April 7, 2025
KalTak 24 News
Gujarat

Dilip Gohil : ગુજરાતના જાણીતા અને વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલનું થયું નિધન,ભાવનગરની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા, પત્રકાર જગતમાં શોક

Senior-journalist-Dilip-Gohil-passed-away-breathed-his-last-while-undergoing-treatment-at-a-hospital-in-Bhavnagar

Bhavnagar News: ગુજરાતના વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલનું નિધન થયું છે. આજે વહેલી સવારે તેમણે ભાવનગરની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. દિલીપભાઈની અણધારી વિદાઈથી ગુજરાતના પત્રકારત્વ જગતને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. દિલીપ ગોહિલ છેલ્લાં એક અઠવાડિયાથી ભાવનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. લાંબી માંદગી બાદ તેમના આકસ્મિક મોતના સમાચાર આવતા પત્રકાર જગતમાં શોકની લાગણી ફેલાઈ છે.

સ્પષ્ટ વક્તા અને સટીક વિશ્લેષકની છાપ ધરાવતા દિલીપભાઈ ફાની દુનિયાને છોડી ગયા. કોઈ પણ વિષયમાં તર્કબદ્ધ દલીલ કરવી એ જ તેમની ઓળખ હતી. ખોટાને ખોટું કહેતા પણ દિલીપભાઈ ક્યારેય ડર્યા નથી. ચર્ચામાં સામે વાળા વ્યક્તિને પણ હસતા મુખે સ્વીકારવી પડે તેવી દલીલો કરતા.દિલીપભાઈના વિશ્લેષણથી જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરતા.દિલીપભાઈની અણધારી વિદાઈથી ગુજરાતના પત્રકારત્વ જગતને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના. KalTak24 NEWS પરિવાર તરફથી દિલીપભાઈ ગોહિલને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ… 

મળતી માહિતી મુજબ, વરિષ્ઠ પત્રકાર દિલિપ ગોહિલને થોડાક દિવસ પહેલાં સામાન્ય શરદી-ઉધરસ થઈ હતી. જે બાદ તેઓ 19મીજાન્યુઆરીએ આરામ કરવા માટે રાજુલા ગયા હતા. જે બાદ તેમની તબિયત બગડતા તેમને ભાગવનગરની બજરંગદાસ બાપા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ગઈકાલે તેમની તબિયતમાં સુધારો પણ હતો અને રિપોર્ટ પણ નોર્મલ હતા. આ પછી અચાનક રાત્રે તેમની તબિયત વધુ બગડી હતી અને રાત્રે 12.30 વાગ્યે તેમને અંતિમ શ્વાસ લીધા હતા. ઉલ્લેખનીય છે કે, દિલિપભાઈ ગોહિલના અંતિમ સંસ્કાર રાજુલા ખાતે કરવામાં આવશે.

અગ્ર ગુજરાતના શિલ્પી અને વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલ (ઉમર 60)નું તારીખ 27 જાન્યુઆરીની મોડી રાત્રે ભાવનગરમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન હૃદય બંધ પડી જતાં અવસાન થયું છે. થોડા દિવસ પહેલાં વાયેલ ઇન્ફેક્શન થયું હતું. રાજકોટમાં એમને તાવ આવેલો બાદમાં વતન રાજુલામાં તબિયત વધુ બગડતા ભાવનગર બજરંગદાસ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં વધુ તબિયત બગડીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ઘનિષ્ઠ સારવાર પછી તબિયત સ્થિર થઈ પણ 27ની રાત્રે તબિયતે ઉથલો માર્યો અને મોડી રાત્રે એમણે દુનિયાને અલવિદા કરી હતી. દિલીપના પરિવારમાં પત્ની ચંદ્રિકાબેન , પુત્ર કુણાલ , પુત્રી કુંજ છે.

દિલીપની પત્રકારત્વમાં ત્રણ દાયકાની તેજસ્વી કારકિર્દી રહી છે. પ્રિન્ટથી માંડી ડિજિટલ મીડિયા સુધી એમણે કામ કર્યું હતું. બહુ સારા અનુવાદક અને કવિ પણ હતા. રાજકોટ, મુંબઇ, દિલ્હી, હૈદરાબાદ, અમદાવાદમાં વિવિધ અખબારો ,સામાયિક, ટીવી ચેનલ, વેબસાઈટ માટે તેમણે કામ કર્યું હતું. એમની નીચે ઘણા બધા પત્રકારોનું ઘડતર થયું છે. એ ટેકનોલોજીના પણ અચ્છા જાણકાર હતા. શ્રેષ્ઠ સંપાદક ને ઉમદા માનવી હતા. રાજકીય સમીક્ષક તરીકે એમની નોખી ભાત રહી હતી. કર્મઠ ને નિષ્ઠાવાન , નિડર પત્રકારની વિદાયથી ગુજરાતી પત્રકારત્વને ખોટ તો પડી છે.

 

 

 

 

Related posts

સુરત/ ગણેશજીની મૂર્તિ પર પથ્થરમારા બાદ સૈયદપુરામાં ગેરકાયદેસર મિલકતો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું; જાણો સમગ્ર મામલો

KalTak24 News Team

PM મોદી આવતીકાલે 3400 કરોડના ખર્ચે તૈયાર થયેલ વિશ્વની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ સુરત ડાયમંડ બુર્સનું કરશે ઉદ્ઘાટન…

KalTak24 News Team

અમદાવાદ/ સિવિલ કોર્ટે ગાયિકા કિંજલ દવેને કેમ ફટકાર્યો એક લાખ રૂપિયાનો દંડ ?,જાણો શું છે સમગ્ર કેસ

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં