September 21, 2024
KalTak 24 News
Gujarat

ખાણી-પીણીના શોખીનો સાવધાન:અમદાવાદના નિકોલમાં દેવી ઢોસા રેસ્ટોરાંના સંભારમાંથી નીકળ્યો મરેલો ઉંદર, ફુડ વિભાગે કાર્યવાહી કરી,VIDEO

https://www.gujaratijagran.com/gujarat/ahmedabad/now-a-dead-rat-came-out-of-the-sambhar-of-devi-dhosa-restaurant-in-nikol-ahmedabad-the-food-department-took-action

Rat In Sambhar: જો તમે પણ ખાણી-પીણીના શોખીન છો અને બહાર જમવા જાઓ છો તો સાવધાન થઈ જજો, કેમ કે હવે બહારના ફૂડમાંથી ઈયળો અને જીવાતો નીકળવી હવે સામાન્ય બાબત બની ગઇ છે. ગઈકાલે (19 જૂન) જામનગરમાં બાલાજીની વેફરમાંથી મરેલો દેડકો નીળ્યો હતો તો ક્યારેક આઈસ્ક્રીમમાંથી માણસની આંગળી નીકળે છે તો ગઈકાલે જ હર્શીના ચોકલેટ સીરપમાંથી મૃત ઉંદર મળી આવ્યો હોવાનો વિડિયો વાયરલ થયો હતો. ત્યારે આ બાબતમાં અમદાવાદની રેસ્ટોરાં પણ પાછળ ન રહેતા નિકોલમાં આવેલી દેવી ઢોસા રેસ્ટોરાંના સંભારમાંથી ઉંદરનું બચ્ચું નીકળ્યું હતું. ત્યારે આ અંગે ગ્રાહકે રેસ્ટોરાંના માલિકને ફરિયાદ કરી હતી જે બાદ AMCની ફુડ વિભાગની ટીમ પણ પહોંચી હતી. જેમણે તપાસ કરતા રેસ્ટોરાંને સીલ માર્યું છે.

ઢોંસાના સંભારમાંથી ઉંદરનું બચ્ચું નીકળ્યું.
ઢોંસાના સંભારમાંથી ઉંદરનું બચ્ચું નીકળ્યું.

પરિવાર સાથે ઢોસા ખાવા ગયો હતો

શહેરના નિકોલ વિસ્તારમાં દેવી ઢોંસા નામની રેસ્ટોરાંમાં ગ્રાહક તેના પરિવાર સાથે જમવા માટે ગયો હતો. તેમણે ઢોસાનો ઓર્ડર આપ્યો હતો. ઢોસા આપતાં પહેલાં સંભાર અને ચટણી આપવામાં આવ્યા હતા. ત્યારે જગમાંથી ગ્રાહકને સંભાર પીરસવામાં આવતા તેમાંથી ઉંદરનું મરેલું બચ્ચું નીકળ્યું હતું. આ અંગે ગ્રાહકે ત્યાં હાજર લોકોને બોલાવી સંભારમાં ઉંદરનું મરેલું બચ્ચું બતાવ્યું હતું તેમજ તેણે રેસ્ટોરાંના માલિકને પણ ફરિયાદ કરી હતી. જે બાદ આ અંગેની ફરિયાદ તેમણે મ્યુન્સિપલ કોર્પોરેશનના ફુડ વિભાગને પણ કરી હતી.

ફુડ વિભાગે હાથ ધરી કાર્યવાહી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમ નિકોલ ખાતે આવેલા દેવી ઢોંસા રેસ્ટોરન્ટ ખાતે ચેકિંગ કરવા માટે પહોંચી હતી. ટીમ દ્વારા ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, ત્યારે રસોડામાં અનહાઇજેનિક કન્ડિશન જોવા મળી હતી. રસોડાની જગ્યા ખુલ્લી હોવાથી કોઈપણ સ્થળેથી જીવજંતુઓ આવવાની શક્યતા જણાઈ હતી. અનહાઇજેનિક કન્ડિશન અને ઉંદર નીકળવાની ફરિયાદને પગલે ફૂડ વિભાગની ટીમ દ્વારા દેવી ઢોંસા રેસ્ટોરન્ટને સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

 

મ્યુનિ.ના ફૂડ વિભાગે રેસ્ટોરન્ટને સીલ કરી.
મ્યુનિ.ના ફૂડ વિભાગે રેસ્ટોરન્ટને સીલ કરી.

 

Group 69

 

 

પરિવાર સાથે ઢોસા ખાવા ગયો હતો
શહેરના નિકોલ વિસ્તારમાં દેવી ઢોંસા નામની રેસ્ટોરાંમાં ગ્રાહક તેના પરિવાર સાથે જમવા માટે ગયો હતો. તેમણે ઢોસાનો ઓર્ડર આપ્યો હતો. ઢોસા આપતાં પહેલાં સંભાર અને ચટણી આપવામાં આવ્યા હતા. ત્યારે જગમાંથી ગ્રાહકને સંભાર પીરસવામાં આવતા તેમાંથી ઉંદરનું મરેલું બચ્ચું નીકળ્યું હતું. આ અંગે ગ્રાહકે ત્યાં હાજર લોકોને બોલાવી સંભારમાં ઉંદરનું મરેલું બચ્ચું બતાવ્યું હતું તેમજ તેણે રેસ્ટોરાંના માલિકને પણ ફરિયાદ કરી હતી. જે બાદ આ અંગેની ફરિયાદ તેમણે મ્યુન્સિપલ કોર્પોરેશનના ફુડ વિભાગને પણ કરી હતી.

Related posts

કોલ્ડવેવની આગાહીને પગલે સરકારે નાગરિકો અને પશુઓ માટે જાહેર કરી ખાસ સૂચના,કોલ્ડવેવથી બચવા માટે આટલું ધ્યાનમાં રાખો

KalTak24 News Team

Navratri 2023: ખેલૈયાઓ માટે સૌથી મોટા સમાચાર,રાત્રે 12 વાગ્યા બાદ પણ ચાલશે ગરબા,ગૃહ વિભાગે તમામ જિલ્લા પોલીસવડાને આપી મૌખિક સૂચના

KalTak24 News Team

વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ,મોટા વરાછા જોડતા બ્રિજના કામને લઈ કર્યા સવાલો ! જાણો સમગ્ર મામલો

Sanskar Sojitra
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી