September 21, 2024
KalTak 24 News
Gujarat

સુરતમાં મોડલના આપઘાતનો કેસઃ પોલીસે ક્રિકેટર અભિષેક શર્માની ત્રણથી ચાર કલાક સુધી પૂછપરછ કરાઈ

surat news

Surat News: સુરતમાં 19 ફેબ્રુઆરીના રોજ મોડલ તાન્યા સિંહે આપઘાત કર્યો હતો. ત્યારે તાન્યા આપઘાત કેસમાં આઈપીએલ ક્રિકેટર અભિષેક શર્માનું નામ પણ સામે આવ્યું હતું. પરિણામે આજે અભિષેક નિવેદન નોંધાવા સુરત આવ્યો હતોઆ કેસમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને આઇપીએલ ક્રિકેટર અભિષેક શર્માની ચારથી પાંચ કલાક પૂછપરછ કરી તેનું નિવેદન નોંધ્યું હતું. તાન્યા સિંહના કોલ રેકોર્ડ, ઇન્ટરનેટ પ્રોટોકોલ રેકોર્ડના આધારે જાણવા મળ્યું હતું કે, તાન્યા અને અભિષેક શર્મા ઘણા મહિનાઓથી એકબીજાનાં સંપર્કમાં હતા.

કોલ રેકોર્ડ સહિતના પુરાવાઓના આધારે અભિષેક શર્માને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. વેસુ પોલીસ દ્વારા ચારથી પાંચ કલાક સુધી તેની પૂછપરછ કરવામાં આવી હતી અને જ્યારે પણ બોલાવવામાં આવે ત્યારે પોલીસ સ્ટેશન આવવું પડશે તેમ જણાવવામાં આવ્યું હતું. વેસુ પોલીસે જણાવ્યું હતું કે, તાન્યા સિંહ સાથે અભિષેક શર્માને સંબંધો હતા તેના પૂરતા પુરાવા અમારી પાસે છે.

‘પુલીસને આજ મુઝે બુલાયા થા ઔર સ્ટેટમેન્ટ દેને કે લિયે મેં આયા હું”

ત્રણથી ચાર કલાક સુધી પોતાનું સ્ટેટમેન્ટ નોંધાવ્યા બાદ તાન્યા આપઘાત કેસમાં મીડિયા દ્વારા કરવામાં આવેલા પ્રશ્નોનો જવાબ આપવાનો અભિષેક શર્માએ મોટાભાગે ટાળ્યું હતું. પરંતુ એક બે શબ્દોમાં અભિષેક શર્માએ મીડિયાના સવાલોના જવાબ આપતા જણાવ્યું હતું કે ‘પુલીસને આજ મુઝે બુલાયા થા ઔર સ્ટેટમેન્ટ દેને કે લિયે મેં આજ આયા હું”. પુલીસ કો મૈને સારે સ્ટેટમેન્ટ દે દીયે હે, પુલીસ આપકો સ્ટેટમેન્ટ દે દેગી”. માત્ર ટૂંકા જવાબો આપી ક્રિકેટર અભિષેક શર્મા વેસુ પોલીસ મથકે ખાનગી કારમાં બેસી ત્યારબાદ રવાના થઈ ગયા હતા. જોકે પોલીસ મથકની અંદર મીડિયાના પ્રશ્નોથી બચવા અભિષેક શર્માએ કેમેરાથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું.

પોલીસ દ્વારા અભિષેક શર્માને તાન્યા સાથેની પ્રથમ મુલાકાત તથા છેલ્લા કેટલાક મહિનાઓથી તેઓ ક્યાં મળતા હતા એ અંગે પૂછવામાં આવ્યું હતું. સીડીઆર અને આઇપીડીઆરના આધારે અભિષેક શર્માનું નિવેદન લેવામાં આવ્યું હતું. તેમજ પોલીસ દ્વારા અન્ય 30 લોકોની પણ પૂછપરછ કરવામાં આવી છે. તેમજ હજી 10 જેટલા લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવશે.

મહત્વનું છે કે ગ્લેમરસ ગર્લ તાન્યા આપઘાત કેસ મામલે વેસુ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આપઘાત કેસમાં પોલીસને હજી કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. પરંતુ ક્રિકેટર અભિષેક શર્માના નિવેદન બાદ આગામી દિવસોમાં સુરત પોલીસ આ મામલે કોઈ ખુલાસો કરે તેવી શક્યતા ચોક્કસથી દેખાઈ રહી છે. જોકે હાલ પોલીસ આ મામલે કાંઈ પણ બોલવા માટે તૈયાર નથી. ત્યારે જોવાનું એ રહે છે કે પોલીસ તપાસમાં તાન્યાના આપઘાત પાછળ કોણ જવાબદાર છે અને હવે કઈ સત્ય હકીકત બહાર આવે છે.

 

Group 69

 

 

Related posts

સુરત/ હીરાના વેપારીના પુત્રએ ભગવાન શ્રીરામનો વેશ ધારણ કરી પહોંચ્યો લગ્નમંડપમાં,દુલ્હો શ્રીરામ તો માં સીતા બની દુલ્હન–જુઓ વિડીયો

KalTak24 News Team

અનોખા લગ્ન/ બે ઘોડા પર ઊભા રહીને અંગદાન જાગૃતિના સંદેશા સાથે વરરાજાની ભવ્ય એન્ટ્રી,કન્યા પક્ષે ઓર્ગન ડૉનેટના પ્લેકાર્ડ સાથે કર્યુ સ્વાગત,VIDEO

KalTak24 News Team

BREAKING NEWS : સુરતમાં PAAS કન્વિનર અલ્પેશ કથીરિયા પર હુમલો,ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડાયા

Sanskar Sojitra
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી