March 25, 2025
KalTak 24 News
Politics

AAPની કારમી હાર વચ્ચે સાંસદ સ્વાતિ માલિવાલનું મોટું નિવેદન,શું કહ્યું?

AAP MP Swati Maliwal On Delhi Results: આમ આદમી પાર્ટીની રાજ્યસભા સાંસદ સ્વાતિ માલિવાલે દિલ્હી ચૂંટણીના પરિણામો અંગે પ્રતિક્રિયા આપતાં પક્ષના અધ્યક્ષ કેજરીવાલ પર આકરા પ્રહારો કર્યા છે. તેમજ કેજરીવાલ ગુસ્સામાં આક્રમક બની જતાં હોવાનો આક્ષેપ પણ કર્યો છે. 

શું કહ્યું સ્વાતિ માલિવાલે?

સ્વાતિ માલિવાલે કહ્યું કે, ઘમંડ અને અહંકાર ચકનાચૂર જ થાય છે. જે લોકોએ મારૂ ચારિત્ર્યનું હનન કર્યું. અપશબ્દો કહ્યાં. કેજરીવાલે મને માર ખવડાવ્યો. આજે તેમની જ બેઠક બચી નથી. અહંકાર તો રાજા રાવણનો પણ રહ્યો નથી.. કેજરીવાલને ગુસ્સો બહુ આવે છે. તેઓ ગુસ્સામાં ચીજો તોડવા લાગે છે. પરંતુ હું તેમને સલાહ આપીશ કે, તેઓ આ બધુ છોડી મનોમંથન કરે.

શું માલિવાલ પક્ષ છોડશે?

સ્વાતિ માલિવાલે પક્ષ છોડવાની વાત પર જવાબ આપ્યો છે કે, તેને AAP છોડવાની કોઈ જરૂર નથી. કારણકે, તેણે આ પક્ષને પોતાના 18 વર્ષ આપ્યા છે. મેં આ પક્ષ માટે ઘણું બધુ કર્યું છે. અમુક લોકો મને હાંકી કાઢવા માગે છે. પરંતુ હું પક્ષ નહીં છોડું. ઉલ્લેખનીય છે, સ્વાતિ માલિવાલે અરવિંદ કેજરીવાલના અંગરક્ષક બિભવ કુમારે અપશબ્દો બોલ્યા તેમજ માર માર્યો હોવાની ફરિયાદ કરી હતી. ત્યારબાદથી સ્વાતિ માલિવાલ સતત આમ આદમી પાર્ટીની વિરૂદ્ધમાં નિવેદનો આપી રહ્યા છે. જો કે, પક્ષ સાથે જોડાયેલા છે.

કેજરીવાલે મંથન કરવુ જોઈએ

સ્વાતિ માલિવાલે કેજરીવાલને પોતાની હારનું મંથન કરવા સલાહ આપી છે. તેમજ ક્યાં ચૂક રહી ગઈ તેના પર વિચાર કરી તેમાં સુધારો કરવા કામ કરવુ જોઈએ. સ્વાતિ માલિવાલના આ આક્ષેપો અને સલાહથી દિલ્હીની AAP માં ખળભળાટ મચ્યો છે.

 

Advertisement

Advertisement

 

 

 

 

Related posts

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે ગુમાવ્યા વધુ એક MLA, ભગવાન બારડે આપ્યું રાજીનામું

Sanskar Sojitra

કોંગ્રેસ અધ્યક્ષ બનવાને લઇ રાહુલ ગાંધી- ‘હું મારા જૂના વિચારો પર અડગ’,અધ્યક્ષની ચૂંટણી માટે જાહેરનામું બહાર પડ્યું

KalTak24 News Team

AAP ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરશે એવા એંધાણ!, શું કહ્યું આવો જાણીએ

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં