September 21, 2024
KalTak 24 News
Lifestyle

દૂધ ઉભા રહીને કે પાણી બેસીને કેમ પીવું જોઇએ? જાણો કેવી રીતે પીવું જોઈએ

best way to drink water and milk

આયુર્વેદ(Ayurveda) અનુસાર ખાવા-પીવાની ઘણી બાબતો છે, જેનું પાલન ન કરવામાં આવે તો વ્યક્તિમાં સ્વાસ્થ્ય(Health) સંબંધી અનેક સમસ્યાઓ ઉદભવવા લાગે છે. આમાંની એક સમસ્યા છે પાણી અને દૂધનું સેવન કરવાની ખોટી રીત. જો દૂધ(Milk) પીધા પછી તમને પેટ ફૂલેલું લાગે છે અથવા તમને ગેસ થવા લાગે છે તો તેની પાછળ દૂધ(Milk) નહીં પણ દૂધ પીવાની ખોટી રીત જવાબદાર હોઈ શકે છે. આયુર્વેદ અનુસાર ખાવા-પીવાની ઘણી બાબતો છે, જો તેનું પાલન ન કરવામાં આવે તો વ્યક્તિમાં સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ ઉભી થવા લાગે છે. આમાંની એક સમસ્યા છે પાણી અને દૂધનું સેવન કરવાની ખોટી રીત. ચાલો જાણીએ કે શા માટે ઉભા થઈને દૂધ(Milk) પીવાની અને બેસીને પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.

ઊભા રહીને દૂધ કેમ પીવું જોઈએ?

આયુર્વેદ(Ayurveda) અનુસાર દૂધ(Milk) શરદી, વાત અને પિત્ત દોષને સંતુલિત કરવાનું કામ કરે છે. જે લોકો બેસીને દૂધ(Milk) પીવે છે તેમને પાચનની સમસ્યા થાય છે. આ જ કારણ છે કે આયુર્વેદમાં રાત્રે સૂતા પહેલા અથવા સાંજના જમ્યાના બે કલાક પછી ઉભા રહીને દૂધ(Milk) પીવાની સલાહ આપવામાં આવી છે, જેથી વ્યક્તિને તેનો પૂરો ફાયદો મળી શકે.

ઉભા રહીને દૂધ પીવાના ફાયદા

ઊભા રહીને દૂધ(Milk) પીવાથી ઘૂંટણને નુકસાન થતું નથી, સ્નાયુઓ માટે ફાયદાકારક છે, કેન્સરનું જોખમ ઘટાડે છે, હૃદય રોગ અને હાઈ બ્લડ પ્રેશર સામે રક્ષણ આપે છે અને તમારી આંખો અને ત્વચા માટે પણ ફાયદાકારક છે.

બેસીને પાણી કેમ પીવું જોઈએ?

આયુર્વેદ(Ayurveda) અનુસાર, ઉભા રહીને પાણી પીવાથી ખોરાક અને શ્વાસનળીમાં ઓક્સિજનનો સપ્લાય બંધ થઈ જાય છે. જે માત્ર ફેફસાં જ નહીં પરંતુ હૃદયને પણ અસર કરે છે. આ સિવાય જો ઉભા રહીને પાણી(Water) પીવામાં આવે તો પાણીની વધુ માત્રાને કારણે પેટના નીચેના ભાગની દિવાલો પર દબાણ સર્જાય છે જેનાથી પેટની આસપાસના અવયવોને ઘણું નુકસાન થાય છે. આ ખરાબ આદતને કારણે ઘણા લોકોને આર્થરાઈટિસ અને હર્નિયાનો ભોગ બનવું પડે છે. એક ધાર્યું પાણી(Water) પીવાથી એસિડિટી, ગેસ, ઓડકાર જેવી સમસ્યા પણ થાય છે. પાણી ક્યારેય ઉભા રહીને ન પીવું. હંમેશા બેસીને પાણી પીવો.

બેસીને પાણી પીવાના ફાયદા

અભ્યાસ અનુસાર, બેસીને પાણી(Water) પીવાથી પાણીનું પાચન યોગ્ય રીતે થાય છે અને શરીરના તમામ કોષો સુધી પહોંચે છે. વ્યક્તિના શરીરને જરૂરી હોય તેટલું પાણી શોષીને તે બાકીનું પાણી અને ઝેરી તત્વોને યુરિન દ્વારા શરીરમાંથી બહાર કાઢે છે. બેસીને પાણી પીવાથી હાનિકારક તત્ત્વો લોહીમાં ભળતા નથી, પરંતુ તે લોહીને સાફ કરે છે. એટલા માટે બેસીને પાણી(Water) પીવું સારું માનવામાં આવે છે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Related posts

આ રીતે સ્કિન અને વાળને નુકસાન પહોંચાડે છે હોળીના રંગો, જાણો તમે કેવી રીત બચી શકો છો; શું કહે છે એક્સપર્ટ?

KalTak24 News Team

શું તમારે ડાયાબિટીસને મેનેજ કરવા માંગો છો? તો હમણાં જ આ 4 યોગાસન કરો

KalTak24 News Team

વારંવાર ગરમ પાણી પીનારાઓ ચેતી જજો! થઇ શકે છે ગંભીર બીમારીઓ

KalTak24 News Team