September 21, 2024
KalTak 24 News
Gujarat

વડાપ્રધાન મોદીના આગામી 29-30 સપ્ટેમ્બર ના રોજ આવશે ગુજરાત પ્રવાસે

PM Narendra Modi

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી ગયા છે. ત્યારે વડાપ્રધાન મોદી(Pm Modi) એકવાર ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે.

વડાપ્રધાન મોદી (Pm Modi) આગામી તારીખ 29-30 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. વડાપ્રધાન મોદી(Pm Modi) સુરત, ભાવનગર અને અમદાવાદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. 29 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી ભાવનગરમાં રોડ શો કરશે અને સભાને સંબોધશે. 29મીએ અમદાવાદમાં નેશનલ ગેમ્સની શરૂઆત કરાવશે. 29મી એ રાત્રે GMDC ગ્રાઉન્ડ ખાતે ગરબામાં હાજરી આપશે. વડાપ્રધાન મોદી 29 સપ્ટેમ્બરના રોજ રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે.

30મીએ અંબાજી મંદિરે દર્શન કરી પીએમ મોદી ગબ્બરે જશે

જ્યારે 30 સપ્ટેમ્બરના રોજ સવારે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને ફ્લેગ ઓફ કરાવશે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને વડાપ્રધાન મોદી કાલુપુર રેલવે સ્ટેશન જશે. વડાપ્રધાન મોદી(Pm Modi) કાલુપુરથી મેટ્રો ટ્રેનના 2 રૂટની શરૂઆત કરાવશે. કાલુપુરથી થલતેજ અને ગ્યાસપુરથી મોટેરા રુટની પીએમ મોદી શરૂઆત કરાવશે. અમદાવાદમા એઈએસ ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધશે. વડાપ્રઘાન મોદી(Pm Modi) અમદાવાદથી રાજભવન આવશે. 30મીએ અંબાજી મંદિરે દર્શન કરી નવી રેલ્વે લાઇનનું પણ વડાપ્રધાન ખાતમુહૂર્ત કરશે. અંબાજી મંદીરે દર્શન કરીને પીએમ મોદી(Pm Modi) ગબ્બર ખાતે પણ દર્શન કરવા જશે.

જાણો બે દિવસનો સંપૂર્ણ વિગતવાર કાર્યક્રમ

– વડાપ્રધાન મોદી 29-30 સપ્ટેમ્બરે ગુજરાત આવશે
– 29 સપ્ટેમ્બરે સવારમાં સુરત ખાતે કાર્યક્રમમાં રહેશે હાજર
– 29 સપ્ટેમ્બરે ભાવનગરમાં રોડ શો અને સભાનું આયોજન
– 29 તારીખે અમદાવાદમાં નેશનલ ગેમ્સની શરૂઆત કરાવશે
– 29મી એ રાત્રે GMDC ગ્રાઉન્ડ ખાતે ગરબામા આપશે હાજરી
– વડાપ્રધાન મોદી 29 સપ્ટેમ્બર રાજભવન ખાતે કરશે રાત્રી રોકાણ
– 30 સપ્ટેમ્બરના રોજ સવારે વંદે ભારત એક્સ્પ્રેસ ટ્રેનનો કરાવશે ફ્લેગ ઓફ
– વંદે ભારત એક્સ્પ્રેસ ટ્રેનમા બેસી કાલુપૂર રેલવે સ્ટેશન જશે વડાપ્રધાન
– કાલુપૂરથી મેટ્રો ટ્રેનના 2 રૂટની શરૂઆત કરાવશે પ્રધાનમંત્રી
– કાલુપુરથી થલતેજ અને ગ્યાસપુરથી મોટેરા રુટની શરુઆત કરાવશે
– અમદાવાદમા એઈએસ ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધશે વડાપ્રધાન
– અમદાવાદથી રાજભવન આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
– 30 તારીખે વડાપ્રધાન અંબાજી મંદિર દર્શન કરી નવી રેલ્વે લાઇનનું ખાતમુહૂર્ત કરશે
– અંબાજી મંદીરે દર્શન કરી ગબ્બર ખાતે પણ દર્શન કરશે વડાપ્રધાન મોદી

 

તમે અમને ફેસબુક , ઇન્સ્ટાગ્રામ , યુટ્યૂબ પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો

નવા નવા ન્યૂઝ અને માહિતી મેળવવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરી અમારા કલતક 24 ના બ્રેકિંગ ગ્રુપમાં જોડાઓ

https://chat.whatsapp.com/IwDhbJIsEO26uxtKPvYoAV

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Related posts

સુરત/ જીવતા જીવ રક્તદાન,મૃત્યુ બાદ અંગદાન ને સાર્થક કરતું સૂત્ર આજે ખરું બન્યું; જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન થકી પટેલ સમાજના સખીયા પરિવાર દ્વારા 41 વર્ષીય પુરુષના અંગોનું કરાયું અંગદાન…

KalTak24 News Team

બોટાદ/ સાળંગપુરધામ ખાતે શ્રાવણ માસમાં શ્રી હરિ જયંતી નિમિતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને 1000 કિલો શાકભાજીની હાટડીનો દિવ્ય શણગાર કરાયો; હજારો ભક્તોએ કર્યા દર્શન

KalTak24 News Team

અમદાવાદના શાહપુરમાં રહેણાંક મકાનમાં આગ લાગતા પરિવાર હોમાયો, પતિ-પત્ની અને બાળકનું કરુણ મોત

KalTak24 News Team