Shri Kashtabhanjan Dada Photos: સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 13-03-2025ને ગુરુવારના રોજ સાળંગપુરમાં રંગોત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તે અંતર્ગત દાદાને વિશેષ શણગાર અને ભોગ ધરાવવામાં આવી રહ્યા છે. આજે શ્રીકષ્ટભંજનદેવ દાદાને જરદોશીના વર્કવાળા વાઘા, સેવંતિના ફુલો અને રંગબેરંગી કાપડનો દિવ્ય શણગાર તથા ખજુર, ધાણી, સુખડીનો અન્નકૂટ ધરાવાયો હતો.
સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.રંગોત્સવ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરને રંગબેરંગી કાપડ-ફુલો દ્વારા શુશોભન કરવામાં આવ્યું છે.
આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે હનુમાનજી દાદાને વૃંદાવનમાં 20 દિવસની મહેનતે બનેલા પ્યોર સિલ્કના જરદોશીવર્કવાળા વાઘા પહેરાવ્યા છે. આ સાથે ખજુર,મધાણી અને સુખડી 100-100 કિલોનો અન્નકુટ ધરાવાયો છે. આજે અનેક હરિભક્તોએ દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
Advertisement
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube