ગુજરાત
Trending

અમરેલીના 9 યુવા વિદ્યાર્થીઓ 21મીએ એક દિવસ માટે બનશે ગુજરાત ના ‘નાયક’

21મીએ ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વખત જ યુવા છાત્રો એક દિવસ માટે ધારાસભ્ય અને મંત્રી બનીને વિધાનસભા ચલાવવાના છે જેમાં અમરેલીના ૯ છાત્રોની પસંદગી થઈ છે. તેમાંથી 4 છાત્રો રાજ્યના જુદા જુદા વિભાગના મંત્રી બનાવાના છે જેથી અમરેલી માટે ઈતિહાસ રચાશે.

આ અંગેની વિગતો આપતા અમરેલી નગર શિક્ષણ સમિતિના ચેરમેન તુષારભાઈ જોષીએ જણાવ્યું કે, તા. 21ના રોજ 180 યુવા છાત્રો એક દિવસ માટે યુવા વિભાનસભાનુ સત્ર ચલાવવાના છે અને મુખ્યમંત્રીથી માંડીને તમામ મંત્રીઓ તથા ધારાસભ્યોનું સ્થાન પણ આ યુવાનો લેવાના છે. તેમાં મૂળ અમરેલીના રહેવાસી હોય તેવા 9 છાત્રોની પણ પસંદગી થઈ છે. જેમાં, અમુક હાલમાં અમરેલીમાં જ અભ્યાસ કરે છે તો અમુક અભ્યાસ માટે બહારના જિલ્લામાં ગયા છે પણ તેમનું ઘર અમરેલી છે. તેમાંથી 4 છાત્રો મંત્રી બનાવાના છે. જેમાં હર્ષ સંઘાણી કૃષિમંત્રી, મનન ચાવડા શિક્ષણમંત્રી, મનન ચાવડા શિક્ષણમંત્રી, માનસી ઠાકોર મત્સ્યોદ્યોગ મંત્રી અને પ્રિન્સ ડાયાણી સામાજિક ન્યાય અને અધિકારીતાના મંત્રી બનશે.

આ ઉપરાંત દેવ જોશી, હેત્વી વઘાસીયા, ખુશી રાજ્યગુરુ, પાંજલ મેનન અને ધુન ચૌહાણ ધારાસભ્ય બનીને વિધાનસભાનું સંચાલન કરશે. રાજ્યના ઈતિહાસમાં પ્રથમ વખત જ યુવાનોને એક દિવસ માટે રાજ્યના મંત્રી અને ધારાસભ્ય બનવાનો મોકો મળવાનો હોવાથી આ માટે છાત્રો અને તેના વાલીઓમાં પણ ભારે ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને Kaltak24 ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button