April 7, 2025
KalTak 24 News
Gujarat

BREAKING NEWS/ અમરેલી પંથકમાં ધરા ધ્રૂજી : શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આચંકો અનુભવાયો, લોકો ઘરની બહાર દોડી આવ્યા

  • Amreli જિલ્લામાં ભૂકંપનો આંચકો અનુભવાયો
  • ધારી ગીર, ખાંભા ગીર, લાઠી, લીલીયામાં આંચકા અનુભવાયા
  • સાવરકુંડલા સુધી ભૂકંપનો આંચકો અનુભવાયો

Earthquake in Amreli : અમરેલીમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મળતી માહિતી અનુસાર, ધારીથી 16 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. ભૂકંપનો આંચકો 5:16 મિનિટે આવ્યો હતો. જેની પુષ્ટિ ગાંધીનગર સિસ્મોલોજિ ડિપાર્ટમેન્ટે કરી છે. અમરેલી શહેર સહિત આસપાસના સાવરકુંડલા સહિતના ત્રણ તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ થોડી સેકન્ડ માટે અવાજની સાથે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આજે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. અમરેલી, સાવરકુંડલા, રાજુલા, ખાંભા સહીતના વિસ્તારોમાં ભુકંપનો આંચકો આવ્યો હતો. 3.7ની તિવ્રતા ધરાવતો આંચકો આવતા જ ભેદી અવાજ સાથે ધરતી ધૃજી હતી. જેને પગલે લોકોમાં ફફડાટ ફેલાયો હતો. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ અમરેલીથી 41 કિમી દૂર નોંધાયું છે.

જાનહાનિ કે નુકસાની થઈ નથી : સિસ્મોલોજિસ્ટ

સિનિયર સિસ્મોલોજિસ્ટે સંતોષકુમાર કહ્યું કે, ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે (Gandhinagar Seismology Department) 3.7 નો આંચકો હોવાની માહિતી આપી છે.જાનહાનિ કે કોઈ નુકસાની થઈ નથી. ભુકંપના અનેક કારણો હોય છે. ભારે વરસાદને કારણે પણ ભુકંપ આવ્યો હોવાની શક્યતા હોઈ શકે. સાથે જ કોઈ સેક્શન એક્ટિવ હોવાના કારણે ભુકંપ આવ્યો હોઈ શકે છે. હજુ આફ્ટર શોક પણ આવી શકે છે. આ મેગ્નિટ્યૂડમાં કોઈ નુકસાનની શક્યતા નથી. સદનસીબે અત્યાર સુધી ભૂકંપનાં કારણે કોઈ નુકસાનનાં સમાચાર સામે આવ્યા નથી.

ધારી ગીર, ખાંભા ગીર, લાઠી, લીલીયામાં આંચકા અનુભવાયા

એક તરફ જ્યાં સમગ્ર રાજ્યમાં દિવાળીની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. લોકો દિવાળી નિમિત્તે ખરીદી કરી રહ્યા છે. દરમિયાન, અમરેલી (Amreli) જિલ્લામાં ધરા ધ્રૂજી છે. માહિતી મુજબ, ધારી ગીર પંથક, ખાંભા ગીર પંથક, લાઠી, લીલીયા, સાવરકુંડલા સુધીનાં વિસ્તારોમાં ભૂકંપનો આંચકો (Earthquake) અનુભવાતા લોકોમાં ડર ફેલાયો હતો. અંદાજે સાંજનાં 5.16 કલાકે અમરેલી જિલ્લાની ધરતી ધ્રુજી હોવાની પ્રાથમિક માહિતી છે.

ધારીથી 16 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોધાયું

ધારીથી 16 કિમી દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોધાયું  નોંધાયું છે. જેમાં ખાસ કરીને સાવરકુંડલા અને ધારીમાં જ આ ભૂકંપનો વધારે અનુભવ થયો છે. ઉપરાંત અમરેલી સિવાય પણ ગીર સોમનાથ તેમજ જૂનાગઢમાં આ ભૂકંપના આંચકાઓનો અનુભવ થયો છે. જેને લઈને અન્ય જિલ્લાના લોકોમાં પણ ભયનો માહોલ તો ફેલાયો જ છે. આ ભૂકંપની તિવ્રતા 3.7 ની હોવાનું સામે આવ્યું છે. જેથી વધારે કોઈ નુકસાનના સમાચાર હજુ સામે નથી આવ્યા.

ભૂકંપને લઈને લોકોમાં ફેલાયેલો ભયનો માહોલ

ઉલ્લેખનીય છે કે રવિવારનો સમય હતો, લોકો ઘરમાં જ હતા અને અચાનકથી જ્યારે ભૂકંપની ઝાટકાઓ આવ્યા ત્યારે લોકો સમજી ન શક્યા પહેલા તો આખરે થઈ શું રહ્યું છે. જોકે બાદમાં લોકોને ખ્યાલ આવ્યો કે આ ભૂકંપની ઝટકાઓ છે. ત્યારે લોકો પહેલા ઘરની બહાર નીકળ્યા હતા. અમરેલીના સાવરકુંડલા અને ધારીમાં આ ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે. જ્યારે જૂનાગઢ અને ગીર સોમનાથમાં પણ આ ભૂકંપના ઝટકાઓનો અનુભવ થયો છે. જોકે આ ભૂકંપમાં કોઈની જાનમાલના નુકસાન થયું હોવાનું હજુ નથી સામે આવ્યું.

ભૂકંપ આવે તે પહેલા, ભૂકંપ આવે ત્યારે અને ભૂકંપ પછી શું કરવું ?

VIDEO: સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં ધરા ધ્રૂજી: અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ 3 - image

કેટલી તીવ્રતાનો ભૂકંપ સામાન્ય અને ગંભીર ગણાય?

VIDEO: સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં ધરા ધ્રૂજી: અમરેલી, ગીર સોમનાથ અને રાજકોટમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ 4 - image

 

 

 

Advertisement
Advertisement

 

 

 

 

Related posts

CM ભુપેન્દ્ર પટેલે દક્ષિણ ગુજરાતની સ્થિતિનો મેળવ્યો તાગ,જિલ્લા કલેક્ટરોને આપી મહત્વની સૂચના

KalTak24 News Team

Sarthana Nature Park: સુરતના સરથાણા નેચર પાર્કમાં ત્રણ વર્ષમાં 25 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી, એક જ સ્થળે જોવા મળે છે 54 જાતના પ્રાણીઓ

Mittal Patel

જામકંડોરણાના શહીદ અગ્નિવીર જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ અંતિમ વિદાય, કેન્દ્રીય મંત્રી,ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકોએ આપી શ્રદ્ધાંજલિ

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં