September 20, 2024
KalTak 24 News
International

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઇ મોરેશિયસ સરકારની મોટી જાહેરાત,હિન્દુ કર્મચારીઓને 22 જાન્યુ.એ મળશે આટલાં કલાકનો વિશેષ બ્રેક

Ram temple, Ayodhya (Agencies photo)
  • મોરેશિયસ સરકારનો અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠાને લઇ મોટો નિર્ણય 
  • મોરેશિયસ દેશમાં 22 જાન્યુઆરીએ તમામ કર્મચારીઓને 2 કલાકની છુટ્ટી 
  • મોરેશિયસ દેશના પ્રધાનમંત્રી પ્રવિણ કુમારની જાહેરાત 
  • તમામ કર્મચારીઓને બપોરે 2થી 4 કલાક દરમિયાન અપાશે છુટ્ટી 
  • મોરેશિયસમાં 70 ટકાથી વધુ  લોકો ભારતીય મૂળના

Mauritius Government: આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશ-વિદેશમાં ભારે ઉત્સાહનો માહોલ છે. દુનિયાભરમાં ફેલાયેલા હિન્દુ આસ્થાવાળા લોકો આ દિવ્ય અને ભવ્ય કાર્યક્રમની ઉજવણી કરશે. આ બધા વચ્ચે એક વિદેશી સરકારે મહત્વની જાહેરાત કરી છે. જે હેઠળ 22 જાન્યુઆરીના રોજ હિન્દુ આસ્થાવાળા અધિકારીઓને 2 કલાકનો ખાસ બ્રેક આપવામાં આવશે. આ દરમિયાન તેઓ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાના અવસરે થનારા સ્થાનિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકશે. 

મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદકુમાર જગન્નાથના નેતૃત્વમાં મોરેશિયસની કેબિનેટે શુક્રવારે એક અધિકૃત નિવેદન બહાર પાડ્યું. જેમાં કહેવામાં આવ્યું છે કે કેબિનેટે 22 જાન્યુઆરીના રોજ સોમવારે બપોરે 2 વાગ્યાથી 2 કલાકની ખાસ રજા આપવા પર સહમતિ વ્યક્ત  કરી છે. ભારતમાં અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ધાટનને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી કરીને હિન્દુ આસ્થાના સાર્વજનિક અધિકારીઓ 22 જાન્યુઆરીના રોજ 2 કલાકની ખાસ રજા પર રહેશે. નિવેદનમાં એ વાતનો પણ ઉલ્લેખ છે કે આ એક ઐતિહાસિક ઘટના છે કારણ કે તે અયોધ્યામાં ભગવાન રામની વાપસીનું પ્રતિક છે. 

Ayodhya%20Ram%20Mandir%20

જણાવી દઈએ કે, પીએમ મોદી 22 જાન્યુઆરીના રોજ નવનિર્મિત ભવ્ય મંદિરની અંદર રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવાના છે. આ પ્રસંગે દેશ-વિદેશથી ઘણા લોકો સામેલ થવાના છે. અયોધ્યામાં 16 જાન્યુઆરીથી રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની વૈદિક વિધિ શરૂ થશે.શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે 22 જાન્યુઆરીના રોજ બપોરે રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલાને બિરાજમાન કરવાનો નિર્ણય લીધો છે.

 

 

Group 69

 

 

Related posts

મોટા સમાચાર/ કેનેડામાં રહેતા વિદ્યાર્થીઓ અને નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી,વિદેશ મંત્રાલયે કહ્યું- વિનંતી છે, અત્યંત સાવધાની રાખજો

KalTak24 News Team

કરુણ ઘટના: ઓસ્ટ્રેલિયામાં કાર અકસ્માતમાં ગુજરાતની પટેલ યુવતીનું કરુણ મોત,બે મહિના પહેલા અભ્યાસ માટે ગઈ હતી યુવતી

Sanskar Sojitra

Google ગુજરાતમાં ગ્લોબલ ફિનટેક સેન્ટર ખોલશે, PM મોદીને મળ્યાં બાદ CEO સુંદર પિચાઈએ કરી જાહેરાત

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી