September 20, 2024
KalTak 24 News
Entrainment

BIG BREAKING / અભિનેત્રી મલાઈકા અરોરાના પિતાએ છત પરથી કૂદીને કરી આત્મહત્યા,એક્ટ્રેસ પુણેથી મુંબઈ આવવા રવાના;કારણ અકબંધ

Malaika Arora Father Death

Malaika Arora Father Death: બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ મલાઈકા અરોરાના પિતાએ આપઘાત કર્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. બુધવારે સવારે લગભગ 9 વાગ્યે આ ઘટના બની હતી.

મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ ઘરની છત પરથી કુદાવીને જીવન ટુંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં મુંબઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. પિતાની મોતથી મલાઈકા અરોરા અને તેમના પરિવારમાં શોકનો માહોલ છે. જોકે અનિલ અરોરાએ શા માટે આત્મહત્યા કરી તેનું કોઈ મુખ્ય કારણ સામે આવ્યું નથી.

આયેશા મનોર બિલ્ડિંગ જ્યાં અનિલ અરોરાનો મૃતદેહ મળ્યો હતો.

સમાચાર એજન્સી ANIના જણાવ્યા અનુસાર બુધવારે સવારે 9 વાગ્યે મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરાએ ઘરની છત પરથી કુદીને આત્મહત્યા કરી હતી. આ ઘટના બાદ પોલીસે ઘટનાસ્થળને કોર્ડન કરી દીધું છે. મલાઈકા અરોરાના એક્સ હસબન્ડ અરબાઝ ખાન પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે.

મલાઈકા અરોરાના પિતા અનિલ મર્ચન્ટ નેવીમાં ઓફિસર હતા. તેમનો જન્મ પંજાબના ફજિલ્કામાં થયો હતો. તેમણે મલયાલમ ક્રિશ્ચિયન ધર્મ સાથે જોડાયેલી જોયસ પોલીકાર્પ સાથે લગ્ન કર્યા હતા. જેનાથી તેમને બે દીકરીઓ થઈ હતી, અમૃતા અરોરા અને મલાઈકા અરોરા.

અનિલ અરોરાએ સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

અનિલ અરોરાને જુલાઈ 2023માં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

ગયા વર્ષે અનિલ અરોરાને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓના કારણે મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મલાઈકા હોસ્પિટલમાં માતા સાથે જોવા મળી હતી. જો કે તેમની ટ્રીટમેન્ટનું કારણ જાણી શકાયું નથી. એક્ટ્રેસે અગાઉ શેર કર્યું હતું કે તે માત્ર 11 વર્ષની હતી જ્યારે તેના માતા-પિતા જોયસ પોલીકાર્પ અને અનિલ અરોરાના છૂટાછેડા થયા હતા. ડિવોર્સ પછી, મલાઈકા અને તેની નાની બહેન, અમૃતાને જોયસે એકલે હાથે ઉછેર્યા હતા. ડિવોર્સ બાદ જોયસ પુત્રીઓ સાથે થાણેથી ચેમ્બુર આવી ગઈ હતી.

એક્ટ્રેસ મલાઈકા પિતા અનિલ અરોરા સાથે

અલબત્ત, વર્ષો બાદ જોયસ અને અનિલ અરોરા સાથે રહેવા લાગ્યા હતા. બંને દીકરીઓ અવાર-નવાર પેરેન્ટ્સને મળવા આવતી હતી. મલાઇકા બાંદ્રા વેસ્ટમાં એકલી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

મલાઈકા અરોરા ક્યાં હતી?

સૂત્રો પાસેથી જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે અનિલ અરોરાએ આત્મહત્યા કરી ત્યારે મલાઈકા અરોરા ઘરે ન હતી. આ ઘટના આજે, 11 સપ્ટેમ્બર, સવારે 9 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે અનિલ અરોરાએ બાંદ્રા બિલ્ડીંગમાં તેના ઘરના ધાબેથી કૂદીને આત્મહત્યા કરી હતી. મલાઈકા તે સમયે પુણેમાં હતી. ઘટનાની જાણકારી મળતા જ અભિનેત્રી મુંબઈથી પૂણે જવા રવાના થઈ ગઈ હતી.આ સમાચાર પછી ઘણા સેલેબ્સ પણ અભિનેત્રીના ઘરે પહોંચી રહ્યા છે.
comp 12 21726040524 1726040820
અરબાઝ અને સલમાન ખાનની બહેન પણ અનિલ અરોરાના ઘરે પહોંચી હતી.

આ સમાચાર સતત અપડેટ થઈ રહ્યા છે…

 

 

 

Group 69

 

 

Related posts

Kiara Advani-Sidharth Malhotra Wedding : આ વૈભવી વિલામાં સિદ્ધાર્થ અને કિયારા કરશે લગ્ન,એક રૂમનું ભાડું અધધ.. એટલા રૂપિયા?

KalTak24 News Team

દર્શિતા ઉપાધ્યાય ની સફલતા ની સીડી ચડવાની આદત સાથે EXCLUSIVE વાત

Sanskar Sojitra

Anant Ambani and Radhika Merchant Wedding/ અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના લગ્નની તારીખ સામે આવી,મુંબઈના આ ખાસ સ્થળે ફેરા ફરશે કપલ;જાણો મહત્ત્વની જાણકારી

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી