February 5, 2025
KalTak 24 News
Bharat

Padma Award 2025: કેન્દ્ર સરકારે પદ્મ પુરસ્કાર વિજેતાઓના નામની કરી જાહેરાત;જાણો કોને કોને મળ્યા એવોર્ડ

Padma Awards 2025: પ્રજાસત્તાક દિવસ(ગણતંત્ર દિન) પૂર્વે કેન્દ્ર સરકારે શનિવારે(25 જાન્યુઆરી) પદ્મ પુરસ્કારો 2025ના વિજેતાઓના નામની જાહેરાત કરી. આ યાદીમાં અનેક નામી-અનામી પદ્મ પુરસ્કાર વિજેતાઓ છે, જેમાં કુવૈતના યોગ ટ્રેનર અને સફરજન સમ્રાટ હરિમાનનું નામ પણ સામેલ છે.

જાણો કોને-કોને મળ્યો એવોર્ડ?

  •  જોયનાચરણ બથારી: દીમા હસાઓ નૃત્ય
  • નરેન ગુરંગ: નેપાળી ગીત ગુરુ
  •  વિલાસ ડાંગરે: હોમિયોપેથ
  • સાઈખાય એજે અલ સબાહ: યોગ
  • નિર્મલા દેવી: સુજનીના વૈશ્વિક દેવી
  • રાધા બહિન ભટ્ટ: ગાંધી ઑફ ધ હિલ્સ
  •  સુરેશ સોની: સાબરકાંઠાનો સહયોજક
  • પાંડી રામ માનવી: મુરીયા કે માન, બસ્તર કી શાન
  • જોનાસ મસેટી: બ્રાઝિલના વેદાંત ગુરુ
  •  જગદીશ જોશીલા: નિમાડીના નોવાલિસ્ટ
  • હરવિંદર સિંહ: કૈથલનો એકલવ્ય
  • ભેરુ સિંહ ચૌહાણ: નિર્ગુણ ભક્તિના ભેરુ
  • વૈકપ્પા અંબાજી સુગાતકર: ઘુમંતુ ગુરુ
  • પી દચ્ચાનામૂર્તિ: થવિલ થલાઈવા
  • નિરજા ભાટલા: સર્વાઇકલ કેન્સર ક્રૂસેડર
  • મારુતિ ભુજંગરાવ ચિતમ્પલ્લી: મહારાષ્ટ્રના અરણ્ય ઋષિ
  •  ભીમવ્વા દોદાબલપ્પા સિલ્કેયાતારા: ગ્રેન્ડ મધર ઑફ ગોંબિયાતા
  • સેલિ હોલ્કર: હોલ્કર વિવર ઑફ હોપ
  • 19 બતૂલ બેગમ: ભજનોના બેગમ
  • વેલૂ આસાન
  • ગોકુળ ચંદ્રદાસ: મા દુર્ગોર ઢાકી દાસ
  •  વિજયલક્ષ્મી દેશામાને: હીલિંગ વિધ હોપ
  •  ચૈતરામ દેવચંદ પવાર: વન કે વનબંધુ
  • લિબિયા લોબો સરદેસાઈ
  • પરમાર લવજીભાઈ નાગજીભાઈ

ગુજરાતના મહાનુભાવોને મળ્યો પદ્મશ્રી

  • ગુજરાતના સુરેશ સોનીને પદ્મશ્રી
  • સામાજિક કાર્ય બદલ મળ્યો પદ્મશ્રી
  • કલા ક્ષેત્રે લવજીભાઇ પરમારને પદ્મશ્રી

 

દર વર્ષે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વખતે પણ સેલિબ્રિટીઓને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનમાંથી એક પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આજે, વિજેતાઓના નામની જાહેરાત પછી, માર્ચ અથવા એપ્રિલ મહિનામાં રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત સન્માન સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા વિજેતાઓને પદ્મ પુરસ્કાર આપવામાં આવે છે. પદ્મ પુરસ્કારો ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે, જેમાં પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રીનો સમાવેશ થાય છે.

આ એવોર્ડ એવા લોકોને આપવામાં આવે છે જેમણે કલા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન, એન્જિનિયરિંગ, વેપાર, ઉદ્યોગ, દવા, સાહિત્ય, શિક્ષણ, રમતગમત અને નાગરિક સેવાઓ જેવા વિવિધ ક્ષેત્રોમાં મહાન કાર્ય કર્યું છે. બ્રાઝિલના હિંદુ આધ્યાત્મિક નેતા જોનાસ મેસેટ્ટી અને પ્રખ્યાત દંપતી હ્યુગ અને કોલીન ગેન્ટઝરને ભારતના વારસા વિશે લખવા બદલ પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. 

વિજેતાઓ માટે માર્ગદર્શિકા

ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પદ્મ પુરસ્કારોને ટાઇટલ માનવામાં આવતું નથી, તેથી વિજેતાઓ તેમના નામની આગળ કે પાછળ તેનો ઉપયોગ કરી શકતા નથી. આ પુરસ્કારો સાથે, વિજેતાઓને કોઈ રોકડ પુરસ્કાર, ભથ્થું અથવા રેલ-હવાઈ મુસાફરીમાં રાહત જેવી કોઈ સુવિધા આપવામાં આવતી નથી. પદ્મ પુરસ્કાર વિજેતાઓને રાષ્ટ્રપતિની સહી અને સીલ ધરાવતું પ્રમાણપત્ર અને મેડલ આપવામાં આવે છે. એવોર્ડ વિજેતાઓને તેમના મેડલની પ્રતિકૃતિ પણ મળે છે, જે તેઓ કોઈપણ ફંકશનમાં પહેરી શકે છે. 

(ઈનપુટ:ANI)

 

Advertisement
Advertisement

 

 

 

 

Related posts

Republic Day 2024/ જલ્દી કરો..તમારો એક વૉટ,ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવી શકે છે,બસ ફૉલો કરો આ સ્ટેપ્સ,ભરપૂર વોટિંગ કરી નિભાવો ગુજરાતીની ફરજ…

KalTak24 News Team

Bharat Ratna: પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ‘ભારત રત્ન’થી કરાશે સન્માનિત,PM મોદીએ ટ્વિટ કરીને જાહેરાત કરી

KalTak24 News Team

મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના: બસ પુલ પરથી ખાબકતાં 15 મુસાફરોનાં નિધન,25 મુસાફરો ઈજાગ્રસ્ત

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં