March 25, 2025
KalTak 24 News
Gujarat

પ્રયાગરાજ મહાકુંભમાં શરૂ કરાયેલ વડતાલ સ્વા.મંદિરના ભંડારામાં ૨.૩૦ લાખથી વધુ શ્રધ્ધાળુઓએ પ્રસાદનો લાભ લીધો

more-than-2-30-lakh-devotees-took-advantage-of-the-prasad-in-the-bhandara-of-vadtal-swaminarayan-temple-started-in-prayagraj-mahakumbh

Vadtal : ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે યોજાયેલ મહાકુંભ મેળામાં વડતાલધામ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા પ.પુ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના આર્શીવાદ સહ મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામી મુખ્ય કોઠારી ડો.સંતવલ્લભદાસજી સ્વામીની પ્રેરણાથી કુંભભમેળામાં આવતા યાત્રીકો માટે તા. ૧૦ જાન્યુઆરી થી ૧૪ ફેબ્રુઆરી સુધી ૩૨ દિવસ સવાર બપોર સાંજ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.ભંડારાનું સમગ્ર સંચાલન ધર્મજીવનસ્વામી તથા ભક્તિ સ્વામી (અથાણાવાળા) તથા સ્વયંસેવક ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું.

ભંડારા અંગે માહિતી આપતા ડો.સંતવલ્લભદાસજી (મુખ્ય કોઠારી વડતાલ મંદિર) એ જણાવ્યું હતું કે પ્રયાગરાજ ખાતે યોજાયેલ મહાકુંભમેળામાં દેશ વિદેશમાંથી આવતા શ્રધ્ધાળુઓ માટે વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા તા.૧૦ જાન્યુઆરી ૨૫ થી ૧૪ ફેબ્રુઆરી ૨૫ દરમ્યાન ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું.દેશ વિદેશમાંથી આવતા શ્રધ્ધાળુઓને શુધ્ધ સાત્વીક ભોજન મળે તે માટે ઉત્તરપ્રદેશ પ્રશાસન દ્વારા વડતાલ મંદિરને યોગ્ય જગ્યા ફાળવી આપવામાં આવી હતી.

આ ભંડારા સવાર, બપોર અને સાંજ થઇ દરરોજના અંદાજીત ૭,૨૦૦થી વધુ ભક્તોએ પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. આમ ૩૨ દિવસ સુધી ચાલેલા ભંડારામાં અંદાજીત ૨.૩૦ લાખથી વધુ શ્રધ્ધાળુઓએ પ્રસાદનો લાભ લીધો હતો.

 

Advertisement

Advertisement

 

 

 

Related posts

ગુજરાત/ BTPના પ્રમુખ મહેશ વસાવા,પાલનપૂરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલ ભાજપમાં સામેલ થયા,કોંગ્રેસ-આપના અનેક કાર્યકરોના કેસરિયા

KalTak24 News Team

ગુજરાતમાં કોંગ્રેસ ફરી તૂટી, ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે આપ્યું રાજીનામું, ભાજપમાં જોડાવાની શક્યતા

KalTak24 News Team

સુરતમાં શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ ફૂડ સ્ટોલો પર સરપ્રાઇઝ ચેકિંગ,ખાધપદાર્થના સેમ્પલ લેબમાં મોકલ્યા

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં