February 13, 2025
KalTak 24 News
Gujarat

ગુજરાતમાં કોંગ્રેસ ફરી તૂટી, ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાવાની શક્યતા

Congress mla Chirag Patel Resigned

Congress mla Chirag Patel Resigned: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર રાજીનામાનો દોર શરૂ થયો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામા બાદ હવે કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમના પણ ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું સુપરત કરવાના એક કલાક પહેલા સુધી ચિરાગ પટેલ કોંગ્રેસના ધારાસભ્ય હોવાનો દાવો કરતા રહ્યા. આ પછી તેમણે 11 વાગે વિધાનસભા અધ્યક્ષને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. એક સપ્તાહમાં વિપક્ષના બે ધારાસભ્યોના રાજીનામાથી ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે. ખંભાત વિધાનસભા બેઠક આણંદ લોકસભામાં આવે છે. એટલું જ નહીં, વિધાનસભા મતવિસ્તાર પણ આણંદ જિલ્લામાં આવે છે.

હવે ગૃહમાં 16 ધારાસભ્યો બાકી છે
ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલના રાજીનામા બાદ રાજ્ય વિધાનસભામાં પાર્ટીના ધારાસભ્યોની સંખ્યા ઘટીને 16 થઈ ગઈ છે. એક વર્ષ પહેલા યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીએ કુલ 17 બેઠકો જીતી હતી. ચિરાગ પટેલ ભાજપના વર્તમાન ધારાસભ્ય મયુર રાવલને હરાવીને વિધાનસભા પહોંચ્યા હતા. ચિરાગ પટેલના રાજીનામા બાદ હવે આણંદ લોકસભા મતવિસ્તારની સાત વિધાનસભા બેઠકોમાંથી માત્ર આકલાવ પર જ કબજો રહ્યો છે. અહીં પક્ષના ધારાસભ્ય દળના નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ધારાસભ્ય છે.

ચિરાગ પટેલ બિઝનેસમેન છે
ચર્ચા એવી પણ છે કે, ગુજરાત કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. ચિરાગ અરવિંદ પટેલ વ્યવસાયે કોન્ટ્રાક્ટર છે. 43 વર્ષના ચિરાગ પટેલ 10મું પાસ છે. ચિરાગ પટેલ 2022માં ખંભાતથી 3711 મતથી જીત્યા હતા અને સામે ભાજપના મયુર રાવલને માત આપી હતી. ચિરાગ પટેલ વાસણાના સરપંચ પદે પણ હતા.(mla chirag patel resignation) તેઓ સહકારી ક્ષેત્રમાં પણ પ્રભુત્વ ધરાવે છે. આ સાથે તેઓ કોંગ્રેસના જૂના કાર્યકર ગણાય છે. ભાજપના નેતા અને ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી હૃષીકેશ પટેલે વિપક્ષી ધારાસભ્યોના રાજીનામા પર ઝાટકણી કાઢી છે. પટેલે કહ્યું કે કોંગ્રેસમાં નેતાઓનો ગૂંગળામણ થઈ રહ્યો છે, નેતૃત્વ નામની કોઈ ચીજ નથી.

1990 બાદ પ્રથમ વખત ખંભાતમાં કોંગ્રેસ જીત્યું ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ખંભાત વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ચિરાગ પટેલની 3711 મતોથી જીત થઈ હતી. ભાજપના મહેશ રાવલ, કોંગ્રેસના ચિરાગ પટેલ અને આપના અરુણ ગોહિલ વચ્ચે જંગ જામ્યો હતો. ભાજપાના ગઢ ગણાતા ખંભાતમાં વર્ષ 1990 બાદ પ્રથમ વખત કોંગ્રેસની જીત થઈ હતી.

2022ની ચૂંટણીમાં 3711 મતથી ચિરાગ પટેલ જીત્યા હતા
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ખંભાત બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો. 1990 બાદ પહેલીવાર ખંભાતમાં કોંગ્રેસ જીત્યું હતું. 2022ની ચૂંટણીમાં કોંગ્રેસે ચિરાગ પટેલને ટિકીટ આપી હતી. તેમની સામે ભાજપે મહેશ રાવલને મેદાને ઉતાર્યા હતા. જેમાં ચિરાગ પટેલને 69,069 મત જ્યારે મહેશ રાવલને 65,358 મત મળ્યા હતા. ચિરાગ પટેલનો 3711 મતથી વિજય થયો હતો.

 

 

 

Related posts

સુરતમાં પથ્થરમારાના કેસમાં ધરપકડ કરાયેલા લોકોના નામની યાદી: 3 FIR ના 26ની ધરપકડ અને અન્ય 250-300 અજાણ્યા ટોળા સામે ફરિયાદ

KalTak24 News Team

દ્વારકામાં ઇતિહાસનું પુનરાવર્તન/ આજે કૃષ્ણનગરી દ્વારકામાં 37 હજાર આહીરાણી દ્વારા ઐતિહાસિક મહારાસ,સાડા પાંચ હજાર વર્ષ પૂર્વે કૃષ્ણકાળમાં રમાયેલા અલૌકિક રાસની પરંપરા થઈ ફરી જીવંત..

Sanskar Sojitra

સુરત/ 7માં માળે ફ્લેટમાં બે વર્ષનું એકલું બાળક ફસાયું,ફાયર ટીમે દરવાજો તોડી કર્યું રેસ્ક્યૂ

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં