April 7, 2025
KalTak 24 News
Gujarat

અમરેલી/ લાઠીના આંબરડીમાં પરિવાર પર આભ ફાટ્યું,ખેતરથી ઘરે જઈ રહેલા ખેત મજૂરો પર વીજળી પડતા 5ના મોત;3 ઈજાગ્રસ્ત

5-dead-due-to-lighting-strike-at-aabardi-village-of-lathi-amreli-news

લાઠી: અમરેલી(Amreli)ના લાઠી તાલુકામાંથી એક મોટા સમાચાર તાજેતરમાં મળી રહ્યા છે. હાલમાં ગુજરાતમાં ઠેર ઠેર વરસાદી માહોલ છે. ત્યારે આવા સમયે લાઠીના આંબરડી ગામે ખેત મજૂરો પર આકાશમાંથી વીજળી પડી હતી. આ ઘટનામાં 5 લોકોના મોત થઈ ગયા છે. જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયાં છે.

આ અંગે મળેલી પ્રાથમિક માહિતી મુજબ આંબરડી ગામમાં આજે આકાશી વીજળી વેરણ બનીને ત્રાટકી હતી. જેથી 5 લોકોના મોત થયા છે. કપાસની ખેતીકામ કરી પરત ફરી રહેતા પાંચેયનો આકાશી આફતે જીવ લીધો છે. તેમજ ત્રણ લોકો ગભરાઈ જતા તેઓને ઢંસા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. બીજી તરફ ધારાસભ્ય જનક તળાવિયા સહિતનાઓ હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

તમને જણાવી દઈએ કે લાઠીના આંબરડી ગામે વીજળી ત્રાટકી હતી અને ખેત મજૂરી કરતા મજૂરો ઘરે જતા હતા, તે સમયે વીજળઈ ત્રાટકતા એક જ પરિવારના 5 લોકોના મોત થયા છે. જેમાં 4 બાળકો સાથે 1 યુવતીનું વીજળી પડવાથી મોત થયું છે. ખેત મજૂરી કરતા દેવીપૂજક પરિવારના 5 વ્યક્તિના મોત થયા છે. મૃતકોને 108 વડે લાઠી સરકારી હોસ્પિટલે ખસેડાવામાં આવ્યા છે. ત્યારે વીજળી પડવાથી અન્ય 3 ઈજાગ્રસ્ત થયા છે, જેમને પણ સારવાર માટે અમરેલી ખસેડાયા છે. ત્યારે હાલમાં નાના એવા ગામમાં 5 લોકોના મોતથી અરેરાટી ફેલાઈ છે.

મૃતકોના નામ

  • ભારતીબેન ભાવેશભાઈ સાંથળીયા – ઉંમર 35 વર્ષ – ગામ આંબરડી
  • શિલ્પાબેન વિજયભાઈ સાંથળીયા – ઉંમર 18 વર્ષ – ગામ આંબરડી
  • રિદ્ધિબેન ભાવેશભાઈ સાંથળીયા – ઉંમર 7 વર્ષ-ગામ આંબરડી
  • રૂપાલીબેન દલસુખભાઈ – ઉંમર 8 વર્ષ – ગામ આંબરડી
  • રાધેભાઈ ભાવેશભાઈ સાંથળીયા – ઉંમર 5 વર્ષ- ગામ આંબરડી

ઘરે આવતા સમયે રસ્તામાં વીજળી પડતા 5ના મોત

મૃતકોના સાથી અનિલે જણાવ્યું હતું કે, અમે કપાસ વિણવા ગયા હતા અને ત્યાંથી અમે આવતા હતા. ત્યારે વીજળી પડી તો પાંચ લોકોના મોત થયા હતા. અમે 108માં ફોન કર્યો તો લાઠી સિવિલથી તાત્કાલિક એમ્બ્યુલન્સ આવી હતી. અન્ય એક સાથીએ જણાવ્યું હતું કે, અમે કપાસ વિણવા ગયા હતા. જ્યાં વરસાદ શરૂ થતાં ખેડૂતે કહ્યું કે, તમે ઘરે જતા રહો. બાદમાં અમે ઘરે આવતા હતા અને રસ્તામાં વીજળી પડી તો અમારા પાંચ લોકોના મોત થયા છે

લાઠી તાલુકા વિકાસ અધિકારી વિક્રમભાઇ દેથળીયાએ જણાવ્યું કે, આજે આશરે સાંજે 5 વાગ્યાની આસપાસ આંબરડી ગામે વિજળી પડવાથી 5 મજૂરોના મોત થયા છે. જેમાં 4 મહિલાઓ અને એક બાળકનો સમાવેશ થાય છે. સરકારી તંત્ર હતભાગીઓના પરિવારની સાથે છે. વહેલામાં વહેલી તકે સહાય ચુકવવાનો પ્રયાસ કરીશું.

 

આ સમાચારને અમે સતત અપડેટ કરી રહ્યા છીએ…

 

Advertisement
Advertisement

 

 

 

Related posts

ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર,પહેલીવાર ગુજરાતમાં વહેલી લેવાશે;જાણો ગુજરાત બોર્ડની વિષયવાર પરીક્ષાની તારીખો

KalTak24 News Team

બોટાદ/ સાળંગપુરમાં શતામૃત મહોત્સવનું વડતાલ ગાદીના આચાર્ય અને વડીલ સંતોના હસ્તે લોકાર્પણ,ભવ્ય શોભાયાત્રામાં 110 નાસિક ઢોલના ઢોલી અને 30 થાર કાર સાથે હજારો ભક્તોનો જમાવડો

KalTak24 News Team

સુરત: પી.પી. સવાણી પરિવારના આંગણેથી પિતા વિનાની દીકરીઓની લાગણીસભર વિદાય; મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, મોરારીબાપુ સહિત અનેક રાજકીય સામાજીક મહેમાનો રહ્યા ઉપસ્થિત

Sanskar Sojitra
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં