March 25, 2025
KalTak 24 News
GujaratReligionબોટાદ

બોટાદ/‌ એકાદશી એવં શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને મખમલના જરી સ્ટોનવાળા વાઘા,રામ લખેલો આંકડાના ફુલનો હાર પહેરાવ્યો, હજારો ભક્તોએ કર્યા દર્શન

on-the-occasion-of-ekadashi-and-shanivar-shree-kashtabhanjandev-was-garlanded-with-flowers-of-velvet-with-jari-stones-and-figures-of-ram-written-on-them-botad

Shri Kashtabhanjan Dada Photos:શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.08-02-2025ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને ગુલાબ-સેવંતીના મીક્સ ફુલોનો દિવ્ય શણગાર કરાયો હતો તેમજ સુખડીનો અન્નકૂટ ધરાવાયો હતો. આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા સવારે 7:00 કલાકે શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસજી દ્વારા કરવામાં આવી હતી. દાદાના સિંહાસને આજે સેવંતીના રંગબેરંગી ફુલનો શણગાર કરાયો છે.મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુખડીનો અન્નકૂટ ધરાવાયો હતો

આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શનિવાર અને અગિયારસ નિમિત્તે મલખમલના કાપડમાં બનેલા જરી સ્ટોનના ભરતવાળા દાદાને પહેરાવાયા છે. આ વાઘા ચાર દિવસની મહેનતે 2 કારીગરોએ વડોદરામાં બનવ્યા છે. 108 સુખડી અગિયારસ અને શનિવાર હરિભક્ત તરફથી હનુમાનજીને અર્પણ કરાઈ છે. હીરાજડિત ચાંદીનો 1.5 કિલોનો મુગટ પણ દાદાને પહેરાવાયો છે. આંકડાનો હાર છે. જેમાં વાદળી રંગથી રામ લખેલું છે. આ હાર બગસરાથી એક હરિભક્તે મોકલ્યો છે.

દાદાના શણગાર-આરતી-દર્શનનો અમૂલ્ય લ્હાવો અનેક ભકતોએ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

Advertisement

Advertisement

 

 

 

 

Related posts

આજનું રાશિફળ/ 18 ડિસેમ્બર 2023નું રાશિ ભવિષ્ય,ભગવાન શિવજીની કૃપાથી આ રાશિના તમામ લોકોના દરેક દુઃખો થશે દુર,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team

ગ્રીષ્મા હત્યા કેસમાં આજે આવશે ચૂકાદો, 63 દિવસમાં સજા સંભળાવાશે

KalTak24 News Team

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં