February 9, 2025
KalTak 24 News
Uncategorized

સુરત/ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરતની અનોખી પહેલ: માનસિક તણાવ દુર કરવા દરરોજ 1 વ્યક્તિને હસાવવા યુવાનોને આપ્યો ટાસ્ક

Saurashtra Patel Seva Samaj-Surat
  • જીંદગી જંગ નહિ પણ સફર છે,તેને વિસ્મયતાથી માણો..- થર્સ-ડે થોટ્સ
  • વર્તમાન સમયે માનસિક તણાવ ને,રોકવાની જરૂર છે.–કાનજીભાઈ ભાલાળા
  • જીવનમાં કંઇક મેળવવા માટે કંઇક,છોડવુ પડે – નિતીન સાવલિયા, પૂર્વ ડે. કલેકટર

Surat News: વર્તમાન સમયે માનસીક તણાવ અને ડીપ્રેશનમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે લોકોને નવો વિચાર આપવા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી દર ગુરુવારે જમનાબા ભવન ખાતે થર્સ-ડે થોટ્સ કાર્યક્રમનું નિયમિત આયોજન થાય છે. ગુરુવારના ૩૪માં વિચારના વાવેતર કાર્યક્રમમાં “જીંદગી જંગ નહી પણ સફર છે તેને વિસ્મયતાથી માણવી જોઈએ”. તેવો વિચાર આપતા વધુમાં શ્રી કાનજીભાઈ આર. ભાલાળાએ જણાવ્યું હતુ કે, આર્થીક પારિવારીક અને આરોગ્યના પ્રશ્નો માણસ સામે મોટા પડકારો છે. લોકો માનસિક રીતે વધુ થાકેલ હોય તેવું લાગે છે.

ડીપ્રેશનના કારણે લોકો આત્મહત્યા કે સામુહિક આત્મહત્યા કરે છે તે ચિંતાજનક છે, માણસ પ્રશ્નો સામે જંગ લડે છે. અને થાકે ત્યારે નિરાશ થાય છે. મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલનમાં પખવાડીયામાં ૨૮ વ્યક્તિઓએ આત્મહત્યા કરી છે. આ બાબતની ચિંતા વ્યક્ત કરી માનસિક તણાવને રોકવા અપીલ કરવામાં આવી હતી.

દાતા ટ્રસ્ટીશ્રી અને અનમોલ ગ્રુપના શ્રી બાબુભાઈ રાદડિયાએ આગળના વિચારને યાદ કરતા જણાવ્યું હતું કે, નાણાકીય આયોજન ઉપરાંત કમાણી સાથે સદભાવના વધે તો જ જીવન સાર્થક થાય છે. ટીમ-૧૦૦ ના શ્રી હાર્દિકભાઈ ચાંચડ સહીત સભ્યો થર્સ-ડે થોટ્સનું સુંદર આયોજન અને સંચાલન કરી રહ્યા છે.

દરરોજ ૧ વ્યક્તિને હસાવવા આપ્યું ટાસ્ક:

વિચારોના વાવેતર કાર્યક્રમમાં યુવાનોને ટાસ્ક આપતા જણાવ્યું આવ્યું હતું કે, દરરોજ ઓછામાં ઓછા એક વ્યક્તિને હસાવવા અને સાંજે દિવસના સારા ૧૦ અનુભવો લખવાની ટેવ પાડવાનું કહ્યું હતું, તેનાથી નકારાત્મક વાતાવરણ દુર થશે. કોઈની પ્રશંસા કરવાથી વધુ ફાયદો આપણ ને જ થાય છે. તેની નોંધ સાથે હકારાત્મક વિચારો કેળવવા દિશા આપવામાં આવી હતી.

નવા દાતાટ્રસ્ટીનું કરાયું અભિવાદન:

જમનાબા ભવન નિર્માણ કાર્યમાં દાતાશ્રીઓ તરફથી માતબર દાનના સંકલ્પો થયા છે. થર્સ-ડે થોટ્સ કાર્યક્રમમાં ગુરુવારે નિકસન ટેકનોલોજીના ફાઉન્ડર ડૉ. સંજયભાઈ વશરામભાઈ રાજાણી એ દાતાટ્રસ્ટી બનવા સંકલ્પ કરતા તેનું અભિવાદન કરવામાં આબ્યું હતું. ૧૦૦૦ વિદ્યાર્થીઓ માટે ભવન, અતિથીગૃહ, પાટીદાર ગેલેરી, કેશુભાઈ પટેલ ઓડીટોરીયમ અને અનેકવિધ સુવિધાઓનું નિર્માણકાર્ય શરૂ છે તેની સાથે લોકો ઉત્સાહથી જોડાઈ રહ્યા છે.

૬૬મો સમુહલગ્ન સમારોહના શ્રી રમેશભાઈ ગજેરા તરફથી મળ્યું ખર્ચનું સૌજન્ય:

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી આગામી ૨૫/૦૨/૨૦૨૪ ના રોજ ૬૫માં સમુહલગ્ન સમારોહનું આયોજન છે. તેનું સંપૂર્ણ સૌજન્ય એસ.આર.કે ના શ્રી જયંતીભાઈ વી. નારોલા પરિવાર તરફથી છે. હવે, ૨૦૨૫ માં યોજાનાર ૬૬માં સમૂહલગ્ન સમારોહનું સંપૂર્ણ સૌજન્ય ભક્તિ ઇન્ટરનેશનલ ગ્રુપના શ્રી રમેશભાઈ વલ્લભભાઈ ગજેરા (જામકંડોરણા) પરિવાર તરફથી જાહેરાત થઈ છે. તથા જમનાબા ભવન નિર્માણ કાર્યમાં માતબર દાન આપવાના સંકલ્પ બદલ તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું, બે વર્ષ એડવાન્સમાં દાન નોંધાવનાર રમેશભાઈ ગજેરા તથા અલ્પેશભાઈનું ઉપપ્રમુખશ્રી સવજીભાઈ વેકરીયા, મંત્રીશ્રી અરવિંદભાઈ ધડુક તથા દાતાટ્રસ્ટી ભીમજીભાઈ પરણાવાળા, શ્રી હરિભાઈ કથીરીયા અને શ્રી ભવાનભાઈ નવાપરા એ અભિવાદન કરી શુભેચ્છા પાઠવી હતી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે..

 

 

Related posts

Why Consumer Reports Is Wrong About Microsoft’s Surface Products

KalTak24 News Team

The Classic ‘Jeans & A Nice Top’ Look Is Making A Comeback

KalTak24 News Team

Bose’s Most Iconic Headphones Are On Flash Sale

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં