September 20, 2024
KalTak 24 News
PoliticsGujarat

દક્ષેશ માવાણી બન્યા સુરતના નવા મેયર,જાણો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોને બનાવાયા ?

Surat New Mayor
  • સુરતના નવા મેયરના નામની જાહેરાત
  • નવા મેયર તરીકે દક્ષેશ માવાણીની નિયુક્તિ
  • સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે રાજન પટેલની પસંદગી

Surat News: અમદાવાદ અને વડોદરા બાદ હવે સુરતના નવા મેયરના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. દક્ષેશ માવાણી સુરતના નવા મેયર બન્યા છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નરેશ પાટીલની નિમણૂંક કરવામાં આવી છે. મહત્વનું છે કે સુરત મનપાની અઢી વર્ષની ટર્મ સોમવારે પૂર્ણ થતાં મંગળવારે સવારે સરદાર સભાગૃહ ખાતે ખાસ સભા બોલાવવામાં આવી હતી. જેમાં હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે.

સુરત મહાનગર પાલિકાની અઢી વર્ષની ટર્મ પૂરી થતા આજે મેયર, ડે.મેયર અને સ્થાયી સમિતિના ચેરમેનના નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સુરતના નવા મેયર તરીકે દક્ષેશ માવાણીની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ડે.મેયર તરીકે નરેન્દ્ર પાટીલ, સ્થાયી સમિતિ ચેરમેન તરીકે રાજન પટેલ, શાસક પક્ષ નેતા તરીકે શશીબેન ત્રિપાઠી અને દંડક તરીકે ધર્મેશ ધર્મેશ વણીયાવાળાના નામોની જાહેરાત કરવામાં આવી છે.

5e8f4a02597f92a0e8913c58830d20b7169449410563474 original

આજે ભાજપ શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા પક્ષ દ્વારા આપવામાં આવેલા મૅન્ડેટને લઈને સરદાર સભાગૃહ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ભાજપના તમામ કોર્પોરેટરો સાથે સંકલન બેઠક કરી હતી. જે બાદ મૅન્ડેટ થકી મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને દંડકના નામો જાહેર કર્યા હતા.

5caaed686e06a32ae1a998e36bb5b8db169449408616474 original

સુરતના વિકાસ માટે કામ કરીશુંઃ નવા મેયર
મેયર તરીકે દક્ષેશ માવાણીનું નામ જાહેર કરાયા બાદ તેઓએ જણાવ્યું કે, અમે સુરતના મહત્વના કામોને વેગ આપીશું, સુરતના સર્વાંગી વિકાસ માટે તન-મન-ધનથી કામ કરીશું. દક્ષેશ માવાણીએ કહ્યું કે, સુરતમાં તાપી રિવરફ્રંટ મુખ્ય કામ રહેશે. સુરત મનપા સ્ટેન્ડિંગ કમિટીના નવા ચેરમેન રાજન પટેલે મીડિયા સાથેની વાતચીત દરમિયાન પાર્ટીનો આભાર માન્યો. તેઓએ કહ્યું કે, ભાજપમાં જ કાર્યકર વોર્ડના કાર્યકરથી મોટા હોદ્દા પર આવી શકે છે. સુરત શહેરનો નંબર વન જાળવી રાખવો છે. 

સુરતના નવા મેયર દક્ષેશ માવાણી
સુરતના નવા મેયર દક્ષેશ માવાણી

સુરત મનપાના હોદ્દેદારોની નિમણૂંક
– સુરત મેયરઃ દક્ષેશ માવાણી
– ડે.મેયરઃ નરેશ પાટીલ
– શાસક પક્ષના નેતાઃ શશીબેન ત્રિપાઠી
– સુરત મનપાના દંડકઃ  ધર્મેશ વણીયાવાળા
– સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનઃ રાજન પટેલ

 

 

Related posts

ગુજરાત/ લોકસભાની ચૂંંટણી પહેલા વધુ એક ધારાસભ્યનું રાજીનામુ,આ અપક્ષ MLA વિધિવત રીતે ફરીથી જોડાશે ભાજપમાં..,VIDEO

KalTak24 News Team

બોટાદ/ સાળંગપુરધામ ખાતે શુક્રવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને વિવિધ ફળનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો, હજારો ભક્તોએ કર્યા દર્શન;જાણો ક્યાંથી મંગાવ્યા છે વિશેષ ફળ..,જુઓ ફોટોઝ

KalTak24 News Team

Ahmedabad Flower Show: આજથી વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ 2024નો પ્રારંભ, આ તારીખ સુધી નિહાળી શકાશે, જાણો શું રહેશે ટિકિટ દર

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી