February 5, 2025
KalTak 24 News
Gujaratપાટણ

Patan: સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતના પાટણના સંડેર ગામે ખોડલધામનું થશે નિર્માણ, 1008 પાટીદારોના હસ્તે કરાયું શીલાપૂજન

khodaldham-will-be-constructed-in-sander-village-of-noth-gujarat-patan-news

Patan News: સૌરાષ્ટ્ર બાદ ઉત્તર ગુજરાતમાં પણ ખોડલધામનું નિર્માણ થઈ રહ્યુ છે. જે અંતર્ગત પાટણ જિલ્લાના સંડેર ગામે વિશાળ જગ્યામાં ભવ્ય ખોડલધામ મંદિરના નિર્માણને લઈને આજે શિલાપૂજન સમારોહ સંપન્ન થયો હતો. જેમાં દેશ-વિદેશથી 10 હજારથી વધુ ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

image

આજે સવારે સાડા 8 વાગ્યાથી કાગવડ સ્થિત ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની અધ્યક્ષતામાં 1008 યજમાન પરિવારો દ્વારા 1008 શિલાઓની હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન વિધિ કરવામાં આવી હતી.આ સંકુલમાં માં ખોડીયારનું મંદિર, ભોજનાલય, શૈક્ષણિક સંકુલ, આરોગ્ય સંકુલ અને કાર્યાલયનું નિર્માણ થશે. મંદિરનાં નિર્માણ માટે આજે ભૂદેવો દ્વારા શાસ્ત્રોત વિધિથી યજમાનો મારફતે 1008 શીલાઓનું પૂજન કરાવવામાં આવ્યું હતું. જે બાદ યજમાનો અને ઉપસ્થિત મહેમાનોએ માઁ ખોડલની મહાઆરતી કરી હતી.

image

patan-news-khodaldham-will-be-constructed-in-sander-village-of-noth-gujarat-463080

આ શિલાપૂજન વિધિમાં ઉપયોગમાં લેવામાં આવેલ માતાજીની છબી, બાજોઠ, પૂજાની થાળી, અબીલ-ગુલાલ, કંકુ-ચોખા, નાડાછડી, સોપારી અને આસન સહિતની વસ્તુઓ યજમાન પરિવારને ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. જેથી યજમાનો આજીવન આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યાની યાદગીરી રાખી ધન્યતા અનુભવે. આ દરમિયાન દાતાઓએ દ્વારા ભવ્ય મંદિરના નિર્માણ માટે ઉદાર હાથે દાન જાહેર કરવામાં આવ્યું હતુ.

આ શીલા પૂજનમાં ઉત્તર ગુજરાતનાં પાટણ, મહેસાણા,બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાનાં 250 જેટલાં ગામોમાંથી અને સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં પાટીદારો આ શીલા પૂજન વિધિમાં જોડાયા હતા.ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલ સંસ્થાના ટ્રસ્ટીઓ દાતાઓ સહિતના લોકોની ઉપસ્થિતિમાં શીલા પૂજન સમારોહ યોજાયો હતો. શીલા પૂજન બાદ શ્રી ખોડિયાર માતાજીની આરતીમાં સૌ કોઈ ભક્તિમાં લીન બન્યા હતા.ત્યાર બાદ ખોડલધામના નિર્માણમાં સમાજના દાનવીરો દ્વારા દાનની સરવાણી વહાવી હતી. જેમનું પ્રમુખ નરેશ પટેલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

image

આ તકે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું કે, આજથી 8 વર્ષ અગાઉ કાગવડ ખાતે શ્રી ખોડલધામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. સમગ્ર ગુજરાતમાં પથરાયેલા લેઉવા પટેલ સમાજને ટ્રસ્ટની હુંફ મળે તે હેતુથી ટ્રસ્ટી મંડળ દ્વારા ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સંડેર મુકામે બીજા ખોડલધામ મંદિરનું નિર્ણાણ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. ઉત્તર ગુજરાત બાદ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભવ્ય ખોડલધામ સંકુલ બનાવવાનો આપણો સંકલ્પ છે.

image

વધુમાં તેમણે જણાવ્યું કે, ખોડલધામ એક સંસ્થા નહીં, પરંતુ વિચાર છે. આ વિચાર સમગ્ર સમાજને સાથે લઈને ચાલવાનો છે. સંડેર ખાતે ખોડલધામ સંકુલ બનવાથી ઉત્તર ગુજરાતના તમામ સમાજના લોકોને ખોડલધામ ટ્રસ્ટના આરોગ્ય અને શિક્ષણની સેવાનો લાભ મળશે.

image

image

 

 

Advertisement

Advertisement

 

 

 

 

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નવતર અભિગમ ! ગુજરાત રાજ્યના પ્રથમ સરહદી ગામ જાવલીમાં રાત્રિ રોકાણ કરી ગ્રામજનો સાથે કર્યો સંવાદ,જાણો સમગ્ર વિગતો

KalTak24 News Team

ગુજરાતના નાના-નાના યાત્રાધામોનો પણ રૂ. 857 કરોડના ખર્ચે થશે વિકાસ; કોટેશ્વર મહાદેવ, બહુચરાજી, માંચી ચોક,માધવપુર સહિત અનેક યાત્રાધામ પર વિશેષ ફોકસ;જુઓ તસવીરો

KalTak24 News Team

રાજકોટના કેકેવી ચોક નજીક ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનાં પોસ્ટર પર શાહી ફેંકાઈ,અજાણ્યા શખ્સની શોધખોળ

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં