September 20, 2024
KalTak 24 News
Gujarat

રાજકોટ/ જૈન દેરાસરમાં પ્રાર્થનામાં લીન યુવક પર 9 સેકન્ડમાં ધારદાર છરાના ઘા મારીને લોહીલુહાણ કર્યો, ઘટના CCTVમાં કેદ

attack-on-man-in-jain-derasar-incident-caught-in-cctv-rajkot-news
  • જૈન મંદિરમાં પૂજા કરવા આવેલા કારખાનેદાર હુમલો થયો
  • ફરાર શખ્સ સામે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ
  • ફરિયાદ નોંધાતાં પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે

Rajkot Crime News: રાજકોટમાં ગુનેગારોને પોલીસનો કોઈ ડર ના રહ્યો હોય, તેમ ધોળા દિવસે ચોરી, લૂંટ, હત્યા અને મારામારી જેવી ઘટનાઓને અંજામ અપાઈ રહ્યો છે. આજથી 3 દિવસ પહેલા જૈન દેરાસરમાં પૂજા કરવામાં લીન યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના દેરાસરમાં ઈન્સ્ટોલ કરવામાં આવેલા CCTVમાં કેદ થઈ ગઈ હતી. જેના CCTV ફૂટેજ હવે સામે આવી રહ્યા છે.

હુમલાખોરે અચાનક જ કારખાનેદાર પર હુમલો કર્યો હતો.

CCTVમાં જોઈ શકાય છે કે, એક યુવક ભગવાન સમક્ષ પોતાનું મુખ રાખીને પૂજા કરી રહ્યો છે. આ દરમિયાન પાછળથી બીજો એક શખ્સ એક હાથમાં થેલી અને બીજા હાથમાં ધારદાર છરી લઈને દેરાસરમાં ઘૂસી જાય છે. તે પહેલા આમ-તેમ નજર ફેરવે છે અને પછી પૂજા કરવામાં લીન યુવક પર ધારદાર છરી લઈને તૂટી પડે છે. આ દરમિયાન દેરાસરમાં ઉપસ્થિત અન્ય ભક્તોમાં પણ અફરાતફરી મચી જાય છે.

ynlKhnRnI0lH1LZ2v2JlCIunZUrymtOCj4E73MNL

હુમલાખોર 9 સેકન્ડની અંદર છરીના 5 જેટલા ઉપરાછાપરી ઘા ઝીંકી દે છે. થોડીવાર બાદ દેરાસરમાં ઉપસ્થિત અન્ય ભક્તો હિંમત કરીને યુવકને બચાવવા આગળ આવે છે. આ દરમિયાન હુમલાખોર યુવક નીચે પડી જાય છે અને તેના હાથમાંથી છરો છટકી જાય છે. જે બાદ હુમલાખોર યુવક દેરાસરના બીજા દરવાજાની બહાર ભાગી છૂટે છે.

zSNooCNya4iyrNQTsZ5QWrhMV1CSjKmwlocgmFpG

ભોગ બનનારે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

મવડી આસ્થા રેસિડેન્સીમાં રહેતા અને સોરઠિયાવાડીમાં શિવ હાર્ડવેર નામે કારખાનું ધરાવતા મયૂરભાઈ પુરુષોત્તમભાઈ સગપરિયા (ઉં.વ.39)એ ભાવેશ વિનોદભાઈ ગોલ સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યું હતું કે ગત 1 જુલાઈના સવારે મારા મોટા ભાઈ અમિતનો ફોન આવ્યો હતો અને કહ્યું કે હું એક્સેસ લઈને કારખાને જતો હતો અને હરિધવા રોડ ઉપર પહોચ્યો ત્યારે કોઈ કારચાલકે અડફેટે લેતાં ઈજા થઇ છે એવું જણાવતાં અમે દોડી ગયા હતા અને ભાઈને હોસ્પિટલે પહોંચાડ્યો હતો.

આ મામલે ભોગ બનનાર યુવકે ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.આ દરમિયાન ભાવેશ ગોલ નામનો યુવક પાછળથી ધારદાર છરો લઈને દેરાસરમાં ઘૂસી આવ્યો હતો અને અમિત પર તાબડતોડ 5 ઘા ઝીંકી દીધા હતા. આ હુમલાનો ભોગ બનનાર અમિત સગપરીયા નામનો યુવક હાલ ICUમાં સારવાર હેઠળ છે, જ્યાં તેની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

અંગત અદાવતમાં હુમલો કરવામાં આવ્યો

હોસ્પિટલમાં સારવાર દરમિયાન ભાઈએ જણાવ્યું હતું કે તે ભાવેશ ગોલ હતો, તેણે ઠોકર માર્યા બાદ હું પડી જતાં ફરી પૂરઝડપે કાર માથે ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. 10 મહિના પૂર્વે પણ અમિતભાઈને છરીથી માર માર્યો હોઈ, તેની ફરિયાદ નોંધાવતાં પોલીસે ધરપકડ કરી હોવાથી એનો ખાર રાખી દેરાસરમાં દર્શન કરતા હતા એ સમયે પાછળથી આવી ફરી હુમલો કર્યો હતો, જેથી તેની સામે હત્યાની કોશિશની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. હવે ફરી ભક્તિનગર પોલીસ ખાતે હત્યાની કોશિશ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

કારખાનેદાર લોહીલુહાણ બન્યો.

 

 

Group 69

 

 

Related posts

વલસાડમાં બની મોહાલી જેવી શરમજનક ઘટના, રસોયાએ વિદ્યાર્થિનીઓના નાહતા વિડીયો ઉતાર્યા

KalTak24 News Team

બોટાદ/ સાળંગપુરમાં શતામૃત મહોત્સવનું વડતાલ ગાદીના આચાર્ય અને વડીલ સંતોના હસ્તે લોકાર્પણ,ભવ્ય શોભાયાત્રામાં 110 નાસિક ઢોલના ઢોલી અને 30 થાર કાર સાથે હજારો ભક્તોનો જમાવડો

KalTak24 News Team

ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર રાજકોટમાં એક સાથે 75 હજારથી વધુ લોકોએ હનુમંત જન્મોત્સવની કરી ઉજવણી..

Sanskar Sojitra
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી