Kisan Samman Nidhi: સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધાના એક દિવસ બાદ જ પીએમ નરેન્દ્ર મોદીએ ખેડૂતોને લઈને મોટો નિર્ણય લીધો છે. સોમવારે (10 જૂન) PM મોદીએ કિસાન સન્માન નિધિનો હપ્તો બહાર પાડવાની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે.
PM મોદીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો બહાર પાડવા માટેની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા છે. તેનાથી 9.3 કરોડ ખેડૂતોને ફાયદો થશે અને અંદાજે 20 હજાર કરોડ રૂપિયાનું વિતરણ થશે.
શું કહ્યું પીએમ મોદીએ?
ફાઇલ પર હસ્તાક્ષર કર્યા બાદ પીએમ મોદીએ કહ્યું કે તેઓ ખેડૂતોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. અમે ખેડૂતોના કલ્યાણ માટે શક્ય તેટલું કામ કરવા માંગીએ છીએ. અમારી સરકાર આના પર સતત કામ કરી રહી છે અને ભવિષ્યમાં પણ કરતી રહેશે.
After signing the file, PM Modi said “Ours is a Government fully committed to Kisan Kalyan. It is therefore fitting that the first file signed on taking charge is related to farmer welfare. We want to keep working even more for the farmers and the agriculture sector in the times… https://t.co/JHdSPkmcvL
— ANI (@ANI) June 10, 2024
મોદી કેબિનેટે રવિવારે શપથ લીધા બાદ સોમવારે બે મહત્વપૂર્ણ નિર્ણયો લીધા હતા. આ બંને નિર્ણયો પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લેવામાં આવ્યા છે. પ્રથમ મોટા નિર્ણયમાં, મોદી કેબિનેટની પ્રથમ બેઠકમાં પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ બે કરોડ વધારાના મકાનોને મંજૂરી આપવામાં આવશે. તે જ સમયે, અન્ય એક મોટા નિર્ણય હેઠળ, આ યોજના હેઠળ લાભાર્થીઓને આપવામાં આવતી સહાયમાં લગભગ 50 ટકાનો વધારો કરવામાં આવી શકે છે.
નોંધનિય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા છે. તેમણે રાષ્ટ્રપતિ ભવનમાં તેમના નવા કેબિનેટ સાથે શપથ લીધા છે. મોદી સરકાર 3.0માં કુલ મંત્રીઓની સંખ્યા 72 છે, જેમાંથી 30 મંત્રીઓ કેબિનેટનો ભાગ હશે. આ સિવાય 5 મંત્રીઓને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. સાથે જ 36 સાંસદોને રાજ્યકક્ષાનું મંત્રી પદ આપવામાં આવ્યું છે. મોદી કેબિનેટ 3.0માં આવા ઘણા મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ મોદી સરકાર 2.0માં પણ મંત્રી હતા.
#WATCH | PM Narendra Modi today took charge as the Prime Minister, in New Delhi.
After being sworn in as Prime Minister for the 3rd time, PM Narendra Modi signed his first file authorising the release of 17th instalment of PM Kisan Nidhi. This will benefit 9.3 crore farmers and… pic.twitter.com/G4ownB0NFh
— ANI (@ANI) June 10, 2024
તમે આ રીતે સ્ટેટસ ચેક કરી શકો છો
કોઈપણ લાભાર્થી કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તાની સ્થિતિ ઓનલાઈન ચકાસી શકે છે. આ માટે સૌ પ્રથમ તમારે સ્કીમની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in/ પર જવું પડશે. આ પછી તમારે Know Your Status ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. પછી સ્ક્રીન પર એક નવું પેજ ખુલશે. જ્યાં તમારે તમારો રજીસ્ટ્રેશન નંબર દાખલ કરવાનો રહેશે.
તે પછી કેપ્ચા નાખવાનો રહેશે. પછી તમે Get OTP પર ક્લિક કરશો. આ પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. તેમાં દાખલ થયા પછી, તમારી સામે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની સ્થિતિ દેખાશે.
PM કિસાન સન્માન નિધિ યોજના શું છે?
પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. પૈસા સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં જાય છે. 2000 રૂપિયાના ત્રણ હપ્તામાં ખેડૂતોના બેંક ખાતામાં નાણાં મોકલવામાં આવે છે.
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube