિપાલી દીદી, પણ આશીર્વાદ આપવા પધાર્યા હતા.

સ્વાગત પ્રવચન મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે આ સમારોહ એ સમૂહ લગ્ન નથી આ મારી દીકરીઓના લગ્ન છે. એક પિતા તરીકે હું જયારે દીકરીઓના અભ્યાસ, આરોગ્ય સહીતની જવાબદારી ઉઠાવું છું એમ જ લગ્નની જવાબદારી એક પિતા તરીકે નિભાવું છું. મારી દીકરીને કરિયાવરમાં હું બાપ તરીકેની જવાબદારી આપું છું.

આ પ્રસંગે પી.પી. સવાણી ગ્રુપના શ્રી મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, આ સમારોહ એ સમૂહ લગ્ન નથી આ મારી દીકરીઓના લગ્ન છે. એક પિતા તરીકે હું જયારે દીકરીઓના અભ્યાસ, આરોગ્ય સહીતની જવાબદારી ઉઠાવું છું એમ જ લગ્નની જવાબદારી એક પિતા તરીકે નિભાવું છું. મારી દીકરીને કરિયાવરમાં હું બાપ તરીકેની જવાબદારી આપું છું.બે દીકરીઓથી શરૂ કરેલો લગ્નોત્સવ આજે ૧૬મો લગ્ન સમારોહ યોજાઈ રહ્યો છે. આ સમૂહલગ્ન નહીં, પણ લગ્નોત્સવ છે. કારણ કે કોઈ પરિવારમાં જેમ મહેંદી રસમ, મંડપમુહૂર્ત, કરિયાવર જેવી પ્રાચીન પ્રથા-રસમો યોજાય છે તેમ અહીં તમામ રસમોની ઉજવણી કરવામાં આવે છે. સમારોહના માધ્યમથી પિતા તરીકેની જવાબદારી વહન કરવાનું કાર્ય કર્યું છે.

દીકરીઓને શિખામણ આપતા મહેશભાઈએ કહ્યું કે, સૌને સાથે રાખીને પરિવારને એક તાંતણે બાંધી રાખજે. સૌને સાથે રાખી એક અને નેક બની પરિવારની તમામ જવાબદારીઓ અને દામ્પત્યજીવનને ઉજાળજે.હજારો દીકરીઓના પાલક પિતા શ્રી મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, અમે માત્ર કન્યાદાન કરી ને કે કરિયાવર આપતા નથી, પણ પિતાની જવાબદારી હું નિભાવું છું. કોઈ જમાઈનું અવસાન થાય તો દીકરીને આજીવન મહિને રૂ.૧૦ હજારની આર્થિક સહાય આપીએ છીએ.

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલએ પ્રાસંગિક ઉદબોધનમાં સવાણી પરિવારની સેવાભાવનાને બિરદાવતા જણાવ્યું કે, છેલ્લા ૧૬ વર્ષથી દીકરીના લગ્ન કરીને નહીં, પણ પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણી આ વર્ષે ૫૨૭૪ દીકરીના પિતા બની ગયા છે. વર્ષ ૨૦૧૧ થી અવિરત પ્રજ્વલિત થયેલો આ લગ્નોત્સવનો સેવાયજ્ઞ નિઃસ્વાર્થ સેવાનું ઉત્તમ ઉદાહરણ છે. પોતે કમાઈને પોતે ખાવું એ પ્રકૃતિ છે, અન્યએ કમાયેલું ખાવું એ વિકૃતિ છે, પરંતુ પોતે કમાઈને અન્યને ખવડાવવું એ સંસ્કૃતિ છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ અર્જિત કરેલી સદ્દસંપત્તિને સામાજિક સેવા તેમજ પિતાવિહોણી દીકરીઓના જીવનમાં નવા રંગો પૂરવાની આગવી સંસ્કૃતિ એ ગુજરાતી મહાજનોની સખાવતી પરંપરાને ઉજાગર કરી છે.

તેમણે જણાવ્યું કે, પિતાવિહોણી દીકરીઓના લગ્નના આ વિશિષ્ટ કાર્યમાં અનોખી સંવેદનશીલતાની પ્રતિતી થાય છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, છેલ્લા ૧૩ વર્ષમાં લગ્ન થયેલી પિતા વિહોણી દીકરીઓને પિતાની ઓછપ ન લાગે, પિતાની ખોટ ન વર્તાય એવી કાળજી અને જવાબદારી તેમજ લગ્ન બાદ પણ મહેશભાઈ દ્વારા દીકરીઓની સગા પિતા માફક આજીવન કાળજી લેવાના ઈશ્વરીય કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા.

‘જેનું કોઈ નહીં એનો સવાણી પરિવાર’ તેમજ ‘પિતા વિનાની પુત્રીઓના પિતા એટલે મહેશભાઈ’ એવી ઓળખ બની ગઈ છે. આ સમરસતા, સંવેદના અને એકતાની ભાવના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પનાને સાકાર કરે છે. એટલું જ નહીં, લગ્નમાં ૫૦,૦૦૦ તુલસીના છોડનું વિતરણ એ સામાજિક કાર્યો સાથે પર્યાવરણ સંરક્ષણની ઉદાત્ત સંવેદનાના દર્શન કરાવે છે એમ જણાવી ૫૨૭૪ દીકરીઓના પાલક પિતા બનેલા મહેશભાઈને શુભેચ્છા પાઠવી હતી.

વિશ્વ વંદનીય સંત પૂજ્ય મોરારીબાપુ જણાવ્યું હતું કે, મહેશભાઈ એ કાસ્ટને નહિ પણ રાષ્ટ્રને મહત્વ્ય આપ્યું છે. એટલે જ દરેક ધર્મ અને જ્ઞાતિની દીકરી એમના આંગણેથી પરણી છે. બાપ તરીકે દીકરીની દેખભાળ રાખી તેમનાં સંતાનની અને એમના શિક્ષણ, આરોગ્યની સંભાળ છે એ મારા માટે સુખદ આશ્ચર્ય થયું છે. નવદંપતીને સમ્પન્ન અને પ્રસન્ન રહેવાના આશીર્વાદ આપ્યા હતા. એમને જણાવ્યું હતું કે આપણે ત્યાં ચાર ફેરાની પરંપરા છે એમાં સત્ય-પ્રેમ-કરુણા ભેળવી દઈએ તો સાત ફેરા થાય.

આ પ્રસંગે પર્યાવરણ સંરક્ષણના સામાજિક સંદેશ સાથે દરેક મહેમાનોને કુલ ૫૦,૦૦૦ તુલસીના છોડનું વિતરણ સાથે પર્યાવરણ અને અંગદાન જાગૃતિ’ના પ્લેકાર્ડથી લોકોને પ્રેરિત કરાયા હતા. આજે પ્રથમ દિવસે ૫૫ દીકરીઓની વિદાય લીધી હતી. આવતીકાલે રવિવાર ૧૫મી તારીખે બીજી ૫૬ દીકરીઓ વિદાય લેશે. 

ત્રણ વિશ્વ રેકોર્ડ નોંધાયા

ગોલ્ડન બુક ઓફ રેકોર્ડના પ્રતિનિધિએ હાજર રહીને આજે પિયરીયુંમાં ત્રણ વિશ્વ રેકોર્ડ નોંધાયાની જાહેરાત કરીને રેકોર્ડના સર્ટીફીકેટ પરિવારને સંતોની હાજરીમાં એનાયત કર્યા હતા. પિયરિયું લગ્નસમારોહને પ્રતિષ્ઠિત ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. ત્રણ રેકોર્ડ પૈકી પ્રથમ રેકોર્ડ એક જ પિતા એટલે કે મહેશભાઈ સવાણી ૫૨૭૪ દિકરીઓનું કન્યાદાન કરનાર એકમાત્ર પિતા તરીકે નોંધાયા છે. એક જ સમયે એક જ કાર્યક્રમમાં ૫૦,૦૦૦ તુલસીના છોડ સામાજિક સંદેશ સાથે વિતરીત કરવાનો એક નવો રેકોર્ડ બન્યો છે. એ સાથે જ લગ્નસમારોહમાં ૩૭૦ ફૂટ લાંબુ તોરણ પણ સૌથી લાંબુ તોરણ તરીકે રેકોર્ડ બુકમાં નોંધાયુ છે. 

કન્યા વિદાયે સૌની આંખો ભીંજાઈ

આનંદ ઉલ્લાસના લગ્ન પ્રસંગમાં દીકરીની વિદાય વેળાનો પ્રસંગ હસતી આંખોને પળભરમાં આંસુથી છલકાવી દે છે. વિદાયની વસમી વેળા દીકરીના માતા – પિતા અને પરિવારનું હૈયુ હલાવી મૂકે છે. વિદાય ગીતો સાથે વિદાય પ્રસંગે દીકરીઓની આંખોમાંથી અશ્રુઓની ધારા વહી હતી. પાલક પિતા મહેશ ભાઇને ભેટીને દીકરીઓ સાસરા તરફ ડગ માંડી રહી હતી ત્યારે મહેશ ભાઈ પણ પોતાના આંસુ રોકી શક્યા ન હતા. ઉપરાંત પ્રસંગના સાક્ષી હરકોઈની આંખના ખૂણા પણ ભીના થઇ ગયા હતા.

 

Advertisement
Advertisement

 

 

 

 

Related posts

બોટાદ/ સાળંગપુરધામ ખાતે શ્રાવણ મહિના પહેલાં શનિવારે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને દિવ્ય ફ્રુટના વાધા તથા સિંહાસને 1 હજાર કિલો મિક્ષ ફળોનો શણગાર કરાયો;હજારો ભક્તોએ કર્યા દર્શન

KalTak24 News Team

જૂનાગઢ/ અનંત-રાધિકાનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન હવે ચોરવાડમાં,દાદી કોકીલાબેન સાથે સ્વ.ધીરુભાઈ અંબાણીની જન્મભૂમિ પહોંચ્યા હતા,ગ્રામજનોને ભાવપૂર્વક ભોજન કરાવ્યું

KalTak24 News Team

નડિયાદ / ભીડભંજન હનુમાનજી મંદિરે દાદા ને અનોખા પપૈયાના શણગાર કરવામાં આવ્યો; જુઓ તસવીરો

Mittal Patel
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં