April 9, 2025
KalTak 24 News
BharatInternational

‘તમે હજારો માઈલ દૂર છો પરંતુ અમારા દિલમાં,1.4 અબજ ભારતીયોને તમારા પર ગર્વ,’ PM મોદીએ સુનિતા વિલિયમ્સને લખ્યો પત્ર

pm-modis-message-to-indias-daughter-sunita-williams-miles-away-yet-close-to-hearts

PM Modi letter to Sunita William: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લગભગ નવ મહિના પછી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) થી પરત ફરી રહેલા નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમને એક ભાવનાત્મક સંદેશ લખ્યો છે. સુનિતાનું અવકાશયાન બુધવારે ભારતીય સમય અનુસાર સવારે 3:27 કલાકે ફ્લોરિડાના કિનારે ઉતરશે. PMએ લખ્યું છે કે, ‘તમે ભલે અમારાથી હજારો માઈલ દૂર હોવ પરંતુ તમે અમારા દિલમાં વસે છો. 1.4 અબજ ભારતીયોને તમારા પર ગર્વ છે.

ડૉ.જીતેન્દ્ર સિંઘના X  પર એક પત્ર શેર કરવામાં આવ્યો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તાક્ષર સાથે એક પત્ર છે. વડાપ્રધાન દ્વારા લખાયેલા પત્રમાં લખાયું છે કે, ‘ભલે તમે અમારાથી હજારો મીલ દૂર હોવ, પરંતુ તમે અમારા દિલની નજીક છો. તમે ભારતની આન, બાન અને શાન છો. તમારી ઉપલબ્ધિઓ તમામ ભારતીયો માટે પ્રેરણા સ્રોત છે. ભારત તમારી રાહ જોઈ રહ્યું છે.’  પીએમ મોદીએ પત્રમાં સુનિતાની શક્તિ અને સાહસની કામના કરી તેઓ સુરક્ષિત પાછા ફરે તે માટે પ્રાર્થના કરી છે. આ પત્ર અવકાશયાત્રી માઈક માસિમિનો દ્વારા સુનિતા સુધી પહોંચાડવામાં આવ્યો છે. વડાપ્રધાન માસિમિનો સાથે તાજેતરમાં જ એક કાર્યક્રમમાં મુલાકાત કરી હતી.

 

પૃથ્વી પર પાછા ફરવામાં 17 કલાક લાગશે

સુનિતાની સાથે અન્ય અવકાશયાત્રી બૂચ વિલ્મોર પણ પૃથ્વી પર પરત ફરી રહ્યા છે. આ બંને અવકાશયાત્રીઓ સ્પેસએક્સના ક્રૂ ડ્રેગન અવકાશયાનમાં 18 માર્ચે ISS થી પૃથ્વી માટે રવાના થયા હતા. તેમને પૃથ્વી પર પહોંચવામાં લગભગ 17 કલાક લાગશે. આખી દુનિયા સુનીતાના ધરતી પર પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહી છે. વાસ્તવમાં, સુનીતા તેના માત્ર આઠ દિવસના મિશન પર ISS પહોંચી હતી પરંતુ બોઇંગના સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટમાં ટેકનિકલ સમસ્યાના કારણે તેનું પરત આવવું શક્ય નહોતું અને તેણે નવ મહિના સુધી અહીં રહેવું પડ્યું હતું.

નાસાના જણાવ્યા અનુસાર, સુનિતા વિલિયમ્સ અને અન્ય ત્રણ અવકાશયાત્રીઓને લઈને જતું અવકાશયાન થોડા કલાકોમાં ISS થી અલગ થઈ જશે અને આજે સાંજે 5:57 વાગ્યે (યુએસ સમય) ફ્લોરિડાથી દૂર સમુદ્રમાં ઉતરશે.

ઉલ્લેખનીય છે કે, સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર અંતરિક્ષમાં 286 દિવસ વિતાવ્યા બાદ પૃથ્વી પર વાપસી કરી રહ્યા છે. સ્પેસ એક્સનું ડ્રેગન અંતરિક્ષ યાન આજે સવારે (18 માર્ચ, મંગળવાર) 10.35 વાગ્યે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી રવાના થયું.

નાસા તેના સ્પેસએક્સ પ્રોગ્રામ હેઠળ આ પરત યાત્રાનું જીવંત પ્રસારણ કરશે. આ નાસા અને એલન મસ્કની કંપની સ્પેસએક્સનું સંયુક્ત મિશન છે, જેને “સ્પેસએક્સ ક્રૂ 9” કહેવામાં આવે છે. સુનિતા વિલિયમ્સ અને બેરી “બુચ” વિલ્મોરની આ સફર ખરેખર 10 મહિના પહેલા પૂર્ણ થવાની હતી. આઠ દિવસના મિશન પછી તેઓ પાછા ફરવાના હતા, પરંતુ ટેકનિકલ કારણોસર તેમને પરત ફરવામાં વિલંબ થયો.

અન્ય અવકાશયાત્રીઓ ISS સુધી પહોંચે છે

યુએસ સ્પેસ એજન્સીના કેનેડી સ્પેસ સેન્ટરમાંથી ઉપાડેલા અવકાશયાત્રીઓના નવા ક્રૂમાં નાસાના એન મેકક્લેન અને નિકોલ આયર્સનો સમાવેશ થાય છે. આ બંને મિલિટરી પાયલોટ છે. આ સિવાય જાપાનના તાકુયા ઓનિશી અને રશિયાના કિરીલ પેસ્કોવ પણ નીકળી ગયા છે અને બંને એવિએશન કંપનીઓના ભૂતપૂર્વ પાઇલોટ છે.

ચારેય નવા મુસાફરો આવ્યા

વિલ્મોરે રવિવારે સ્પેસ સ્ટેશનની ‘હેચ’ ખોલી અને ત્યારબાદ એક પછી એક ચારેય નવા મુસાફરો અંદર આવ્યા. અવકાશમાં પહેલેથી જ અવકાશયાત્રીઓએ તેમના નવા સાથીઓને આલિંગન અને હાથ મિલાવીને આવકાર્યા. વિલિયમ્સે ‘મિશન કંટ્રોલ’ને કહ્યું, “આ એક શાનદાર દિવસ છે. મારા મિત્રોને અહીં જોઈને ખૂબ આનંદ થયો.”

 

 

Advertisement

Advertisement

 

 

 

 

 




Related posts

Breaking News : અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 6.1 નોંધાઇ,200થી વધુના મોત

KalTak24 News Team

VIDEO: સાઉથ અભિનેતા અલ્લુ અર્જુનની પોલીસે ધરપકડ કરી, જાણો શું છે સમગ્ર મામલો

Mittal Patel

‘ભારતીય વિદ્યાર્થીનીનાં મોત પર હસનારા પોલીસકર્મીને નહીં છોડે ભારત’ અમેરિકા સામે ભારતે ઊઠાવ્યો મુદ્દો

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં