April 8, 2025
KalTak 24 News
Gujarat

સુરત/ ડો.અંકિતા મુલાણીને “ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર – ૨૦૨૩” એવોર્ડ થી કરાશે સન્માનિત,કયારે યોજાનાર છે આ કાર્યક્રમ?

Dr. Ankita Mulani honored with Cultural Warrior Award

Honored with Gujarat Cultural Warrior Award: સોશિયલ મીડિયા તેમજ સ્કૂલ-કોલેજ કે જાહેર કાર્યક્રમમાં વક્તા તરીકે જાણીતા બનેલા સુરતના લેખિકા ડો.અંકિતાબેન મુલાણીની ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય એકાદમી અને સેવ કલ્ચર સેવ ઇન્ડિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે “ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર – ૨૦૨૩” અંગે પસંદગી કરવામાં આવી છે.મુખ્યમંત્રી દ્વારા એક લાખનો પુરસ્કાર અને સ્મૃતિચિહન એનાયત કરાશે.

સાંસ્કૃતિક મૂલ્યોના સંરક્ષણ અને સંવર્ધન માટે અને સદાચારની રક્ષા માટે ગુજરાત રાજ્ય રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા સમાજ રત્નોને સન્માનિત કરાય છે.જેમાં મૂળ ભાવનગર જિલ્લાના મુલાણી ના સમઢીયાળા ગામની વતની અને હાલ સુરત રહેતા ડો.અંકિતાબેન મુલાણી સોશિયલ મીડિયા,જાહેર કાર્યક્રમમાં સ્ટેજ ઉપરથી મા-બાપ,પરિવાર,તહેવાર,સત્ય ઘટનાઓ,વિદ્યાર્થીઓ શિક્ષણજગત,પ્રકૃતિ અને શૂરવીરતા સહિતના અનેક વિષય ઉપર કંઈક ને કંઈક લખાણ કે પ્રવચન કરે છે.ઉપરાંત ડો.અંકિતાબેન મુલાણીએ વારસદાર અને ત્રણ ગાયકાની જિંદગી એમ બે પુસ્તકો લખ્યા છે.

મોટીવેટર ડો.અંકિતાબેન મુલાણીને આગામી તારીખ 29 ઓક્ટોબરના રોજ અમદાવાદ ખાતે રાજ્ય સરકાર દ્વારા યોજાનારા કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર અને એક કલાક રૂપિયાનો પુરસ્કાર સાથે સન્માનિત કરવામાં આવશે.જે સુરત શહેર અને પટેલ સમાજ માટે ગૌરવપ્રદ બાબત બની રહેશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related posts

ગુજરાતમાં કોંગ્રેસ ફરી તૂટી, ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાવાની શક્યતા

KalTak24 News Team

પ્રયાગરાજ મહાકુંભમાં શરૂ કરાયેલ વડતાલ સ્વા.મંદિરના ભંડારામાં ૨.૩૦ લાખથી વધુ શ્રધ્ધાળુઓએ પ્રસાદનો લાભ લીધો

Sanskar Sojitra

શરમજનક / લાઠીથી સુરત આવતી ખાનગી લક્ઝરી બસના ડ્રાઈવરે ચાલુ બસે મહિલા સાથે આચર્યું દુષ્કર્મ,પુત્રને મારી નાખવાની ધમકી આપી

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં