September 21, 2024
KalTak 24 News
Gujarat

Breaking News : સુરતની જૂની બોમ્બે માર્કેટમાં કાપડની દુકાનમાં લાગી આગ,ફાયર ફાયટરની ટીમ દ્વારા આગ પર મેળવ્યો કાબૂમાં,VIDEO

Fire in Surat Bombay Market
  • સવારે 9 વાગે આગ ભભૂકી ઉઠતા અફરા તફરીનો માહોલ
  • ફાયર બ્રિગેડની 6 ગાડીઓ ઘટના સ્થળ પર
  • માર્કેટમાં 500 જેટલી દુકાનો આવેલી છે

Fire in Surat Bombay Market: સુરતના વરાછા વિસ્તારમાં આવેલી જૂની માર્કેટમાં ભીષણ આગ(Fire લાગી હતી.આગની જાણકારી મળતા પાંચ ફાયર સ્ટેશનની 6 ગાડીઓ ઘટના સ્થળે જવા રવાના થઇ હતી.આ માર્કેટમાં 500 જેટલી દુકાનો આવેલી છે. જેના પગલે વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. ઘટનાની જાણ થતા જ ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને આગ પર કાબુ મેળવવા પ્રયત્નો કરી રહ્યા છે.

સુરતના બોમ્બે માર્કેટમાં આવેલી છે 500 જેટલી દુકાન
સુરતમાં આજે વહેલી સવારે જૂની બોમ્બે માર્કેટમાં લાગી આગ લાગવાની ઘટના બની છે. જૂની બોમ્બે માર્કેટમાં કાપડની દુકાનો આવેલી છે. અહીં લગભગ 500 દુકાનો આવેલી છે. ત્યારે વેપારીઓ ઘટનાની જાણ થતા જ સ્થળ પર પહોંચી ગયા હતા.

surat fire 12 2023 10 c65d3b065c50eaa1f563f93428513528

ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી, મુજબ ફાયર વિભાગને જૂની બોમ્બે માર્કેટ પાસે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી સાડીની દુકાનમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. જેને લઈને ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. આગના કારણે ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. ફાયર વિભાગનો કાપોદ્રા, પુણા, માન દરવાજા, ડુંભાલ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોચી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

શોર્ટ સર્કિટના કારણે દુકાનમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન
પ્રાપ્ત માહિતી મુજબ,સુરતમાં જૂની બોમ્બે માર્કેટમાં નંદીની નામની દુકાન આગ લાગી છે. અચાનક જ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ. ત્યારે વેપારીઓ આગની ઘટનાની જાણતા જ સ્થળ પર જ પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાનો પ્રયાસ શરુ કર્યુ હતો. વેપારીઓનું કહેવુ છે કે ટાંકીમાં પાણી ન હોવાના કારણે વિકટ પરિસ્થિતિ થઇ હતી અને આગ બુઝાઇ શકાઇ ન હતી. જે પછી ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી.

વેપારીઓએ ફાયર સેફ્ટીના સાધનો ન હોવાના લગાવ્યા આક્ષેપ
ફાયર બ્રિગેડની લગભગ પાંચ ટીમ સ્થળ પર પહોંચી ગઇ છે અને આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા દુકાનની અંદરનો સામાન બળીને ખાક થઇ ગયો છે. અંદાજે વેપારીને એક કરોડ રુપિયાથી વધુનું નુકસાન થયુ હોવાનો અંદાજો છે. તો વેપારીઓ આક્ષેપ કરી રહ્યા છે કે માર્કેટમાં ફાયર કંટ્રોલના સાધનો ન હોવાના પગલે આગુ બુઝાવવાની કામગીરીમાં હાલાકી પડી રહી છે.

surat fire 11 2023 10 c155a65e7f42e8dd2245ff1447afe951

જે દુકાનમાં આગ લાગી તે દુકાનમાં તો મોટું નુકસાન છે, પરંતુ હાલ માર્કેટ બંધ કરી દેવામાં આવી છે. નોંધનીય છે કે, તહેવારને પગલે માર્કેટમાં સેલ લાગતા હોય છે અને મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતાં હોય છે, ત્યારે જ્યાં સુધી માર્કેટ ક્લિયર નહીં થાય ત્યા સુધી માર્કેટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી ચોક્કસ વેપારીઓને નુકસાન પહોંચશે. આગને પગલે સમગ્ર માર્કેટમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.

surat fire 13 2023 10 dd0c3fee7a5730ad3d273d05e320ac0e

ફાયરના અધિકારીએ જણાવ્યું છે કે, મોટી આગ હતી. ધુમાડો એટલો બધો હતો કે સમજાતું જ નહોતું કે આગ અને ધુમાડો ક્યાં જઇ રહ્યો છે. ફોર્સ એન્ટ્રી કરીને ફાયર ફાયટીંગ કરી છે. હાલ આગ કાબૂમાં છે. કાપડ માર્કેટની આગ એટલે ભયંકર હોય છે કેમ કે તેમાં પેટ્રો કેમિકલનો સામાન હોય છે. તે કાપડ પેટ્રો કેમિકલમાં આવે છે. તેને કાબૂમાં લેવા માટે ઘણો સમય લાગતો હોય છે.

3 1696313090

વેપારી નરેન્દ્ર દવેએ જણાવ્યું હતું કે, આ જૂની બોમ્બે માર્કેટમાં મોટી સંખ્યામાં સાડીઓની દુકાનો આવેલી છે. સદનસીબે મોટી દર્ઘટના બનતા ટળી ગઈ છે. સ્થાનિક લોકોએ સમય સૂચકતા વાપરીને ફાયરને મદદ કરી હતી. જેને પગલે આગ વધુ પ્રસરતા રોકી હતી. આગ વધુ પ્રસરે તેમ હતું પરંતુ ફાયર વિભાગની ટીમ દ્વારા ઝડપથી કામગીરી કરવામાં આવી હતી. તેમજ અમારી માર્કેટની ટીમે પણ ખૂબ સારી રીતે આગ બૂઝાવવાનો પ્રયાસ કર્યો હતો. જેનાથી પણ આગ ઉપર ઝડપથી કાબૂ મેળવી લેવાયો હતો.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related posts

સુરત: ‘થાય તે કરી લો..!’- કહી ભાડૂઆત દુકાન ખાલી ન કરતો;રડતાં-રડતાં પોલીસ કમિશનરને કરી રજૂઆત,આખરે 3 દિવસમાં પોલીસે દુકાન અપાવતાં ખુશખુશાલ

KalTak24 News Team

BREAKING NEWS : સુરતમાં PAAS કન્વિનર અલ્પેશ કથીરિયા પર હુમલો,ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયા

Sanskar Sojitra

રક્ષકોને રક્ષાનું બંધન: સુરતની સરથાણા પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થિનીઓએ પોલીસ જવાનોને રાખડી બાંધી રક્ષાબંધનની કરી ઉજવણી

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી