September 21, 2024
KalTak 24 News
Politics

મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના નવા અધ્યક્ષ બન્યા,જાણો તેમની રાજકીય સફર વિશે

Mallikarjun Khadge

કોંગ્રેસ (Congress) પ્રમુખપદની ચૂંટણીના પરિણામો આવી ગયા છે, જેમાં મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Khadge)નો વિજય થયો છે. તેમને કુલ 7,897 વોટ મળ્યા છે. જ્યારે શશી થરૂર (Shashi Tharoor)ને 1072 મત મળ્યા છે. થરૂરે પોતાની હાર સ્વીકારી લીધી છે. મલ્લિકાર્જુન ખડગેને પાર્ટી હાઈકમાન્ડ તરફથી પણ સમર્થન મળ્યું હોવાનું માનવામાં આવે છે. આ જ કારણ છે કે તેમને મોટાભાગના અન્ય નેતાઓનું સમર્થન પણ મળ્યું છે. કર્ણાટકના 9 વખત ધારાસભ્ય અને સાંસદ રહી ચૂકેલા મલ્લિકાર્જુન ખડગેને ગાંધી પરિવારના વફાદાર નેતાઓમાંના એક ગણવામાં આવે છે.

મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના 65માં પ્રમુખ
137 વર્ષ જૂની કોંગ્રેસમાં 24 વર્ષ બાદ ગાંધી પરિવાર બહારની કોઇ વ્યક્તિ કોંગ્રેસની પ્રમુખ બની છે. મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના 65માં પ્રમુખ બન્યા છે.

પાર્ટીમાં મોટા પરિવર્તનની શરુઆત
કોંગ્રેસ અધ્યક્ષ તરીકે મલ્લિકાર્જુન ખડગેની ચૂંટણીને પાર્ટીમાં મોટા પરિવર્તનની શરૂઆત માનવામાં આવે છે. તેમના પ્રમુખ બનતાની સાથે જ ગાંધી પરિવાર બેકસીટ પર પહોંચી ગયો છે, જે સતત 24 વર્ષ સુધી કોંગ્રેસ અધ્યક્ષ હતો.1998થી લઈને અત્યાર સુધી સોનિયા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ હતા, જ્યારે 2017 થી 2019 વચ્ચે બે વર્ષ સુધી રાહુલ ગાંધીએ આ પદ સંભાળ્યું હતું. લોકસભા ચૂંટણીમાં હાર બાદ રાહુલ ગાંધીએ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે હવે ગાંધી પરિવારમાંથી કોઈ પ્રમુખ નહીં હોય. અંત સુધી તેઓ આ જીદ પર અડગ રહ્યા અને પછી ચૂંટણી થઈ, જેમાં મલ્લિકાર્જુન ખડગેની પસંદગી કરવામાં આવી છે.

શું કહ્યું રાહુલ ગાંધીએ?
દરમિયાન, રાહુલ ગાંધીએ પોતે સ્પષ્ટ કર્યું છે કે પાર્ટી ચીફ જ તેમનું કામ નક્કી કરશે. હાલમાં વાયનાડના સાંસદ કન્યાકુમારીથી જમ્મુ-કાશ્મીર સુધીની પદયાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે પાર્ટીના વડાની ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. બુધવારે આ મુલાકાત દરમિયાન રાહુલે આંધ્રપ્રદેશમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. પોતાની ભૂમિકા અંગે તેમણે કહ્યું કે પાર્ટી ચીફ આ વિશે જણાવશે. તેમણે કહ્યું, કોંગ્રેસ અધ્યક્ષ પાર્ટીમાં સર્વોચ્ચ છે. તેઓ પાર્ટીમાં મારી ભૂમિકા નક્કી કરશે, કૃપા કરીને ખડગેજી અને સોનિયા ગાંધીજીને પૂછો.

માત્ર કોંગ્રેસમાં જ ચૂંટણી થાય છે
ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ એકમાત્ર એવી પાર્ટી છે જેમાં ચૂંટણી થાય છે. તેમણે કહ્યું કે આ અંગે ભાજપને કોઈ પ્રશ્ન પૂછતું નથી. અન્ય કોઈ પક્ષમાં પ્રમુખ માટે ચૂંટણી નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે મલ્લિકાર્જુન ખડગે અને શશી થરૂર બંને અનુભવી નેતા છે. દેશમાં નફરત અને હિંસા ફેલાવવામાં આવી રહી છે. કોંગ્રેસ તેની સામે લડી રહી છે.

કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ બનવા સુધીની સફર…
તેમની લોકપ્રિયતા જોઈને પાર્ટીએ મલ્લિકાર્જૂન ખડગેને ગુલબર્ગ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ બનાવ્યા હતા. 1972માં તેઓ પ્રથમ વખત કર્ણાટકની ગુરમિતકલ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. ખડગે ગુરમિતકલ સીટ પરથી નવ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. આ દરમિયાન તેમણે વિવિધ વિભાગોમાં મંત્રી પદ પણ સંભાળ્યું હતું. 2005માં તેમને કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. તેઓ 2008 સુધી આ પદ પર રહ્યા. 2009માં પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

ખડગેને વિપક્ષના નેતા બનાવાયા…
ખડગેને ગાંધી પરિવારના વિશ્વાસુ માનવામાં આવે છે. આ માટે તેને સમયાંતરે ઈનામ પણ મળતું હતું. 2014માં ખડગેને લોકસભામાં પાર્ટીના નેતા બનાવવામાં આવ્યા હતા. લોકસભા ચૂંટણી 2019માં હાર બાદ કોંગ્રેસે તેમને 2020માં રાજ્યસભામાં મોકલ્યા હતા. ગયા વર્ષે જ્યારે ગુલામ નબી આઝાદનો કાર્યકાળ પૂરો થયો ત્યારે ખડગેને રાજ્યસભામાં વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા હતા.

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp

વોટ્સએપ 2: Whatsapp

Related posts

AAPના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા સામે થયેલા કેસના વિરોધમાં તિરંગા યાત્રાનું આયોજન,પાટીદાર મુદ્દે ભાજપ સરકારને ઘેરી

KalTak24 News Team

વિધાનસભાના બીજા દિવસે પણ કોંગ્રેસ ગૃહમાં આક્રમક મૂડમાં: ચર્ચા કરવાની માંગનો અસ્વીકાર થતાં કર્યું વૉક આઉટ

KalTak24 News Team

કોગ્રેસમાંથી રાજીનામું આપનારા મોહનસિંહ રાઠવા ભાજપમાં જોડાયા

Sanskar Sojitra