April 7, 2025
KalTak 24 News
Gujarat

Vadtal: વડતાલધામમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનો ૨૪૪ મો પ્રાગટ્યોત્સવ ધામધૂમથી ઉજવાયો

the-244th-pragatyotsav-of-lord-shri-swaminarayan-was-celebrated-with-great-pomp-and-show-in-vadtaldham

Vadtal : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતા વડતાલધામમાં તા.૬ એપ્રિલને રવિવારને રામનવમીના શુભ દિને ભગવાન શ્રી સ્વામિનારાયણનો ૨૪૪ મો પ્રાગટ્યોત્સવ ખુબજ ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો.ભગવાન શ્રી હરિને ૨૪૪ વર્ષ છપૈયામાં જન્મ થયો હતો જેની ઉજવણીના ભાગરૂપે યાત્રાધામ વડતાલ ધામના નિજમંદિર ખાતે પ.પૂ.આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજે રાત્રે ૧૦:૦૦ કલાકે પ્રારંભમાં ઠાકોરજીનું પૂજન કર્યું હતું. મંદિરના બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજીપણ પૂજન વિધિમાં જોડાયા હતા. રાત્રે ૧૦:૧૦ કલાકે હાથી-ઘોડા પાલખી… જય બોલો ઘનશ્યામ કી જયઘોષ સાથે ભગવાન શ્રી હરિનું પ્રાગટ્યને ભક્તોએ વધાવ્યું હતું. ઠાકોરજીના પારણાને ફૂલહારથી શણગારવામાં આવ્યું હતું. આચાર્ય મહારાજશ્રીએ ઠાકોરજીની અવતરણ આરતી ઉતારી હતી. મંદિરના કોઠારી ડૉ.સંતવલ્લભદાસજી સ્વામીએ તથા શ્રી વલ્લભસ્વામીએ રેશમ દોરીથી પારણું ઝૂલાવ્યું હતું.

સાથે સાથે વડતાલધામમાં ચાલતા ચૈત્રી સામૈયા અંતર્ગત રાત્રીના સમયે પૂ.પ્રિયદર્શનસ્વામીએ ઘનશ્યામ જન્મોત્સવની કથાનું રસપાન કરાવ્યું હતું.જ્યાં ભક્તો-સંતો-પાઠશાળાના ભૂદેવો ધ્વારા ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી.જયારે વડતાલ બળમંડળના બાળકો ધ્વારા સુંદર ગરબાની રમઝટ બોલાવી હતી. આ સમયે સમગ્ર વડતાલ મંદિર પરિસર છપૈયાધામ બનીજવા પામ્યું હતું.કથાના વક્તા પ્રિયદર્શન સ્વામી પૂ.શ્યામસ્વામી તથા વાપીથી પધારેલ સંતોએ બળપ્રભુ ઘનશ્યામ જન્મોત્સવની આરતી ઉતારી હતી રાત્રે જન્મોત્સવ બાદ સૌ ભક્તોને પંચાજીરીનો પ્રસાદ લઇ ધન્યતા અનુભવી હતી.

Advertisement

Advertisement

 

 

 

 




Related posts

ગુજરાતનો સૌથી મોટો દિવ્ય રંગોત્સવ,નાસિક ઢોલના તાલે ભક્તિ રંગે દાદાના સંગે 2 લાખથી વધુ ભક્તો સહિત રંગોત્સવમાં રંગાયુ સાળંગપુરધામ;જુઓ તસવીર

Sanskar Sojitra

Breaking News/ 14 મહિનાથી જેલમાં બંધ મોરબી બ્રિજ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલ બહાર આવશે, સુપ્રીમ કોર્ટે શરતી જામીન આપ્યા

KalTak24 News Team

સુરતના કાપોદ્રા વિસ્તારમાં સરાજાહેર હત્યા,અજાણ્યા શખ્સોએ ઉપરાછાપરી ચપ્પુના ઘા મારતા યુવક ઘટનાસ્થળે જ ઢળી પડ્યો;પોલીસ કાફલો ઘટનાસ્થળે

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં