September 21, 2024
KalTak 24 News
Gujarat

સુરતમાં શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ ફૂડ સ્ટોલો પર સરપ્રાઇઝ ચેકિંગ,ખાધપદાર્થના સેમ્પલ લેબમાં મોકલ્યા

surat food checking 1 20 june 24

Surat News: સુરત શહેરમાં શૈક્ષણિક સંસ્થાઓની આજુબાજુમાં આવેલા ફૂડ સ્ટોલો ઉપર મનપાના ફૂડ ઈન્સ્પેક્ટરો, એફએસએલ અધિકારી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આરોગ્યને નુકશાન કારક ખાદ્યપદાર્થનું વેચાણ થાય છે કે કેમ તે અંગે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

62 શૈક્ષણિક સંસ્થાઓ આસપાસ ચેકિંગ

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના કર્મચારી-અધિકારીઓ સાથે સુરત પોલીસના ડીસીપી, એસીપી અને પીઆઇ કક્ષાના અધિકારી શૈક્ષણિક સંસ્થાઓની બહાર ફૂડ સ્ટોલ પર સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. સુરતની 62 શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ આવેલા 129 ફૂડ સ્ટોલો ઉપર SMCના ફુડ ઇન્સ્પેકટરો, FSL અધિકારીઓને સાથે રાખી આરોગ્યને નુકસાનકારક ખાધપદાર્થનું વેચાણ થાય છે કે કેમ? તે અંગે સરપ્રાઇઝ ચેકિંગનું આયોજન કરવામાં આવ્યું છે. ચેકિંગ ડ્રાઇવ અંગેની કામગીરી DCP-4, ACP/PI/PSI–40, પોલીસ કર્મચારી 250, SMCના ફુડ ઇન્સ્પેકટર 15 અને FSL ટિમ 1 દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.

ki 1718874121

સ્ટોલ પરથી ફૂડના સેમ્પલ લઈ લેબમાં મોકલ્યા

આ સમગ્ર મામલે DCP વિજયસિહ ગુર્જરએ જણાવ્યું હતું કે આજે સુરત શહેરમાં સુરત પોલીસ અને મહાનગરપાલિકાના અધિકારીઓ સંયુક્ત મળીને શૈક્ષણિક વિભાગના બહાર ફૂડ સ્ટોલ પર સરપ્રાઇઝ ચેકિંગ કરી રહ્યા છે. 129 જેટલા સ્ટોલ પર ચેકિંગ હાથ ધરાઈ છે. સ્ટોલ પરથી સેમ્પલ લઇ લેબમાં મોકલવામાં આવ્યા છે. આ ફૂડ સ્ટોલ પર આરોગ્ય લક્ષી વસ્તુઓ વાપરવામાં આવે છે કે નહીં તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સેમ્પલોને લેબમાં મોકલવામાં આવશે અને અને જો કોઈ ખાવાની વસ્તુઓમાં કોઈ એવું મટીરીયલ્સ મળશે કે જે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય માટે યોગ્ય ના હોય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આજે પુરા શહેરમાં 129 જેટલી જગ્યા પર એક સાથે ટીમો બનાવીને સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

 

Group 69

 

 

Related posts

PAAS દ્વારા સુરતમાં આગામી 28 ઓગસ્ટે તિરંગા પદયાત્રા,ક્રાંતિ ચોકથી નીકળીને સરદાર પ્રતિમા માનગઢ ચોક ખાતે થશે સંપન્ન

Sanskar Sojitra

સુરત/ પી.પી સવાણી CBSE સ્કુલના ધોરણ 10 ના વિદ્યાર્થીઓ ચમક્યા,55 વિદ્યાર્થીઓનો મેળવ્યો A1 ગ્રેડ

KalTak24 News Team

વલસાડમાં બની મોહાલી જેવી શરમજનક ઘટના, રસોયાએ વિદ્યાર્થિનીઓના નાહતા વિડીયો ઉતાર્યા

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી