March 25, 2025
KalTak 24 News
Politics

BREAKING NEWS: માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, સજા પર સ્ટે લગાવ્યો

  • માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટથી મળી રાહત
  • સુરતની કોર્ટે ફટકારેલી સજા પર સુપ્રીમ કોર્ટે લગાવ્યો સ્ટે 
  • માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને ફટકારી હતી 2 વર્ષની સજા

નવી દિલ્હી/Rahul Gandhi Defamation Case: સુપ્રીમ કોર્ટે મોદી સરનેમ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને આપવામાં આવેલી સજાને સ્થગિત કરવાની અરજી પર સુનાવણી કરી. આ દરમિયાન કોર્ટે રાહુલ ગાંધી વિરૂદ્ધ દલીલ કરી રહેલા ફરિયાદી પૂર્ણેશ મોદીના વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીને પૂછ્યું હતું કે, કોર્ટે વધુમાં વધુ સજા આપવા માટે કયા કારણો આપ્યા છે. તેનાથી પણ ઓછી સજા આપી શકાઈ હોત. જેના કારણે સંસદીય ક્ષેત્રના લોકોના અધિકારો પણ અકબંધ રહેશે. આ પછી સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને આપવામાં આવેલી સજા પર રોક લગાવી દીધી છે.

રાહુલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં દલીલ કરી હતી કે, ફરિયાદી (પૂર્ણેશ)ની મૂળ અટક મોદી નથી. તેમની મૂળ અટક ભુટાલા છે. તો પછી તે  કેવી રીતે  ફરિયાદ કરી શકે. સિંઘવીએ કોર્ટને એમ પણ કહ્યું કે, રાહુલ દ્વારા જે લોકોએ નામ આપ્યું છે.  તેઓએ તો આ  કેસ દાખલ કર્યો નથી. તેમણે કહ્યું, આ લોકો કહે છે કે, મોદી નામના 13 કરોડ લોકો છે, પરંતુ જો ધ્યાનથી જોવામાં આવે તો સમસ્યા માત્ર ભાજપ સાથે જોડાયેલા લોકોને જ થઈ રહી છે.

કોર્ટમાં રાહુલ તરફથી હાજર રહેલા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, આ કેસમાં માનહાનિના કેસમાં મહત્તમ સજા આપવામાં આવી છે. આનું પરિણામ એ આવશે કે રાહુલ ગાંધી 8 વર્ષ સુધી જનપ્રતિનિધિ બની શકે નહીં. તેમણે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું કે હાઈકોર્ટે 66 દિવસ માટે આદેશ અનામત રાખ્યો છે. રાહુલ લોકસભાના બે સત્રમાં હાજર પણ ન  હતા રહી શક્યા .

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ગુજરાત હાઈકોર્ટના જજનો આદેશ વાંચવો ખૂબ જ રસપ્રદ છે. તેણે આમાં ઘણો ઉપદેશ આપ્યો છે. તે જ સમયે, સોલિસિટર જનરલે કહ્યું કે મારે કહેવું જોઈએ કે ઘણી વખત કારણો ન આપવાને કારણે સુપ્રીમ કોર્ટની ટીકા થાય છે, તેથી જ હાઈકોર્ટ વિગતવાર કારણો આપે છે. આવી ટિપ્પણીઓ થોડી નિરાશાજનક હોઈ શકે છે.

તે જ સમયે, જસ્ટિસ ગવઈએ કહ્યું- અમે જાણીએ છીએ કે ટિપ્પણીઓ નિરાશાજનક હોઈ શકે છે, તેથી જ અમે તેને લખવામાં સમય લઈએ છીએ, સિવાય કે તે ખૂબ સ્પષ્ટ હોય. તે જ સમયે, રાહુલ ગાંધીના વકીલ અભિષેક મુન સિંઘવીએ કહ્યું કે એસજી માત્ર એક પ્રોફોર્મા પાર્ટી છે. આ કોર્ટે તેમને સમય આપ્યો છે. બીજી તરફ જેઠમલાણીએ કહ્યું કે તેઓ (રાહુલ ગાંધી) દલીલ કરે છે કે બદનામ કરવાનો કોઈ ઈરાદો નહોતો. જસ્ટિસ ગવાઈએ કહ્યું- અમે પૂછીએ છીએ કે મહત્તમ સજા આપવાનું કારણ શું હતું. જો તેને 1 વર્ષ અને 11 મહિનાનો સમય આપવામાં આવ્યો હોત, તો કોઈ ગેરલાયકાત ન હોત.

સુપ્રીમકોર્ટે શું કહ્યું?

  • કેટલા નેતાઓ યાદ રાખશે કે તેઓ અગાઉની મિટીંગમાં શું બોલ્યા હતા?
  • સેશન્સ કોર્ટે મહત્તમ સજાનું કારણ સ્પષ્ટ કર્યું નથી
  • 1 વર્ષ 11 મહિનાની સજા પણ આપી શકાઈ હોત
  • 2 વર્ષથી ઓછી સજા થાય તો મતવિસ્તારનું પ્રતિનિધિત્વ પણ જળવાઈ રહે
  • મતવિસ્તાર જનપ્રતિનિધિત્વ વગર રહે તે વિચારવાલાયક મુદ્દો
  • આ જે તે બેઠકના મતદારોના અધિકાર સાથે પણ જોડાયેલો મુદ્દો
  • હવે ભાષણ આપતી વખતે સાવધાની રાખજો

પૂર્ણેશ મોદીએ શું કર્યો હતો દાવો?
મોદી સરનેમ માનહાનિ કેસમાં ફરિયાદી પૂર્ણેશ મોદીએ સુપ્રીમ કોર્ટમાં 31 જુલાઈએ જવાબ દાખલ કર્યો હતો. જેમાં તેમણે રાહુલ ગાંધીની અરજી ફગાવવાની માંગ કરી હતી. જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ પોતાની સજા પર રોક લગાવવાની માંગ કરી હતી, જેના પર આજે સુનાવણી થઈ છે. પૂર્ણેશ મોદીએ કહ્યું હતું કે, રાહુલ ગાંધીને રાહત આપવાનો કોઈ આધાર નથી. તેમનું આચરણ અભિમાન ભર્યું છે. વગર કારણે એક આખા વર્ગને અપમાનિત કર્યા બાદ તેમણે માફી માંગવાની ના પાડી.

સુનાવણી પહેલા રાહુલે દાખલ કર્યો હતો જવાબ
બે દિવસ અગાઉ જ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કર્યો હતો. જેમાં રાહુલ ગાંધીએ માફી માંગવાનો ઈન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટમાં સોગંદનામામાં દાખલ કરીને કહ્યું હતું કે, માફી માંગવાનો સવાલ ઉઠતો નથી. પ્રથમ દ્રષ્ટિએ આ માનહાનિનો કેસ જ નથી બનતો. માફી માંગવાનું કોઈ કૃત્ય જ નથી. અપીલ સેશન્સ કોર્ટમાં પેન્ડિંગ છે. તેમાં સફળતાની સંભાવના છે. એટલા માટે સજા પર સુપ્રીમ કોર્ટ રોક લગાવી દે. પૂર્ણેશ મોદીએ સીધું તેમનું ભાષણ નહોતું સાંભળ્યું. મારા કેસને અપવાદ ગણીને રાહત આપવામાં આવે. માનહાનિ કેસમાં વધુ સજાને લઈને સંસદનું સભ્યપદ ગુમાવ્યું છે. પૂર્ણેશ મોદી ખુદ મૂળ રીતે મોદી સમાજના નથી. તેમણે આ પહેલા કોઈ કેસમાં સજા મળી નથી. માફી ન માંગવાને લઈને અભિમાની ગણવો ખોટું છે.

રાહુલ ગાંધી શા માટે સુપ્રીમ કોર્ટ ગયા?
માનહાનિ મામલે રાહુલ ગાંધીએ આ વર્ષે માર્ચમાં સુરતની એક કોર્ટે બે વર્ષની કેદની સજા સંભળાવી હતી અને ગુજરાત હાઈકોર્ટે 7 જુલાઈએ તેમની સજા પર રોક લગાવવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારબાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, જ્યાં 21 જુલાઈએ ગુજરાત સરકાર સહિત સંબંધિત પક્ષોને નોટિસ મોકલીને જવાબ દાખલ કરવા કહ્યું હતું.

2019માં ચૂંટણી પ્રચાર દરમિયાન આપેલું નિવેદન

રાહુલ ગાંધીએ 13 એપ્રિલ 2019ના રોજ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે, “નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદીની અટક કેમ કોમન છે? બધા ચોરોની અટક મોદી કેમ છે? રાહુલના આ નિવેદનને લઈને ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ તેમની વિરુદ્ધ કલમ 499, 500 હેઠળ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. પોતાની ફરિયાદમાં ભાજપના ધારાસભ્યએ આરોપ લગાવ્યો હતો કે 2019માં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે રાહુલે કથિત રીતે એવું કહીને સમગ્ર મોદી સમુદાયને બદનામ કર્યો હતો કે બધા ચોરોની અટક મોદી કેમ છે?

 

Related posts

AAP ના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર,આ યાદી માં કોના-કોના નામ છે સામેલ?

Sanskar Sojitra

કેપ્ટન અમરિંદર સિંહ જોડાઈ શકે છે ભાજપમાં , 19 તારીખે કરશે એલાન

KalTak24 News Team

લોકસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર:આવતીકાલે જાહેર કરાશે લોકસભા ચૂંટણીની તારીખો, બપોરના 3 કલાકે યોજાશે પ્રેસ કોન્ફરન્સ

Sanskar Sojitra