April 8, 2025
KalTak 24 News
Gujarat

NARMADA : નર્મદામાં બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા પર પથ્થરમારો,પોલીસે છોડ્યા ટીયરગેસના સેલ,જુઓ VIDEO

Narmada Throw Stones: ગુજરાત મહારાષ્ટ્રની સીમા પર આવેલા નર્મદા જીલ્લાના સેલાંબા ગામે બજરંગ દળ(Bajrang Dal) દ્વારા શૌર્ય જાગરણ યાત્રા(Shorya Jagran Yatra) યોજવામાં આવી હતી. આ યાત્રા પર અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કર્યાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી છે. જ્યારે પોલીસે ઘટનાસ્થળે પહોચીને ટોળાને વિખેરવા ટીયર ગેસના સેલ છોડ્યા હોવાનું જાણવા મળે છે.

આજે સવારે નર્મદા બજરંગ દળ દ્વારા નર્મદા જીલ્લાના સેલંબા ગામે શૌર્ય જાગરણ યાત્રા કાઢવામાં આવી હતી. ડીજેના તાલે નીકળેલી યાત્રા જયારે મુસ્લિમ વસ્તી પાસે પહોંચી ત્યારે મુસ્લિમ વિસ્તારમાંથી યાત્રા પર પથ્થરમારો શરુ થઇ ગયો હતો. એકાએક પથ્થરમારો થતા નાસભાગ મચી ગઈ હતી. જેમાં કેટલાક બજરંગદળના કાર્યકરો ઈજાગ્રસ્ત થયા હતા. બંને તરફ માહોલ ગરમાતા ગામમાં બે ટોળા સામસામે આવી ગયા હતા. ભારે પથ્થરમારો કરીને વાહનોને આગના હવાલે કરવાની કોશિષ કરવામાં આવી હતી. જ્યારે બે દુકાનોને પણ આગને હવાલે કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.

 

નર્મદાના સેલંબા ખાતેથી આજે બજરંગ દળ શૉર્ય જાગરણ યાત્રા નીકળી હતી. આ દરમિયાન વિધર્મી લોકોએ આ યાત્રા પર પથ્થરમારો કર્યો હોવાનું સામે આવ્યું છે. આ સાથે હાલ સેલંબામાં આગચંપીનો પણ બનાવ પણ બન્યો છે. વિગતો મુજબ કુઇદા ગામથી સેલંબા સુધી આ શોર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા સમગ્ર નર્મદા જિલ્લામાં ફરવાની છે. આ તરફ યાત્રા પર પથ્થરમારાની ઘટના બાદ નર્મદા જિલ્લાની DySP, LCB અને SOGની પોલીસ ટીમો પણ સેલંબા ખાતે ઉતારી દેવામાં આવી છે.આ સાથે ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા છે.જ્યારે ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અર્થે નજીકના આરોગ્ય કેન્દ્રોમાં ખસેડવામાં આવ્યા છે. નર્મદા પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી લેવાયો છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related posts

રત્નકલાકારનું અંગદાન/ સુરતમાં રાદડિયા પરિવારના 40 વર્ષીય યુવક માથામાં દુઃખાવા અને ચક્કર બાદ બ્રેઈનડેડ જાહેર, લિવર, બન્ને કીડની અને ચક્ષુઓનું કરાયું દાન;જીવનદીપ ઓર્ગન ડોનેશન ટ્રસ્ટ થકી ૧૭મું અંગદાન..

KalTak24 News Team

રાજ્યની શાળાઓમાં ધોરણ 6 થી 12માં શ્રીમદભગવદ્ ગીતાનો પરિચય કરાવાશે,વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવદ્ ગીતામાં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોનો પરિચય કરાવાશે

KalTak24 News Team

સુરત/ સિંગણપોર વિસ્તારમાં MLA વિનોદભાઈ મોરડીયાના કાર્યાલયમાં લાગી આગ, ફર્નીચર અને કોમ્પ્યુટર સહિતની સામગ્રી થઈ ખાક

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં