December 18, 2024
KalTak 24 News
Gujarat

જામનગર/ આઇસ્ક્રીમ બાદ હવે Pizza માંથી વંદો નીકળ્યો,U.S પિઝા સ્ટોરની ચોંકાવનારી ઘટના,વીડિયો વાઇરલ થતાં ફૂડ વિભાગે તપાસ હાથ ધરી

Jamnagar News
  • પિઝા ખાવાના શોખીનો સાવધાન 
  • પંચવટી રોડ પાસેના U.S.પિઝાની ઘટના 
  • ગ્રાહકે ઓર્ડર કરેલા પિઝામાં નીકળ્યા વંદા 

Jamnagar News: જો તમે પણ ગાર્લિક બ્રેડ, પિઝા, બર્ગર ખાવાના શોખીન છો અને તેનું સતત સેવન કરો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, અમદાવાદ બાદ હવે જામનગરના પિઝા સેન્ટરમાં પિઝામાંથી વંદો નીકળ્યો છે. જામનગર U.S પિઝા સેન્ટર ખાતે પિઝામાંથી વંદો નીકળતા ખળભળાટ મચી ગયો છે. જેનો વીડિયો વાયરલ થતાં ફૂડ વિભાદની ટીમે તપાસ હાથ ધરી છે.

જામનગરના પંચવટી રોડ પાસેના આવેલા U.S.પિઝા સ્ટોરમાં એક ગ્રાહકે પિઝાનો ઓર્ડર કર્યો હતો. જ્યારે ગ્રાહકે પિઝાનું બોક્સ ખોલી પિઝો ખાવાની શરૂઆત કરી ત્યારે પિઝામાં વંદો જોવા મળ્યો હતો. જે બાદ ગ્રાહકે આનો વીડિયો ઉતારી લીધો હતો અને સમગ્ર મામલે પિઝા સ્ટોરના સંચાલકને જાણ કરી હતી.

જામનગરના પટેલ કોલોની 6 નંબર નજીક યુ.એસ.પિઝા નામનું રેસ્ટોરન્ટ આવેલું છે. જ્યાં દરરોજ કેટલાય લોકો પિઝા આરોગવા જાય છે. ગતરોજ બન્યું એવ્યું કે એક્સ આર્મીમેન પી.પી.ગોસ્વામી તેમના પરિવાર સાથે યુ.એસ. પિઝામાં પહોંચ્યા હતા. આ દરમિયાન ઓર્ડર આપ્યા બાદ પ્લેટ પિઝાની સાથે જીવાત પણ જોવા મળી હતી. જે અંગે એક્સ આર્મીમેને સ્થળ પર રેસ્ટોરાં સંચાલકને ફરિયાદ કરી તો યુ.એસ. પિઝાના સંચાલકે માફી માંગી હતી. જે બાદ આજે આ અંગે પી.પી. ગોસ્વામી નામના એક્સ આર્મીમેન ફૂડ શાખાને આધાર પુરાવા સાથે ફરિયાદ કરતા ફૂડ શાખા દ્વારા યુ.એસ.પિઝા ખાતે તપાસ હાથ ધરી હતી.

જે બાદ FSLની ટીમ આજે યુ.એસ પિઝાના આઉટલેટમાં તપાસ કરવા માટે ટીમ સાથે પહોંચ્યા હતા અને આઉટલેટમાં રહેતી ખાદ્ય સામગ્રીની સ્થિતિ તથા સાફ-સફાઈની તપાસ કરી હતી. જેમાં આઉટલેટમાં સ્વચ્છતા ન જળવાતી હોવાથી હાલ તેને 5 દિવસ માટે સીલ કરી દેવામાં આવ્યું છે. આઉટલેટના માલિક દ્વારા કીચનમાં દવાનો છંટકાવ કરી, પાણીના સેમ્પલનો રિપોર્ટ તથા સ્વસ્છતા જળવાય તેની ખાતરી કરતું સર્ટિફિટેક મેળવ્યા બાદ જ આઉટલેટને ફરી ખોલવામાં આવશે.

જે બાદ ગ્રાહકે આ વીડિયો વાયરલ કરી દીધો હતો. વીડિયો વાયરલ થયા બાદ જામનગર મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ એક્ટિવ થઈ ગયું હતું. જે બાદ ફૂડ વિભાગે જામનગરના પંચવટી રોડ પાસેના U.S.પિઝા સ્ટોરમાં તપાસ હાથ ધરી હતી. આપને જણાવી દઈએ કે આ મહિને જ અમદાવાદમાંથી પણ આવી ત્રણ જેટલી ઘટનાઓ સામે આવી હતી.

મહત્ત્વનું છે કે, ગત ગુરૂવારના રોજ જામનગર શહેરની પંચવટી હોસ્પિટલ નજીક છાસવાલાની શોપમાં આવેલી આઇસ્ક્રીમમાંથી વંદો નીકળ્યો હતો. ત્યારબાદ જામનગર મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ચેકિંગ કરતા ફ્રીજમાંથી પણ વંદા મળી આવ્યા હતાં. ત્યારબાદ તાત્કાલિક છાસવાલાની આઇસ્ક્રીમ સહિતની ચીજ વસ્તુઓના વેચાણ બંધ કરાવવામાં આવ્યું હતું.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related posts

સુરતના આર્કિટેક એન્જિનિયરે 7200 ડાયમંડથી તૈયાર કર્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અનોખું પોટ્રેટ,જન્મદિવસે ગીફ્ટમાં આપવાની છે ઈચ્છા

KalTak24 News Team

વિદેશ જતા ગુજરાતી વિદ્યાર્થીઓને 6-6 મહિના સુધી લોન નથી મળતી, કુમાર કાનાણીએ CMને પત્ર લખીને કરી રજૂઆત

KalTak24 News Team

સુરતમાં ડાયમંડ બુર્સનો ઝળહળાટ,ડાયમંડ, ગોલ્ડ અને સિલ્વરમાંથી બની અદ્ભુત પ્રતિકૃતિ બનાવી, 2 કિલો પંચધાતુ અને 7 હજાર ડાયમંડનો ઉપયોગ કરાયો,VIDEO

KalTak24 News Team
Advertisement
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં