પીએમ મોદી ક્યારે આવશે

PM મોદી 29, 30 સપ્ટેમ્બર અને 9થી 11 ઓકટોબરે ગુજરાત આવશે. જેમાં 29-30 સપ્ટેમ્બરે સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીનો પ્રવાસ કરશે. તથા 9 ઓક્ટોબરે મોડાસામાં સંભવિત પ્રવાસ કરશે. 10 ઓક્ટોબરે જામનગર અને ભરૂચના પ્રવાસે આવશે તથા 11 ઓક્ટોબરે રાજકોટના જામ કંડોરણાના પ્રવાસે જશે.

5 દિવસના પ્રવાસનું શિડ્યુલ

  • 29-30 સપ્ટેમ્બરે સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીના પ્રવાસે 
  • 9 ઓક્ટોબરે મોડાસામાં સંભવિત પ્રવાસ
  • 10 ઑક્ટોબરે જામનગર અને ભરૂચના પ્રવાસે  
  • 11 ઓકટોબરે રાજકોટના જામકંડોરણાના પ્રવાસે

અમિત શાહ ગુજરાત આવશે
ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ એકવાર ફરી ગુજરાતના પ્રવાસે આવશે. આગામી 27 સપ્ટેમ્બરે તેઓ ગુજરાતમાં હશે, આ દિવસે નવરાત્રિનું બીજું નોરતુ છે. ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ ગાંધીનગરના કલોલમાં રાજ્ય કામદાર વીમા યોજનાની અદ્યતન 150 બેડની હોસ્પિટલનું ખાત મુહૂર્ત કરશે. છેલ્લા ઘણા સમયથી આ બિલ્ડીંગ ખાલી કરવામાં આવ્યું હતું. અમિત શાહના કાર્યક્રમને લઈ તાબડતોબ કામગીરી શરૂ કરાઇ છે. નવરાત્રિ દરમિયાન તેઓ પોતાના વતન માણસામાં આરતી દરમિયાન સહપરિવાર હાજરી આપે તેવી પણ શક્યતા છે. માણસા ખાતે સહપરિવાર કુળદેવીના દર્શન કરશે.