April 8, 2025
KalTak 24 News
Gujarat

ચોટીલા-રાજકોટ હાઈવે પર દર્દીને લઇ જઈ રહેલી એમ્બ્યુલન્સ ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ, ડ્રાઈવર સહિત 3 લોકોના નિધન

Accident Chotila highway
  • ચોટીલા – રાજકોટ હાઇવે પર ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ધડાકાભેર અથડાઈ
  • ઘટના સ્થળે જ એમ્બ્યુલન્સમાં સવાર 3 લોકોના મોત
  • દર્દીનો બચાવ અને સાથે રહેલા 3 લોકોના મોત

Chotila Rajkot Highway Ambulance Accident: ચોટીલા-રાજકોટ હાઈવે પર દર્દીને લઈને જતી એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી છે. જેમાં એમ્બ્યુલન્સના ડ્રાઈવર સહિત દર્દીની પુત્રી અને મોટા બહેન મળીને કુલ 3 લોકોના મોત નિપજ્યા છે. જોકે મહિલા દર્દીનો બચાવ થયો હતો.આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ ચોટીલાથી રાજકોટ જતી એમ્બ્યુલન્સનો ગત રાત્રે આપાગીગાના ઓટલા નજીક ટ્રક સાથે અકસ્માત થતાં એમ્બ્યુલન્સમાં સવાર દર્દી સાથે રહેલા તેમનાં બેન તથા દીકરી સહિત એમ્બ્યુલન્સ ડ્રાઇવરના કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતાં

દર્દીને રાજકોટ લઈ જતા રસ્તામાં અકસ્માત

મળતી માહિતી મુજબ ગત રાત્રે સાડા દસ વાગ્યા આજુબાજુ ચોટીલા તાલુકાના રાજપરા ગામે રહેતાં કાજલબેન હરેશભાઈ મકવાણા (ઉ. વ. આશરે 35) ચોટીલા રેફરલ હોસ્પિટલે તેમની 18 વર્ષીય દીકરી તથા દીકરા સાથે સારવાર લેવા આવ્યાં હતાં. ત્યારે તેમનાં રાજકોટમાં રહેતાં બહેન તથા બનેવીને પણ ચોટીલા બોલાવ્યાં હતાં. ચોટીલા રેફરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીને વધારે તકલીફ થતી હોવાથી ડોક્ટરે રાજકોટ હોસ્પિટલ લઇ જવા જણાવ્યું હતું.

એમ્બ્યુલન્સ દર્દીને લઇ રાજકોટ જઇ રહી હતી

આ સમયે સરકારી એમ્બ્યુલન્સ રાજકોટ વર્ધી લઈને ગઈ હોવાથી ખાનગી એમ્બ્યુલન્સમાં દર્દીને લઇ જવામાં આવી રહ્યા હતા. જેમાં દર્દી કાજલબેન હરેશભાઈ મકવાણા(ઉ. વ. આશરે 35 રહે. રાજપરા) અને સાથે તેમની દીકરી પાયલ હરેશભાઈ મકવાણા (ઉ. વ. 18 રહે. રાજપરા) અને તેમનાં મોટાબેન અને બનેવી તથા પુત્ર સાથે ખાનગી એમ્બ્યુલન્સમાં રાજકોટ જવા નીકળ્યાં હતાં.

એમ્બ્યુલન્સના ડ્ર્રાઈવરનું પણ અકસ્માતમાં મોત

એમ્બ્યુલન્સમાં દર્દીની સાથે તેમની પુત્રી, મોટાબેન દીકરો તથા બનેવી પણ હતા. જોકે ચોટીલાથી રાજકોટ તરફ જતા આપાગીરાના ઓટલા નજીક એમ્બ્યુલન્સની ટ્રક સાથે ધડાકાભેર ટક્કર થઈ હતી, જેમાં એકબાજુનો ભાગનો બુકડો બોલી ગયો હતો. સ્થાનિકોએ 108ને જાણ કરતા તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ચોટીલા રેફરલ હોસ્પિટલમાં લાલવવામાં આવ્યા હતા. જોકે ગીતાબેન નામના ઈજાગ્રસ્તને તબીબોએ મૃત જાહેર કર્યા હતા અને પાયલ હરેશભાઈ મકવાણા અને એમ્બ્યુલન્સના ડ્રાઈવર વિજય જીવાભાઈ બાવળિયા (ઉ. વ. આશરે 40 રહે. ચોટીલા)ને 108 મારફતે રાજકોટ રિફર કરાયા હતા. જે બંને રાજકોટ પહોંચતા પહેલાં મૃત્યુ પામ્યાં હતાં.મૃતકોના મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને અકસ્માતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી હતી.

અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનાની પોલીસને જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મૃતકોનાં નામ

  • વિજય બાવળિયા (એમ્બ્યુલન્સ ચાલક)
  • પાયલબેન મકવાણા
  • ગીતાબેન મિયાત્રા

મૃતકોની ફાઇલ તસવીર

 

 

 

Related posts

દાનવીર કર્ણની ભૂમિ પર વધુ એક અંગદાન: સુરતમાં માત્ર 100 કલાકના બાળકનું કરાયું અંગદાન,5 લોકોને આપી નવી જિંદગી,જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન થકી કરાવ્યું અંગદાન

KalTak24 News Team

અમદાવાદ/ ભાજપનું પ્રાથમિક સદસ્યતા અભિયાનનો પ્રારંભ, સી.આર.પાટીલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને સદસ્ય પ્રાથમિક સદસ્ય બનાવ્યા

KalTak24 News Team

સુરત: ‘થાય તે કરી લો..!’- કહી ભાડૂઆત દુકાન ખાલી ન કરતો;રડતાં-રડતાં પોલીસ કમિશનરને કરી રજૂઆત,આખરે 3 દિવસમાં પોલીસે દુકાન અપાવતાં ખુશખુશાલ

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં