ગુજરાત
Trending

PM મોદી ફરી ગુજરાત પ્રવાસે આવી શકે છે, ગુજરાત માં 5 દિવસમાં 12થી વધુ જનસભાને સંબોધશે

નવરાત્રિ શરૂ થતાં જ PM મોદીનો ગુજરાત પ્રવાસ શરૂ થશે. જેમાં PM મોદી 5 દિવસમાં 12થી વધુ જનસભાને સંબોધશે. તેમાં 10 ઓક્ટોબરે જામનગર અને ભરૂચના પ્રવાસે PM મોદી રહેશે. તથા 11 ઓકટોબરે રાજકોટના જામકંડોરણાનો પ્રવાસ કરશે. તેમજ રાજ્યને અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે.

પીએમ મોદી ક્યારે આવશે

PM મોદી 29, 30 સપ્ટેમ્બર અને 9થી 11 ઓકટોબરે ગુજરાત આવશે. જેમાં 29-30 સપ્ટેમ્બરે સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીનો પ્રવાસ કરશે. તથા 9 ઓક્ટોબરે મોડાસામાં સંભવિત પ્રવાસ કરશે. 10 ઓક્ટોબરે જામનગર અને ભરૂચના પ્રવાસે આવશે તથા 11 ઓક્ટોબરે રાજકોટના જામ કંડોરણાના પ્રવાસે જશે.

5 દિવસના પ્રવાસનું શિડ્યુલ

  • 29-30 સપ્ટેમ્બરે સુરત, ભાવનગર, અમદાવાદ અને અંબાજીના પ્રવાસે 
  • 9 ઓક્ટોબરે મોડાસામાં સંભવિત પ્રવાસ
  • 10 ઑક્ટોબરે જામનગર અને ભરૂચના પ્રવાસે  
  • 11 ઓકટોબરે રાજકોટના જામકંડોરણાના પ્રવાસે

અમિત શાહ ગુજરાત આવશે
ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ એકવાર ફરી ગુજરાતના પ્રવાસે આવશે. આગામી 27 સપ્ટેમ્બરે તેઓ ગુજરાતમાં હશે, આ દિવસે નવરાત્રિનું બીજું નોરતુ છે. ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ ગાંધીનગરના કલોલમાં રાજ્ય કામદાર વીમા યોજનાની અદ્યતન 150 બેડની હોસ્પિટલનું ખાત મુહૂર્ત કરશે. છેલ્લા ઘણા સમયથી આ બિલ્ડીંગ ખાલી કરવામાં આવ્યું હતું. અમિત શાહના કાર્યક્રમને લઈ તાબડતોબ કામગીરી શરૂ કરાઇ છે. નવરાત્રિ દરમિયાન તેઓ પોતાના વતન માણસામાં આરતી દરમિયાન સહપરિવાર હાજરી આપે તેવી પણ શક્યતા છે. માણસા ખાતે સહપરિવાર કુળદેવીના દર્શન કરશે.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button