September 21, 2024
KalTak 24 News
Gujarat

સુરત/ ડો.અંકિતા મુલાણીને “ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર – ૨૦૨૩” એવોર્ડ થી કરાશે સન્માનિત,કયારે યોજાનાર છે આ કાર્યક્રમ?

Dr. Ankita Mulani honored with Cultural Warrior Award

Honored with Gujarat Cultural Warrior Award: સોશિયલ મીડિયા તેમજ સ્કૂલ-કોલેજ કે જાહેર કાર્યક્રમમાં વક્તા તરીકે જાણીતા બનેલા સુરતના લેખિકા ડો.અંકિતાબેન મુલાણીની ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય એકાદમી અને સેવ કલ્ચર સેવ ઇન્ડિયા ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે “ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર – ૨૦૨૩” અંગે પસંદગી કરવામાં આવી છે.મુખ્યમંત્રી દ્વારા એક લાખનો પુરસ્કાર અને સ્મૃતિચિહન એનાયત કરાશે.

સાંસ્કૃતિક મૂલ્યોના સંરક્ષણ અને સંવર્ધન માટે અને સદાચારની રક્ષા માટે ગુજરાત રાજ્ય રમતગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા સમાજ રત્નોને સન્માનિત કરાય છે.જેમાં મૂળ ભાવનગર જિલ્લાના મુલાણી ના સમઢીયાળા ગામની વતની અને હાલ સુરત રહેતા ડો.અંકિતાબેન મુલાણી સોશિયલ મીડિયા,જાહેર કાર્યક્રમમાં સ્ટેજ ઉપરથી મા-બાપ,પરિવાર,તહેવાર,સત્ય ઘટનાઓ,વિદ્યાર્થીઓ શિક્ષણજગત,પ્રકૃતિ અને શૂરવીરતા સહિતના અનેક વિષય ઉપર કંઈક ને કંઈક લખાણ કે પ્રવચન કરે છે.ઉપરાંત ડો.અંકિતાબેન મુલાણીએ વારસદાર અને ત્રણ ગાયકાની જિંદગી એમ બે પુસ્તકો લખ્યા છે.

મોટીવેટર ડો.અંકિતાબેન મુલાણીને આગામી તારીખ 29 ઓક્ટોબરના રોજ અમદાવાદ ખાતે રાજ્ય સરકાર દ્વારા યોજાનારા કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે ગુજરાત સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર અને એક કલાક રૂપિયાનો પુરસ્કાર સાથે સન્માનિત કરવામાં આવશે.જે સુરત શહેર અને પટેલ સમાજ માટે ગૌરવપ્રદ બાબત બની રહેશે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related posts

ગુજરાત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને વિશ્વ યોગ દિવસની ઉજવણીને અનુલક્ષીને મળી ઉચ્ચસ્તરીય બેઠક

KalTak24 News Team

સુરતીઓ ઉનાળામાં આઈસ ડીશ ખાતા પહેલા ચેતી જજો,પાલિકાએ અહીંથી લીધેલા સીરપ અને ક્રીમના નમૂના ફેઈલ

KalTak24 News Team

નકલી, નકલી, નકલી…સુરતમાંથી બોગસ પાનકાર્ડ,આધારકાર્ડ,અને રેશનકાર્ડ આપતું નકલી જન સુવિધા કેન્દ્ર ઝડપાયુ- જાણો સમગ્ર મામલો

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી