September 21, 2024
KalTak 24 News
Gujarat

ગુજરાતમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી,બંગાળના લો પ્રેશરની અસર

Gujarat
  • 15 સપ્ટેમ્બર સુધી બંગાળની ખાડીમાં હળવુ દબાણ સક્રિય હોવાથી ગુજરાતમાં વરસાદ પડી શકે છે.

વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં 13 તારીખના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વલસાડ, નવસારી અને દમણમાં ભારે વરસાદ થશે. એ સિવાય ડાંગ, નર્મદા અને ભરૂચને પણ મેઘરાજા ધમરોળશે. બંગાળમાં લો પ્રેશર થવાના કારણે આગામી 4 દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે.

રવિવારે 159 તાલુકામાં વરસાદ
રવિવારે 10 વાગ્યા સુધી રાજ્યના 159 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વલ્લભીપુરમાં સવા 3 ઈંચ વરસાદ, ધંધૂકામાં 2.5 ઈંચ, જેતપુરમાં 2.5 ઈંચ, વિંછિયામાં સવા 2 ઈંચ, ચૂડામાં સવા 2 ઈંચ, હળવદમાં 2 ઈંચ, સાંતલપુરમાં 2 ઈંચ, કરજણમાં પોણા 2 ઈંચ, કોટડા સાંગાણીમાં 1.5 ઈંચ, પાલનપુરમાં 1.5 ઈંચ, ઉમરપાડામાં 1.5 ઈંચ, સિનોરમાં 1.5 ઈંચ, ખેડામાં 1.5 ઈંચ, સુબિરમાં 1.5 ઈંચ,બાબરામાં 1.5 ઈંચ વરસાદ પડયો છે.

આગામી દિવસોમાં રાજ્યમાં પડશે ભારેથી અતિભારે વરસાદ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી છે કે, બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે. ઉત્તર-મધ્યમ ગુજરાતમાં પણ પવનના સુસવાટા સાથે વરસાદ ખાબકી શકે છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં તોફાની ઈનીગના એંધાણ છે. દક્ષિણ ગુજરાતમાં આ પાંચ દિવસમાં 6 ઈંચથી વધુ વરસાદ ખાબકી શકે જ્યારે મુંબઈના ભાગોમાં 10 ઈંચથી વધુ વરસાદની શક્યતા છે.

 

આ પણ વાંચો :-

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Related posts

બોટાદ/ બોલીવૂડ સુપરસ્ટાર હિમેશ રેશમિયાએ કર્યા સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દર્શન, “કિંગ ઓંફ સાળંગપુર” પ્રતિમાના કર્યા દર્શન

Sanskar Sojitra

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નવતર અભિગમ ! ગુજરાત રાજ્યના પ્રથમ સરહદી ગામ જાવલીમાં રાત્રિ રોકાણ કરી ગ્રામજનો સાથે કર્યો સંવાદ,જાણો સમગ્ર વિગતો

KalTak24 News Team

અમદાવાદ/અયોધ્યામાં રામલ્લાના દર્શન માટે આસ્થા સ્પેશિયલ ટ્રેન શરૂ,મુખ્યમંત્રીએ સાબરમતીથી અયોધ્યાની ટ્રેનને આપી લીલીઝંડી,1400 શ્રદ્ધાળુઓને કરાવ્યું પ્રસ્થાન..

KalTak24 News Team