April 7, 2025
KalTak 24 News
Gujaratજૂનાગઢ

રાજકારણ / વિસાવદર વિધાનસભા બેઠક પર ગોપાલ ઇટાલિયાને મળી તક, AAPએ જાહેર કર્યા ઉમેદવાર

ગુજરાતની રાજનીતિને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં યોજાનારી વિધાનસભા પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. ગોપાલ ઇટાલિયા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કન્વીનર રહી ચૂક્યા છે. હાલમાં તેઓ પાર્ટીના સંયુક્ત મહામંત્રી છે.

આમ આદમી પાર્ટીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર માહિતી આપી છે. એવું કહેવામાં આવ્યું છે કે , આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ (સંગઠન) ડૉ. સંદીપ પાઠકે ગોપાલ ઇટાલિયાને વિસાવદર (વિધાનસભા મતવિસ્તાર ક્રમાંક 87) માટે ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. આ જાહેરાત AAP દ્વારા 23 માર્ચ, 2025ના રોજ કરવામાં આવી હતી. પક્ષના નેતાઓ માને છે કે ગોપાલ ઇટાલિયાની ઉમેદવારી વિસાવદરમાં AAP માટે વિજયી સાબિત થશે. AAPએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે વિસાવદરની જનતા ભાજપને જવાબ આપશે અને ફરી એકવાર વિસાવદરમાં AAPનું ઝાડું ચાલશે.

 


AAPના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, AAPએ નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયા ઉપર પસંદગી ઉતારી છે. વ્યવસાયે એડવોકેટ એવા ગોપાલ ઇટાલિયા ખેડૂતોના હિત માટે અને ગુજરાતની કથળેલી કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે ઘણા વર્ષોથી સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોમાં પણ તેઓ ખૂબ લોકપ્રિય છે. ખેડૂતોને તેમના હક્કો અપાવવામાં ગોપાલ ઇટાલિયાએ મહત્વની ભૂમિકા ભજવી છે.

મનોજ સોરઠીયાએ વધુમાં જણાવ્યું હતું કે, ગોપાલ ઇટાલિયાના ગુજરાત વિધાનસભામાં આવવાથી શાસકોના પેટમાં ફાળ પડશે. ખેડૂતો અને ગરીબ તેમજ મધ્યમ વર્ગનો અવાજ હવે વિધાનસભામાં ગુંજશે. AAPને વિશ્વાસ છે કે ગોપાલ ઇટાલિયા રેકોર્ડ બ્રેક બહુમતીથી વિજેતા બનશે.

વિસાવદર બેઠક પર યોજાઇ શકે છે પેટા ચૂંટણી

લાંબા સમયથી ખાલી પડેલી વિસાવદર વિધાનસભા બેઠક પર ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે. પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ હાઇકોર્ટમાં કરેલી અરજી પાછી ખેંચી હતી.વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ભુપત ભાયાણીની જીતને પડકારતી અરજી કરવામાં આવી હતી. બાદમાં ભુપત ભાયાણીએ રાજીનામું આપતા આ બેઠક ખાલી પડી હતી. ખાલી પડેલી બેઠક બાદ પણ હાઇકોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાને કારણે ચૂંટણી યોજાઇ નહતી.

શું હતો વિવાદ?

વર્ષ 2022માં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વિસાવદરની બેઠક પર આમ આદમી પાર્ટીના ભુપત ભાયાણીનો વિજય થયા બાદ આ બેઠક પર ઊભા રહેલા ભાજપના ઉમેદવાર હર્ષદ રીબડીયાએ AAPના ધારાસભ્ય પર ચૂંટણીમાં ગેરરિતી કરી હોવાના આક્ષેપ કર્યા હતા અને હાઇકોર્ટમાં ઇલેક્શન પિટિશન ફાઇલ કરી હતી. હવે હાઇકોર્ટમાં અરજી કરનાર હર્ષદ રીબડીયાએ અરજી પરત ખેંચતા મામલો થાળે પડ્યો છે.

2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભુપત ભાયાણીએ ભાજપના હર્ષદ રિબડિયાને 7 હજાર 63 મતે હરાવ્યા હતા.તે બાદ ભુપત ભાયાણી AAPમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા.

 

 

 

Advertisement

Advertisement

 

 

 

 

 




 

Related posts

Mass Suicide/ સુરતના અડાજણમાં 2 બાળકો સહિત પરિવારના 7 સભ્યોએ કર્યો આપઘાત,પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો,કારણ અકબંધ

KalTak24 News Team

સુરતની યશકલગીમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું;સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-૨૦૨૪’માં સુરતે દેશભરમાં હાંસલ કર્યો પ્રથમ ક્રમ

Sanskar Sojitra

સુરતમાં એક યુગલે લગ્ન કંકોત્રીમાં સ્વતંત્ર સેનાનીઓનીતસ્વીર મૂકી દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું,જુઓ તસ્વીરો

Sanskar Sojitra
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં