September 21, 2024
KalTak 24 News
Gujarat

સુરત/ મહિલા પોલીસકર્મીના આપઘાતનો કેસઃ મહિલા કર્મીને અન્ય પોલીસકર્મી સાથે હતો પ્રેમસંબંધ, 10 દિવસથી વાત ન થતા ડિપ્રેશનમાં હતા

Surat police

Surat News: સુરતના સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પોલીસકર્મી હર્ષનાબેન ચૌધરીએ ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ ચકચારી બનાવમાં તેઓનું સાયબર ક્રાઈમ સેલમાં ફરજ બજાવતા પ્રશાંત ભોંયે સાથે પ્રેમ સબંધ હોવાનું બહાર આવ્યું છે. બંને લગ્ન પણ કરવાના હતા અને આ અંગે બંનેના પરિવારને જાણ પણ હતી. જો કે છેલ્લા 10 દિવસથી પ્રશાંત સાથે સંપર્ક ન થઇ શકતા ડિપ્રેશનમાં હર્ષનાબેને આ પગલું ભર્યું હોવાની આશંકા પોલીસ સેવી રહી છે.

vlcsnap 2024 03 20 16h01m37s479
પીનાકીન પરમાર (DCP સુરત પોલીસ)

ડીસીપી પીનાકીન પરમારે જણાવ્યું હતું કે સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતા હર્ષનાબેન મહેન્દ્રભાઈ ચૌધરીએ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેની તપાસ સિંગણપોર પોલીસ મથકના પીઆઈ જાતે કરી રહ્યા છે. આ તપાસમાં એક સુસાઈડ નોટ મળી હતી. જેમાં કોઈનો નામ જોગ ઉલ્લેખ ન હતો. પરંતુ છેલ્લી લાઈનમાં બેને એવો ઉલ્લેખ કર્યો હતો કે બોવ મોટી ભૂલ કરી નાખી છે. જેના પર ખોટો વિશ્વાસ મુક્યો. જેને મારી કઈ પડેલી નથી. આ અનુસંધાને પોલીસ તપાસ અલગ અલગ એંગલથી તપાસ કરી રહી છે.

vlcsnap 2024 03 20 16h03m23s265

વધુમાં જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં એવું ધ્યાનમાં આવ્યું છે કે હર્ષનાબેનનો સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરજ બજાવતા પ્રશાંત સીતારામભાઈ ભોંયે સાથે પ્રેમ સબંધ હતો. તો આ અનુસંધાને ગતરોજ પ્રશાંતની પૂછપરછ કરીને સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવ્યું છે. જેમાં પ્રાથમિક તબક્કે એવું ધ્યાને આવ્યું છે કે બંને વચ્ચે છેલ્લા ૩ વર્ષથી પ્રેમ સબંધ હતો અને બંને લગ્ન પણ કરવાના હતા અને આ અંગે બંનેના પરિવારને જાણ પણ હતી.

મૃતક મહિલાને સાયબર ક્રાઈમમાં ફરજ બજાવતા યુવક સાથે પ્રેમ સબંધ હતો

પ્રશાંત ભોંયે મૂળ ડાંગ જિલ્લાના વતની છે અને તે છેલ્લા 10 દિવસથી તે વતનમાં હતો અને ત્યાં કવરેજ ન હોવાને લીધે બંને વચ્ચે સંપર્ક રહેતો ન હતો. જેથી હર્ષનાબેન થોડા ડીપ્રેશનમાં હતા અને ડાંગમાં ગયા પછી પ્રશાંત ભોંયેની બાઈક સ્લીપ થઇ ગઇ હોવાથી તેનું એકસીડેન્ટ પણ થયું હતું જેથી તે હર્ષનાબેનના સંપર્કમાં ન હતો. જેથી પ્રાથમિક તબક્કે બંને વચ્ચે છેલ્લા 10 દિવસથી કોન્ટેક ઓછો હોવાથી હર્ષનાબેને આ પગલું ભરી લીધું હોય શકે, આ ઉપરાંત નજીકના મિત્રોની પૂછપરછ કરતા 1 વર્ષ પહેલા પણ હર્ષનાબેને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે પ્રશાંત અને હર્ષનાબેન લગ્ન પણ કરવાના હતા, બીજું એ ધ્યાને આવ્યું છે કે પ્રશાંત જલ્દી લગ્ન કરવાના પ્રયત્નમાં હતો જયારે જયારે હર્ષનાબેનને થોડો સમય જોઈતો હતો આ અનુસંધાને બંને વચ્ચે નાના મોટા ઝઘડાઓ પણ થતા હતા અને હર્ષનાબેનને મગજમાં એમ હતું કે પ્રશાંતને લગ્નની ઉતાવળ છે. તો બીજા કોઈ જોડે લગ્ન કરી લે તો અનુસંધાને બંને વચ્ચે નાના મોટા ઝઘડાઓ થતા હતા તેઓ પ્રશાંત પોતે સ્વીકારે છે. હાલ વધુ તપાસ સિંગણપોર પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

 

Group 69

 

 

Related posts

સુરતની યશકલગીમાં વધુ એક મોરપિચ્છ ઉમેરાયું;સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-૨૦૨૪’માં સુરતે દેશભરમાં હાંસલ કર્યો પ્રથમ ક્રમ

Sanskar Sojitra

Amreli: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલીના આંબરડી સફારી પાર્કની મુલાકાતે;એશિયાટિક લાયનનું વન વિચરણ નિહાળ્યું અને ઈન્ટરપ્રિટેશન સેન્ટરની ગતિવિધિઓનું કર્યું નિરીક્ષણ

KalTak24 News Team

અમરેલીના સુરગપરામાં રમતાં રમતાં બાળકી ખુલ્લા બોરમાં પડી, 50 ફૂટ ઊંડે હોવાનું અનુમાન;ઓક્સિજન સપ્લાય શરૂ કરવામાં આવ્યો

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી