April 7, 2025
KalTak 24 News
GujaratReligionબોટાદ

બોટાદ/‌ શ્રી રામ પ્રાગટ્યોત્સવ એવં શ્રીહરિ પ્રાગટ્યોત્સવ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને હજારીગલના ફુલોનો દિવ્ય શણગાર

on-the-occasion-of-shri-ram-pragatyotsav-and-shri-hari-pragatyotsav-shri-kashtabhanjandev-hanumanji-dada-was-adorned-with-divine-flowers-of-hazarigal-botad-news

Shri Kashtabhanjan Dada Photos:શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી શ્રી રામનવમી -મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીનું પ્રાગટ્ય અયોધ્યામાં ચૈત્ર સુદ-9 બપોરે 12 વાગ્યે થયું હતું. ભગવાન શ્રી રામચંદ્રજીનું સમગ્ર જીવન માણસને મર્યાદા અને ભાઈભાઈ પ્રત્યે કુટુંબ પ્રત્યે અને સમાજમાં માણસનો વ્યવહાર કેવો હોવો જોઈએ તેની સુંદર શીખ આપે છે. ત્યારે શ્રી રામ પ્રાગટ્યોત્સવ એવં શ્રીહરિ પ્રાગટ્યોત્સવ નિમિત્તે તા. 06-04-2025ને રવિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવી સવારે 05:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ. દાદાના સિંહાસનને હજારીગલના ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે.

શ્રી રામ પ્રાગટ્યોત્સવ નિમિત્તે બપોરે 12:00 કલાકે આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી. એવં શ્રીહરિ પ્રાગટ્યોત્સવ નિમિતે 10:10 કલાકે પૂજન-અર્ચન-કિર્તન-આરતી તેમજ હરિભક્તો દ્વારા રાસ-ગરબાની રમઝટ સાથે આંનદ ઉત્સવ મનાવવા આયોજન કરવામાં આવેલ. મંદિર પટાંગણમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ . શ્રી જેના દર્શન-આરતી એવં મહાપ્રસાદનો લાભ હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.

આજે હનુમાનજીને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે દાદાને પ્યોર સિલ્કના કાપડમાંથી તૈયાર થયેલા વાઘા પહેરાવ્યા છે. રામસીતા મયુર ઘાટનો મુકુટ ધરાવાયો છે. આ સાથે વડોદરાથી મંગાવેલા 200 કિલો ગલગોટા- હજારીગલના ફુલનો સિંહાસને શણગાર કરાયો છે.

 

Advertisement

Advertisement

 

 

 

 

 




Related posts

Amreli: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલીના આંબરડી સફારી પાર્કની મુલાકાતે;એશિયાટિક લાયનનું વન વિચરણ નિહાળ્યું અને ઈન્ટરપ્રિટેશન સેન્ટરની ગતિવિધિઓનું કર્યું નિરીક્ષણ

KalTak24 News Team

આજનું રાશિફળ/ 16 ઓગસ્ટ 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં