September 21, 2024
KalTak 24 News
Lifestyle

Ajwain Benefits/ અજમાનું પાણીથી આ તમામ બીમારીઓ દવા વિના કરે છે દુર-વાંચો સમગ્ર વિગતો

Ajwain Benefits

Ajwain Benefits: અજમા એવો મસાલો છે જે ભોજનની સ્વાદિષ્ટ બનાવવાની સાથે શરીર માટે પણ ફાયદાકારક છે. આ મસાલાનો ઉપયોગ કરવાથી શરીરની ઘણી બધી બીમારીઓ દવા વિના દુર થઈ શકે છે. સાધારણ દેખાતા આ નાના નાના દાણા શરીરને જબરદસ્ત ફાયદા કરે છે. અજમાનું પાણી કેટલીક સમસ્યાનો સરળ અને પ્રભાવી ઉપચાર છે. અજમાનું પાણી ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાને દુર કરવામાં મદદ કરે છે. 

આજે અજમાના પાણીથી થતા આવા જ 5 ફાયદા વિશે તમને જણાવીએ. શરીરની 5 સમસ્યા એવી છે જેમાં અજમાનું પાણી દવા જેવું કામ કરે છે. આ સમસ્યામાં અજમાનું પાણી પીવાથી દવા લેવાની પણ જરૂર પડતી નથી.

Source: tarladala.com
Source: tarladala.com

અજમાના પાણીથી થતા 5 સ્વાસ્થ્ય લાભ

1. અજમામાં એન્ટી માઈક્રોબિયલ ગુણ હોય છે જે બેક્ટેરિયાના વિકાસને અટકાવે છે. તેનાથી સંક્રમણ સામે લડવામાં મદદ મળે છે અને રોગ પ્રતિકારક ક્ષમતા વધે છે. 

2. અજમાનું પાણી પીવાથી બેડ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટે છે અને ગુડ કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે. તેનાથી હૃદયના સ્વાસ્થ્યને ફાયદો થાય છે. 

3. અજમાનું પાણી રક્તવાહિકાઓને આરામ આપે છે અને રક્ત પ્રવાહને સુધારે છે. તેનાથી બ્લડ પ્રેશર ઘટે છે. 

4. અજમાના પાણીમાં એન્ટી ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે જે પેપ્ટિક અલ્સર અને અપચા સંબંધિત સમસ્યા દુર કરવામાં મદદ કરે છે. 

5. અજમાનું પાણી એક નેચરલ કફ નિવારક છે. જે ઉધરસ, શરદી અને કફને કંટ્રોલ કરે છે. તે વાયુ માર્ગને સાફ કરવામાં મદદ કરે છે. 

કેવી રીતે બનાવવું અજમાનું પાણી?

એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમા ઉમેરી તેને 10થી 15 મિનિટ પાણીમાં ઉકાળો. ત્યારબાદ ગેસ બંધ કરી તેને ગાળી લો અને તેમાં લીંબુ તેમજ મધ ઉમેરી પી જવું.

તમે અજમાને રાત્રે પાણીમાં પલાળી સવારે આ પાણીને ગાળીને ખાલી પેટ પી શકો છો. અજમાનું પાણી પીવાનો બેસ્ટ સમય સવારે ખાલી પેટ અને રાત્રે સુતા પહેલાનો છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. KalTak24news.com તેની પુષ્ટિ કરતું નથી.)

 

Group 69

 

 

Related posts

વારંવાર ગરમ પાણી પીનારાઓ ચેતી જજો! થઇ શકે છે ગંભીર બીમારીઓ

KalTak24 News Team

શું તમારે આધારકાર્ડ નંબર નથી? તો હવે ચિંતા ન કરતા,ફૉલો કરો આ સ્ટેપ્સ અને આ રીતે કરી શકશો ડાઉનલોડ…

KalTak24 News Team

Black Diamond Apple: એક વખત આ ડાયમંડ એપલના ફાયદા જાણશો તો ખાવાનું ચૂકશો નહીં,કાળા સફરજન આ ખાસ સ્થળે જ ઉગે છે

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી