September 21, 2024
KalTak 24 News
Bharat

BIG BREAKING / અભિનેતા અને DMDK પાર્ટીના વડા વિજયકાંતનું નિધન, કોવિડ પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

Actor And DMDK Founder 'Captain' Vijayakanth Dies
  • અભિનેતા અને રાજકારણી વિજયકાંતે લીધા છેલ્લા શ્વાસ
  • કોવિડ પોઝિટિવ બાદ હોસ્પિટલમાં હતા દાખલ
  • વિજયકાંતે 154 ફિલ્મોમાં અભિનય કર્યો

Actor Vijayakanth Passes Away: અભિનેતા-રાજકારણી અને DMDK પ્રમુખ કેપ્ટન વિજયકાંતનું નિધન થયું છે. પાર્ટીના જણાવ્યા અનુસાર, તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. મંગળવારે, ડીએમડીકેએ કહ્યું હતું કે, તેમને રેગ્યુલર મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાર્ટીએ કહ્યું હતું કે, વિજયકાંત “તંદુરસ્ત” છે અને ચેકઅપ બાદ ઘરે પરત ફરશે. જોકે, બાદમાં પાર્ટીએ કહ્યું હતું કે તેમનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોવાથી વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા છે.

હોસ્પિટલે જાહેર કર્યું મેડિકલ બુલેટિન

જે MIOT હોસ્પિટલમાં વિજયકાંત દાખલ હતા, તે હોસ્પિટલે મેડિકલ બુલેટિન જાહેર કરીને કહ્યું કે, ‘ન્યુમોનિયાને કારણે દાખલ થયા બાદ કેપ્ટન વિજયકાંત વેન્ટિલેટર સપોર્ટ પર હતા. 28 ડિસેમ્બર 2023ના રોજ સવારે તેમનું અવસાન થયું છે.’

154 ફિલ્મોમાં કરી ચૂક્યા છે કામ

ડીએમડીકેના પ્રમુખને 20 નવેમ્બરે પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આ મહિને તેઓ હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા હતા. વિજયકાંતની હોસ્પિટલમાં શ્વાસની બીમારીની સારવાર ચાલી રહી હતી. વિજયકાંતની ફિલ્મી સફર શાનદાર રહી છે અને તેમણે ઘણી હિટ ફિલ્મો આપી છે અને તેઓ 154 ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. ફિલ્મો પછી તેઓ રાજકારણમાં જોડાયા. તેમણે DMDKની સ્થાપના કરી અને વિરુધાચલમ અને ઋષિવંદ્યમ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા બે વખત વિધાનસભાના સભ્ય તરીકે કામ કર્યું.

વિપક્ષના નેતા પણ રહ્યા

તેમનું રાજકીય કરિયર ત્યારે ચરમસીમા પર હતું, જ્યારે તેઓ 2011થી 2016 સુધી તમિલનાડુ વિધાનસભામાં વિપક્ષના નેતા બન્યા હતા. તાજેતરના વર્ષોમાં, વિજયકાંતની તબિયત ચિંતાનો વિષય રહી છે, જેના કારણે તેઓને સક્રિય રાજકીય ભાગીદારીમાંથી પાછળ હટી જવું પડ્યું હતું.

વિજયકાંતના અંગત જીવન વિશે વાત કરીએ તો તેમનો જન્મ 25 ઓગસ્ટ 1952ના રોજ થયો હતો. તેઓ મદુરાઈના હતા. તેમના પિતાનું નામ કેએન અલગરસ્વામી હતું. તેમના પૂર્વજોને આંધ્ર પ્રદેશ સાથે નાતો હતો. 31 જાન્યુઆરી 1990ના રોજ વિજયકાંતના લગ્ન પ્રેમલતા સાથે થયા હતા. તેમના બે પુત્રો વિજય પ્રભાકર અને શાનમુગા પાંડિયન છે.

 

 

Group 69

 

 

Related posts

આજે ગુજરાતમાં પ્રવેશ કરશે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા,4 દિવસમાં 7 જિલ્લાઓમાં 400 કિલોમીટર યાત્રા ફરશે

KalTak24 News Team

વીર જવાનો શહીદ:જમ્મુ-કાશ્મીરના પૂંછમાં આતંકીઓએ સેનાની ગાડી પર ગોળીઓ વરસાવી, 5 વીર જવાન થયા શહીદ

Sanskar Sojitra

અયોધ્યા/ ગુજરાતના પ્રધાનમંડળ સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અયોધ્યા,રામલલાના ચરણોમાં શીશ ઝૂકાવ્યું,જુઓ તસ્વીરો…

Sanskar Sojitra
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી